ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 392 દર્દીઓ નોંધાયા, ગીર સોમનાથમાં એક વ્યક્તિનું મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 392 કેસ નોંધાયા છે. જ્યારે 258 દર્દીઓ સાજા થયાં છે.આજે રાજ્યમાં ગીર સોમનાથમાં કોરોનાથી એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. આજે અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 145 કેસ નોંધાયા છે.

અહીં સૌથી વધુ કેસ નોંધાયા
આજે અમદાવાદ જિલ્લામાં 145, વડોદરા જિલ્લામાં 58, સુરત જિલ્લામાં 37, રાજકોટ જિલ્લામાં 22, વલસાડમાં 13, ગાંધીનગર જિલ્લામાં 16, મોરબીમાં 9, સાબરકાંઠામાં 8, પાટણમાં 7, અમરેલી 6, કચ્છ 5, સુરેન્દ્રનગર 5, નવસારી 4, આણંદ 3, ભાવનગર જિલ્લામાં 5, ખેડા 3, પંચમહાલ 3, બનાસકાંઠા 2, ભરૂચ 2, ગીરસોમનાથ 2, મહિસાગર અને પોરબંદરમાં એક એક કેસ નોંધાયો છે.

03 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે
રાજ્યમાં કોરોનાને કારણે કુલ મોતની સંખ્યા 11066 થઈ ગઈ છે. હાલમાં રાજ્યમાં કુલ 2220 એક્ટિવ કેસ છે. 03 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 2217 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.97 ટકા થઈ ગયો છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/QKN0Opf
via IFTTT
ટિપ્પણીઓ નથી: