અમિત શાહ-શરદ પવાર મુલાકાત પર શિવસેનાએ પણ કહ્યુ કે, અટકળો અને અફવાઓનો અંત આવવો જોઈએ

મુંબઈ,તા. 29. માર્ચ, 2021 સોમવાર
એનસીપી અધ્યક્ષ શરદ પવાર અને ભાજપના નેતા તથા ગૃહ મંત્રી અમિત શાહ વચ્ચે થયેલી મુલાકાતની અટકળો વચ્ચે હવે શિવસેનાએ પણ સવાલ ઉઠાવ્યો છે.
આ પહેલા કોંગ્રેસે પણ આ મુદ્દે સ્પષ્ટતા કરવાની માંગણી કરી હતી અને હવે શિવસેના પ્રવક્તા સંજય રાઉતે પણ કહ્યુ છે કે, કેટલીક વાતો સમય સાથે સ્પષ્ટ થાય તે જરુરી છે નહીતર ભ્રમ પેદા થતો હોય છે.અફવાઓનો અંત આવે તે પણ જરુરી છે.હું વિશ્વાસ સાથે કહી શકુ છું કે શરદ પવાર અને અમિત શાહ વચ્ચે અમદાવાદ કે બીજી કોઈ પણ જગ્યાએ કોઈ ગુપ્ત બેઠક થઈ નથી.હવે અફવાનો અંત લાવવામાં આવે.કોઈના હાથમાં કશું આવવાનુ નથી.
પત્રકારના સવાલના જવાબમાં ઉલટાનુ રાઉતે કહ્યુ હતુ કે, તમે લોકો જ અફવા ફેલાવી રહ્યા છો અને જો મુલાકાત થઈ પણ હોય તો શું વાંધો છે..શું ગૃહ મંત્રી સાથે કોઈ નેતા મુલાકાત ના કરી શકે....
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં અનિલ દેશમુખ પર 100 કરોડની વસૂલીના મુકાયેલા આરોપો બાદ રાજકીય ઘમાસાણ તો ચાલી રહ્યુ છે અને તેવામાં શરદ પવાર તેમજ પ્રફુલ્લ પટેલ સાથે અમિત શાહની મુલાકાતની અટકળોથી રાજકીય તાપમાનનો પારો ઉપર ચઢી રહ્યો છે.
તેમાં વળી અમિત શાહે આ અંગે એવુ કહ્યુ હતુ કે, બધી વાતો જાહેર કરી શકાય તેવી નથી હોતી.તેના કારણે મુલાકાત પરની અટકળો વધારે તેજ બની છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ddpJkh
via IFTTT
ટિપ્પણીઓ નથી: