પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ નિવૃત થતા અમદાવાદના ઇન્ચાર્જ સીપીનો ચાર્જ ક્રાઇમબ્રાંચના વડા પ્રેમવીરસિંહ

અમદાવાદ,શનિવાર

અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ રવિવારે નિવૃત થઇ રહ્યા છે ત્યારે શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે ક્રાઇમબ્રાંચના જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ પ્રેમવીરસિંહને નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદના નવા સંભવિત પોલીસ કમિશનર તરીકે સમશેરસિંહના નામની શક્યતા છે. જે હાલ વડોદરા શહેરના પોલીસ કમિશનર છે. જો કે મંગળવાર સુધીમાં ચોક્કસ નામની જાહેરાત થવાની શક્યતા છે. અમદાવાદાના પોલીસ કમિશન સંજય શ્રીવાસ્તવ રવિવારે નિવૃત થઇ  રહ્યા છે. ત્યારે તેમના સ્થાને ઇન્ચાર્જ  પોલીસ કમિશનર તરીકે ક્રાઇમબ્રાંચના જેસીપી પ્રેમવીરસિંહને નિયુક્ત કરવામાં આવ્યા છે.  પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવનો વિદાય સમારોહ રવિવારે પોલીસ હેડ ક્વાટર્સ શાહીબાગ ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાશે. ૧૯૮૭ની બેચના આઇપીએસ સંજય શ્રીવાસ્તવને એક્સેટેન્શન આપવાની વિચારણા ગૃહ વિભાગે હાથ ધરી હતી. જો કે તેમણે એક્સટેન્શન લેવાનો ઇન્કાર કર્યો હતો .જો કે હવે અમદાવાદના નિયમિત પોલીસ કમિશનરનું નામ મંગળવાર સુધીમાં જાહેર થવાની શક્યતા છે. જેમાં વડોદરા શહેરના પોલીસ કમિશનર સમશેરસિંહનું નામ મોખરે છે.  તેમજ આઇબીના વડા અનુપમસિહ ગેંહલોત અને જેલ વિભાગના ચીફ કે એલ એન રાવ તેમજ સુરતના પોલીસ કમિશનર અજય તોમરના નામ પણ ચર્ચા છે. જો કે  થોડા દિવસ, પહેલા જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જેલની મુલાકાત બાદ  સમગ્ર રાજ્યની જેલમાં તપાસના આદેશ આપ્યા બાદ અનેક કૌભાંડો બહાર આવ્યા હતા. જેના કારણે તેમની પસંદગીને લઇને અનેક પ્રશ્નો છે.  તો સુત્રોના જણાવ્યા મુજબ ૧૯૮૯ની બેચના  સીઆઇડી ક્રાઇમના અનિલ પ્રથમ અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે. બીજી તરફ  અતુલ કરવાલ અને પ્રવિણસિંહા સંજય શ્રીવાસ્તવની બેચના આઇપીએસ છે. પરંતુ, બંને હાલ કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન  પર હોવાથી તેમની પસંદગી થઇ શકે તેમ નથી.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/A8vqR6s
via IFTTT

ટિપ્પણીઓ નથી: