ખેડૂતો સરકારને આંતરરાષ્ટ્રીય લેવલે મૂંઝવવા તૈયાર, બ્રિટનના સાંસદોને પત્ર લખીને મુશ્કેલીઓ વર્ણવશે

- તમારા વડા પ્રધાનને પ્રજાસત્તાક દિને આવતાં અટકાવો
નવી દિલ્હી તા.23 ડિસેંબર 2020 બુધવાર
કૃષિ કાયદા રદ કરાવવા છેલ્લા લગભગ એક માસથી આંદોલન કરી રહેલા અને દિલ્હીના સીમાડા રોકીને બેઠેલા ખેડૂતો હવે મોદી સરકારને આંતરરાષ્ટ્રીય લેવલે મૂંઝવવાની યોજના ઘડી રહ્યા હોવાની જાણકારી મળી હતી.
ખેડૂતો બ્રિટિશ સાંસદોને પત્ર લખીને પોતાની મુશ્કેલી વર્ણવશે અને બ્રિટિશ વડા પ્રધાનને ભારતના પ્રજાસત્તાક દિની ઊજવણીમાં ન આવે એવી વિનંતી કરવાનું કહેશે. અત્રે એ યાદ રહે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હૉન્સનને 2021ના પ્રજાસત્તાક દિને મુખ્ય મહેમાન તરીકે પધારવાનું આમંત્રણ મોકલ્યું હતું.
સાથોસાથ ખેડૂત આંદોલનો વિદેશમાં વસતા ભારતીય નાગરિકોને વિનંતી કરશે કે જે તે દેશમાં ભારતીય રાજદૂતાવાસની સામે તમે આંદોલન કરો અને અમારી મુશ્કેલી વર્ણવીને કહેજો કે ભારત સરકાર કૃષિ કાયદા અંગે લોકોને ગૂમરાહ કરી રહી હતી. ભારતમાં ઘરઆંગણે ખેડૂતો ગામે ગામ ફરીને કૃષિ કાયદાના ગેરફાયદા લોકો સમક્ષ રજૂ કરશે અને એ રીતે લોકમત જાગૃત કરીને કેન્દ્ર સરકારને આ કાયદા રદ કરવાની ફરજ પાડશે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hayYDg
via IFTTT
ટિપ્પણીઓ નથી: