કોરોના વેક્સિન લેવા નહીં જાય આંદોલનકારી, ખેડૂત નેતાઓની માગ - સરકાર અહીં આવે


નવી દિલ્હી, તા. 22 માર્ચ 2021 સોમવાર

કોરોનાના વધતા કેસને જોતા ખેડૂત નેતાઓનુ કહેવુ છે કે જો સરકાર જરૂરી સમજે તો આંદોલનમાં સામેલ વૃદ્ધોને કોવિડ વેક્સિનેશન કરાવી શકે છે. તેથી સરકાર ધરણાસ્થળ પર આવીને વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ કરે. વૃદ્ધ ખેડૂત કોઈ સેન્ટરમાં જશે નહીં. ભાકિયુના રાષ્ટ્રીય પ્રવક્તા ધર્મેન્દ્ર મલિકનુ કહેવુ છે કે આ એક નવો રોગ જરૂર છે પરંતુ એટલો ભયાવહ નથી જેટલો સરકાર લાંબા સમયથી પ્રચાર કરી રહી છે.

ગાઝીપુર ધરણા પ્રબંધન કમિટીના નેતા જગતાર સિંહ બાઝવાએ જણાવ્યુ કે કોઈ પણ ધરણા સ્થળમાં કોવિડ-19 ના કેસ સામે આવ્યા નથી. ખેડૂત લગભગ 4 મહિનાથી દિલ્હી બોર્ડર પર ધરણા કરી રહ્યા છે. તે સમયે કોવિડના કેસ આજ કરતા વધારે આવી રહ્યા હતા. આંદોલનકારી કોઈ પણ ખેડૂતના મોત કોરોનાથી થયા નથી. ખેડૂત નેતાઓનો આરોપ છે કે સરકાર આંદોલન ખતમ કરાવવા માટે કોરોનાના બીજીવાર આવવાનો પ્રચાર ઘણા જોર શોરથી કરી રહ્યા છે.

ખેડૂત અહીંથી હટવાના નથી

તેમણે કહ્યુ કે આંદોલનકારી ખેડૂત જ્યાં બેઠા છે ત્યાં જ બેસી રહેશે. તે કોઈ પણ પરિસ્થિતિમાં ત્યાંથી હટવાના નથી. ખેડૂત નેતાઓનુ કહેવુ છે કે સરકારે પહેલા પણ જન અવાજોને કોરોનાનુ બહાનુ કરીને દબાવ્યો છે. ખેડૂત આંદોલનને કોરોનાનો ડર બતાવીને દબાવી શકાય નહીં. સરકારે જો એવો પ્રયત્ન કર્યો તો આંદોલન વધશે.

પ્રવક્તા ધર્મેન્દ્ર મલિકનુ કહેવુ છે કે માગ પૂરી થયા પહેલા ખેડૂત ઘરે પાછા જશે નહીં. ખેડૂત પોતાની અને ભાવિ પેઢી માટે જ આંદોલન કરી રહ્યા છે. ખાલી હાથ ઘરે પાછા જવાનો મતલબ થશે કે તેઓ હારી ગયા. એટલે ખેડૂત મરી ગયા. પરંતુ એવુ થશે નહીં. ખેડૂત આંદોલન ચાલુ રહેશે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ffw7u3
via IFTTT

ટિપ્પણીઓ નથી: