Mumbai New CP: મહારાષ્ટ્ર સરકારે મુંબઈ પોલીસ કમિશ્નર પરમબીર સિંહને પદ પરથી હટાવ્યા, જાણો કોને બનાવાયા નવા કમિશ્નર 

<p><strong>મુંબઈ:&nbsp; </strong>મહારાષ્ટ્ર સરકાર દ્વારા મુંબઈ પોલીસના કમિશ્નર પરમબીર સિંહને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. &nbsp;હવે તેમની જગ્યાએ હેમંત નગરાલેને મુંબઈ પોલીસના કમિશ્નર બનાવવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે ટ્વીટ કરીને તેની જાણકારી આપી હતી.</p> <p>&nbsp;</p> <p>તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, સરકારે મોટો નિર્ણય લીધો છે.&nbsp; હેમંત નગરાલે નવા મુંબઈ પોલીસ કમિશ્નર&nbsp; તરીકે નિમણૂંક કરવામાં આવી છે.&nbsp; રજનીશ સેઠને મહારાષ્ટ્ર પોલીસના ડીજીપીનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. પરબીર સિંહ પાસે હોમગાર્ડની જવાબદારી રહેશે.&nbsp;<br />&nbsp;</p> <p>ઉલ્લેખનીય છે કે, એન્ટીલિયા કેસમાં મુંબઈ પોલીસના અધિકારી સચિન વાજેની ધરપકડ બાદથી જ પરમબીર સિંહ પર પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં હતા. તેમને હટાવવાની અટકળો પણ ચાલી રહી હતી.&nbsp;</p> <p>મંગળવારે રાત્રે પરમબીર સિંહે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર પાસે ગયા મહિને વિસ્ફોટક ભરેલી એસયૂવી જપ્ત થયા બાદ આ કેસમાં NIAએ મદદનીશ પોલીસ કમિશ્નર સહિત ક્રાઈમ બ્રાન્ચના સાત અધિકારીઓના નિવેદન નોંધી ચૂક્યું છે.&nbsp;</p> <p><br />સોમવારે પોલીસ અધિકારી સચિન વાજેના ઓફિસની તપાસ કરવામાં આવી હતી. &nbsp;મંગળવારે મોડી રાત્રે NIAએ કહ્યું હતું કે, વાજે જે મર્સિડીઝ કારનો ઉપયોગ કરતા હતા તેને જપ્ત કરવામાં આવી છે. કારમાંથી પાંચ લાખ રૂપિયા પણ જપ્ત કરવામાં આવ્યા છે.&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://ift.tt/38P0x24" width="631" height="381" scrolling="no"></iframe></p>

from home https://ift.tt/3bR4mFU
via IFTTT

ટિપ્પણીઓ નથી: