આ વરસે સોનિયા ગાંધી બર્થ ડે નહીં મનાવે, ખેડૂતો સાથે એકતા દર્શાવવા કર્યો નિર્ણય


- કોંગ્રેસ સતત ખેડૂતો સાથે રહ્યો છે એમ કહે છે

નવી દિલ્હી, તા. 8 ડિસેંબર 2020 મંગળવાર

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી આ વરસે પોતાનો જન્મદિવસ નહીં ઊજવે. એ માટે તેમણે ખેડૂતોના આંદોલનનું કારણ આગળ ધર્યું હતું. તેમણે કહ્યું કે દેશનો ખેડૂત આંદોલન કરતો હોય ત્યારે હું બર્થ ડેની ઊજવણી કરી ન શકું. કોંગ્રેસ પક્ષ સદૈવ ખેડૂતોની સાથે રહ્યો હતો.

કેન્દ્ર સરકારે ઘડેલા ત્રણ નવા કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. છેલ્લાં દસ બાર દિવસથી હજારો ખેડૂતો દિલ્હીમાં અડ્ડો જમાવીને બેઠાં છે. આજે તેમણે ભારત બંધની હાકલ કરી છે. જો કે સવારે 11 વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધીનો આ બંધ હોવાની જાહેરાત થઇ હતી પરંતુ આજે સવારથી મહારાષ્ટ્રમાં અને ઓરિસામાં કેટલેક સ્થળે જબરદસ્તીથી ટ્રેનો રોકવામાં આવી હતી.

સોનિયા ગાંધી અને કોંગ્રેસ પક્ષે પણ અન્ય રાજકીય પક્ષોની જેમ ખેડૂતોના આંદોલનને ટેકો જાહેર કર્યો હતો. આજે પાટનગર નવી દિલ્હીમાં કોંગ્રેસના વડા મથકની બહાર કોંગ્રેસીએા ખેડૂતો સાથે એકતા દર્શાવવા દેખાવો કરવાના છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lZ2RqW
via IFTTT

ટિપ્પણીઓ નથી: