ઑટો-ટેક્સી યુનિયનનો પણ ભારત બંધને સહકાર, આવતી કાલે પબ્લિક ટ્રાન્સપોર્ટ નહીં મળે

- આરએલપી પણ સાથે, ભાજપની મુશ્કેલીમાં વધારો
નવી દિલ્હી તા.7 ડિેસેંબર 2020 સોમવાર
કૃષિ કાયદાના વિરોધમાં દેખાવો કરી રહેલા ખેડૂતોએ આવતી કાલે 8મી ડિસેંબરે જાહેર કરેલા બંધમાં ઑટોરિક્શા અને ટેક્સી યુનિયનોએ પણ જોડાવાની જાહેરાત કરી હતી.
એક માત્ર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા ભારતીય કિસાન સંઘે ભારત બંધમાં સહભાગી નહીં થવાનો નિર્ણય કર્યો હતો. એ સિવાય મોટા ભાગના રાજકીય પક્ષોએે પણ ખેડૂતો દ્વારા જાહેર કરાયેલા ભારત બંધને ટેકો જાહેર કર્યો હતો.
કેન્દ્ર સરકારે જોકે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું કે કાયદા કોઇ પણ હિસાબે રદ નહીં થાય. ભાજપની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો હતો કારણ કે ભાજપના સાથીદાર મનાતા આરએલપીએ પણ ખેડૂત આંદોલનને સાથ જાહેર કર્યો હતો. ભારતીય કિસાન સંઘે એવી સ્પષ્ટતા કરી હતી કે હવે ખેડૂત આંદોલનમાં રાજકીય પક્ષો જોડાઇ રહ્યા હતા અને આ વાત હવે ખેડૂતો પૂરતી રહી નહોતી, એમાં રાજકારણ ઘુસ્યું હતું.
એના પુરાવા રૂપે મંગળવારના બંધને કોંગ્રેસ. બસપા, સપા, ડીએમકે, ડાબેરીઓ , એનસીપી, ટીએમસી, આપ વગેરેએ સમર્થન જાહેર કર્યું હતું. હવે ખેડૂત આંદોલનને રાજકીય રંગ મળી ચૂક્યો હતો.
દરમિયાન, આજે બપોરે બે વાગ્યે સ્પોર્ટ્સ ક્લબમાં ત્રીસથી વધુ ખેલાડીઓ પેાતપોતાન એવોર્ડ અને ઇનામ અકરામ પાછા આપશે એવી જાહેરાત ખેલાડીઓ તરફથી કરાઇ હતી. અત્યાર અગાઉ પંજાબમાં કેટલાક નેતાઓ પોતાને મળેલા પદ્મ એવોર્ડ પાછાં આપી ચૂક્યા હતા.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36Q97Nr
via IFTTT
ટિપ્પણીઓ નથી: