નીતિશ કુમારે રામ મનોહર લોહિયાને શ્રદ્ધાંજલિ પાઠવી ત્યારે આ કારણે લાલુ યાદવે નાક રગડવા કહ્યું

- લાલુ યાદવે નીતિશ કુમારને ઉચ્ચ કોટિના RSSના એજન્ટ કહ્યા
નવી દિલ્હી, તા. 24 માર્ચ, 2021, બુધવાર
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મંગળવારે, 23 માર્ચના રોજ ડૉ. રામ મનોહર લોહિયાની 111મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તે સમયે રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના અધ્યક્ષ લાલુ યાદવે નીતિશ કુમારને નિશાન પર લઈને તેમને ઘૂંટણિયે પડીને નાક રગડીને શર્માંજલિ અર્પિત કરવા કહ્યું હતું.
નીતિશ કુમારે રામ મનોહર લોહિયાને શ્રદ્ધાંજલિ પાઠવતા એક તસવીર શેર કરી હતી. તેને અનુલક્ષીને લાલુ યાદવે લખ્યું હતું કે, 'હે ઉચ્ચ કોટિના RSSના એજન્ટ અને 30 વર્ષના છોકરા દ્વારા હરાવવામાં આવેલા 40 બેઠકના કરોડરજ્જુ વગરના કથિત મુખ્યમંત્રી, તને લોહિયાજીને શ્રદ્ધાંજલિ પાઠવવાનો નૈતિક અધિકાર નથી, તારે તો શર્માંજલિ અર્પિત કરવી જોઈએ અને તે પણ ઘૂંટણિયે પડીને નાક રગડીને. લોહિયાજીની જયંતિ પર શું-શું કુકર્મ કર્યા છે તેં?'
લાલુ યાદવે નીતિશ કુમારને ટાર્ગેટ કરીને અનેક ટ્વીટ કરી હતી. રેલી દરમિયાન યુવા રાજદ કાર્યકરો પર પોલીસના લાઠીચાર્જને લઈ આરજેડી સુપ્રીમોએ લખ્યું હતું કે, 'લોહિયા જયંતિ પર નીતિશમાં હિટલર, મુસોલિની અને પોલ પૉટનો આત્મા સમાઈ ગયો છે. તે ક્યારે એટલા જ નિરંકુશ થઈ શકાય તે માટે ઉછળી રહ્યા છે. ગોબેલ્સ, હિમલર, હરમન જેવા તેમના અનેક સહાયકો તો છે જ, હવે હિટલરના SSની રાહ પર કાયદો બનાવીને બિહાર વિશેષ સશસ્ત્ર દળ વડે જનતા પર નિયંત્રણ ઈચ્છે છે. શરમ કરો.'
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3d1MWWn
via IFTTT
ટિપ્પણીઓ નથી: