હું અહીં ખોટું બોલવા માટે આવ્યો નથી, મારું નામ નરેન્દ્ર મોદી નથી , તેઓ 24 કલાક ખોટું બોલે છે : રાહુલ ગાંધી

નવી દિલ્હી, તા. 31 માર્ચ 2021, બુધવાર
કોગ્રેસ પાર્ટા નેતા રાહુલ ગાંધી આજે આસામના પ્રવાસે છે. જ્યાં તેમણે કામરુપની અંદર એક સભાને સંબોધિત કરી હતી. પોતાના સંબોધન દરમિયાન તેમણે વજાપ્રધાન નરન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ લોકોને સંબોધિત કરતા કહ્યું કે હું અહીં ખોટું બોલવા માટે નથી આવ્યો.
રાહુલ ગાંધીએ કહ્યું કે મારું નામ નરેન્દ્ર મોદી નથી, હું અહીં ખોટું બોલવા માટે આવ્યો નથી. જો તમે આસામ, ખેડૂતો અને કોઇ પણ વસ્તુ વિશે ખોટું બોલવા માંગો છો તો તમે ટીવી શરુ કરી દો અને નરેન્દ્ર મોદીને જોઇ શકો છો, તમારે જેટલું સાંભળવું હોય તેટલું ખોટું સાંભળવા મળશે. તેઓ દેશ સાથે 24 લકાલ ખોટું બોલે છે.
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે ભાજપ રોજગાર આપવાના પ્રયાસ નથી કરતું, યુવાનોની મદદ પણ નતી કરતી પરંતુ આસામ પર આક્રમણ કરે છે. સીએએ આસામ પર આક્રમણ છે. આ માત્ર કાયદો નથી પરંતુ મારા ઇતિહાસ, સંસ્કૃતિ, ભાષા અને ભઆઇચારા પર આક્રમણ છે. જેથી અમે તેનો વિરોધ કરીએ છીએ.
રાહુલ ગાંધીએ પોતાની પાંચ ગેરેન્ટીવાળી વાતનું પુનરાવર્તન કર્યુ હતું સાથે જ કહ્યું કે અમે ભાજપ નથી, જે કહે છીએ તે કરીએ પણ છીએ. અમે છત્તીસગઢ, પંજાબમાં દેવામાફી કરીને બતાવી છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wfvQ0c
via IFTTT
ટિપ્પણીઓ નથી: