જમ્મુ કાશ્મીરના સોપોરમાં કાઉન્સિલર્સની બેઠક દરમિયાન આતંકવાદી હુમલો, PSO સહિત બેના મોત


- બીડીસીના ચેરપર્સન ફરીદા ખાન ગંભીર રીતે ઘવાયા

નવી દિલ્હી, તા. 29 માર્ચ, 2021, સોમવાર

જમ્મુ કાશ્મીરના સોપોર ખાતે એક ભારે મોટી આતંકવાદી ઘટના બની છે. આતંકવાદીઓએ સોમવારે બીડીસીના ચેરપર્સન ફરીદા ખાન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક પીએસઓ સહિત બે લોકોના મોત થયા છે. 

હુમલામાં ફરીદા ખાન ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને તે વિસ્તારની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉપરાંત હુમલાની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે.  




from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3u0oJ9S
via IFTTT

ટિપ્પણીઓ નથી: