પહેલાં યુપીમાં કાયદો અને વ્યવસ્થા તો સુધારો, સામનામાં ફરી એકવાર ફિલ્મ નગરીના મુદ્દે ટીકા


-‘ફિલ્મોદ્યોગ સ્થાપવાનું યોગીનું ગજું નથી’

મુંબઇ તા.3 ડિસેંબર 2020  ગુરૂવાર

પહેલાં ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાનું સ્ટાન્ડર્ડ તો સુધારો, પછી ફિલ્મ નગરી સ્થાપવાનું સપનું સેવજો એવા મતલબનો અગ્રલેખ સામનામાં પ્રગટ થયો હતો.

હાલ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ મુંબઇની મુલાકાતે હતા. થોડાસમય પહેલાં તેમણે ઉત્તર પ્રદેશમાં ફિલ્મ નગરી સ્થાપવાની જાહેરાત કરી હતી. એના પગલે એવી વાતો વહેતી થઇ હતી કે મુંબઇના ફિલ્મોદ્યોગને મુંબઇની બહાર ખસેડવાનું ષડ્યંત્ર રચાઇ રહ્યું હતું. 

તરત શિવસેનાના મુખપત્ર સામનામાં ઉત્તર પ્રદેશની અને એના મુખ્ય પ્રધાન યોગીની આકરી ટીકા શરૂ થઇ ગઇ હતી. પહેલાં ઉત્તર પ્રદેશને દરિદ્ર અને ગરીબ રાજ્ય ગણાવાયું હતું અને યોગી આદિત્યનાથને ફાલતુ માણસ ગણાવાયા હતા. હવે અગ્રલેખમાં એવું કારણ અપાયું છે કે ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાનું સ્ટાન્ડર્ડ સૌથી હલકું છે. ત્યાં રોજ ગંભીર અપરાધો થઇ રહ્યા છે. 

જો કે યોગીએ મુંબઇના ફિલ્મોદ્યોગના કેટલાક પ્રતિનિધિઓ સાથે બુધવારે ચર્ચા વિચારણા કરી હતી. એ પોતાના આયોજનમાં મક્કમ છે અને મળતા નિર્દેશો મુજબ ખાન ભાઇઓને ટક્કર આપનારા સુપર સ્ટાર અક્ષય કુમાર સહિત કેટલાક લોકોએ યોગીને ઉત્તર પ્રદેશમાં ફિલ્મ નગરી સ્થાપવામાં સહકાર આપવાની તૈયારી દાખવી હતી એટલે શિવસેનાના પેટમાં તેલ રેડાયું હતું. 




from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3okMcjo
via IFTTT

ટિપ્પણીઓ નથી: