શેખ હસીના સાથે PM મોદી આજે વર્ચ્યુઅલ મિટિંગ કરશે, બાંગ્લા દેશ સાથે કેટલીક સમજૂતી થશે

- બંને દેશો વચ્ચે ટ્રેન સેવા શરૂ થઇ રહી છે
નવી દિલ્હી તા.17 ડિસેંબર 2020 ગુરૂવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લા દેશના વડા પ્રધાન શેખ હસીના વચ્ચે આજે વર્ચ્યુઅલ મિટિંગ થશે અને બંને દેશો પરસ્પર કેટલીક સંધિ-સમજૂતી કરશે. વિડિયો કોન્ફરન્સ દ્વારા બંને નેતાઓ એકબીજાને ઉપયોગી એવા કેટલાક મુદ્દાઓની ચર્ચા કરશે.
વાસ્તવમાં આજે પંચાવન વર્ષના સમયગાળા બાદ ભારત અને બાંગ્લા દેશ (અગાઉના પૂર્વ પાકિસ્તાન) વચ્ચે ટ્રેન સેવા શરૂ થવાની છે. બંને દેશના નેતાએા આ ટ્રેન સેવાનું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધ પછી બાંગ્લા દેશનો ઉદય થયો એ પ્રસંગને વિજય દિન તરીકે ઊજવ્યાના ચોવીસ કલાક બાદ હવે ભારત બાંગ્લા દેશ વચ્ચે ટ્રેન સેવા શરૂ થઇ રહી હતી.
આસામ અને પશ્ચિમ બંગાળના બાંગ્લા દેશ સાથેના સંપર્કને શક્ય બનાવવા ચિલહાટી-હલ્દીવાડી વચ્ચે ટ્રેન સેવા શરૂ થઇ રહી હતી. સાથોસાથ બાંગ્લા દેશના રાષ્ટ્રપતિ શેખ મુજીબુર રહેમાનની જન્મશતાબ્દી નિમિત્તે તેમની સ્મૃતિમાં એક ટપાલ ટિકિટનું લોકાર્પણ પણ બંને વડા પ્રધાનો કરશે. 1965માં થયેલા ભારત પાકિસ્તાન યુદ્ધ પછી આ રેલવે માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો. પંચાવન વર્ષના ગાળા બાદ ફરી એકવાર આ રેલવે માર્ગ શરૂ થઇ રહ્યો હતો. આ રેલવે માર્ગ કૂચબિહાર અને બાંગ્લા દેશના ચિલહાટી વિસ્તારને જોડશે.
આ બેઠકમાં જળ વિતરણ, કોવિડ-19 સહકાર, વેપારમાં સંતુલન, સંપર્ક માર્ગ અને રોહિંગ્યા મુસ્લિમોના મુદ્દે પણ ચર્ચા થવાની શક્યતા હતી.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3airkoY
via IFTTT
ટિપ્પણીઓ નથી: