ભારતમાં કોરોનાગ્રસ્તોનો આંકડો એક કરોડને વટાવી ગયો

- ત્રણ લાખ સક્રિય કેસો છે, ઝડપથી સાજા થઇ રહ્યા છે
- અત્યાર સુધીમાં 95 લાખ સાજા થયા
નવી દિલ્હી, તા.19 ડિસેંબર 2020 શનિવાર
ભારતમાં કોરોનાથી સંક્રમિત લોકોનો આંકડો એક કરોડને વટાવી ગયો હતો. સક્રિય કોરોના કેસનો આંકડો ત્રણ લાખનો હતો.
કેન્દ્રના આરોગ્ય ખાતાએ બહાર પાડેલા આંકડા મુજબ અત્યાર સુધીમાં 95 લાખથી વધુ લોકો સારા થઇ ગયા હતા. કોરોના પોઝિટિવિટી રેટમાં પણ સારો એવો ઘટાડો નોંધાયો હતો.
હવે તો સીરમ ઇન્સ્ટીટ્યુટની અને ફાઇઝરની રસી પણ ઉપલબ્ધ થઇ રહી હોવાથી 2021ના જાન્યુઆરીમાં રસી આપવાનું શરૂ થઇ જશે. જો કે સુપ્રીમ કોર્ટે કહ્યું એમ લોકો માસ્ક પહેરતાં નથી અને સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવતા નથી એટલે સંક્રમણ વધી રહ્યું હતું.
ભારતમાં કોરોના સંક્રમણને ઘટાડવા સરકારે લીધેલાં પગલાંની દુનિયાભરના દેશોએ નોંધ લીધી હતી. આરોગ્ય મંત્ર્યાલયે જણાવ્યા મુજબ રોજ આવતા સરેરાસ કેસની સંખ્યામાં પણ સારો એવો ઘટાડો થયો હતો. ભારતમાં કોરોનાથી થયેલાં મરણનો આંકડો 1 લાખ 44 હજાર 789 નો હતો. અત્યાર સુધીમાં સાજા થયેલાનો આંક 95 લાખ 20 હજાર 827નો હતો. અત્યાર સુધીમાં કુલ એક્ટિવ કેસનો આંકડો ત્રણ લાખ 13 હજાર 831નો હતો.
આમ છતાં હજુ થોડી સાવચેતી અને હેલ્થ વર્કર્સ દ્વારા સૂચવવામાં આવેલા અગમચેતીનાં પગલાં લેવાય એ જરૂરી હતું એમ પણ આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ra2v4A
via IFTTT
ટિપ્પણીઓ નથી: