રાજ્યમાં કોરોનાનાં રેકોર્ડ તોડ 1640 પોઝિટિવ કેસ, 4 દર્દીનાં મોત કુલ મૃત્યુઆંક 4454

ગાંધીનગર, 22 માર્ચ 2021 સોમવાર 

ગૂજરાતમાં કોરોના સંક્રમણ હવે તીવ્ર ગતિેએ વધી રહ્યું છે, અને ફરી એક વખત ગુજરાતની જનતાનાં માથે લોકડાઉનનો ખતરો તોળાઇ રહેલો જોવા મળે છે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1640 નવા કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં 1110 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 2,76,348 લોકો કોરોનાને હરાવી ચુક્યા  છે. ચોંકાવનારી બાબત એ છે કે રાજ્યમાં રિકવરી રેટ ઘટીને 95.74 ટકા થયો છે. હાલમાં 7847 એક્ટિવ કેસ છે, જેમાંથી 73 લોકો વેન્ટિલેટર પર અને 7774 લોકોની સ્થિતી સ્ટેબલ છે. 

રાજ્યમાં આજે 4 દર્દીઓનાં કોરોના સંક્રમણથી મોત થયા છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2 મળી કુલ 4 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4454 લોકોના કોરોનાથી મોત થયા છે.  

રાજ્યની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને જિલ્લાઓમાં નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 481, સુરત કોર્પોરેશનમાં 429, વડોદરા કોર્પોરેશનમાં 139,  રાજકોટ  કોર્પોરેશનમાં 126, સુરતમાં 54, ખેડા 41, રાજકોટ 26, ભાવનગર કોર્પોરેશન -23, દાહોદ 23 ,  પંચમહાલ 23, જામનગર કોર્પોરેશન 22, વડોદરા 20,  ગાંધીનગર કોર્પોરેશન 19, કચ્છ 17, મોરબી 17, નર્મદા 16, ગાંધીનગર 15, પાટણ 15, ભરૂચ 14, મહેસાણા 12, અમરેલી 10, આણંદ 9, ભાવનગર 9, જુનાગઢ  કોર્પોરેશન 9,  ગીર સોમનાથ અને નવસારી 8-8 કેસ નોંધાયા છે.

રાજ્યમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ આજે કુલ 2,32,831 લોકોને રસી આપવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 32,74,493 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,03,693 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,22,186 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3r5K0x7
via IFTTT

ટિપ્પણીઓ નથી: