1 જુલાઈથી ચાતુર્માસઃ શ્રાદ્ધ પક્ષ પછી 20 થી 25 દિવસ તહેવારો મોડાં શરૂ થશે, 160 વર્ષ પછી લીપ વર્ષ અને અધિકમાસ એક જ વર્ષમાં
1 જુલાઈએ દેવશયની એકાદશીથી ચાતુર્માસ શરૂ થઇ રહ્યા છે. ચાતુર્માસનો અર્થ તે ચાર મહિના જ્યારે શુભ કામ કરી વર્જિત હોય છે, તહેવારો શરૂ થાય છે. દેવશયની એકાદશીથી દેવઊઠની એકાદશી વચ્ચેના સમયને ચાતુર્માસ કહેવામાં આવે છે. આ વર્ષે અધિકમાસ હોવાના કારણે ચાતુર્માસ ચારની જગ્યાએ પાંચ મહિના સુધી રહેશે. શ્રાદ્ધ પક્ષ પછી આવતાં બધા જ તહેવાર લગભગ 20 થી 25 દિવસ મોડાં શરૂ થશે.
આ વર્ષે આસો મહિનામાં અધિકમાસ છે, એટલે 2 આસો માસ રહેશે. આ મહિનામાં શ્રાદ્ધ અને નવરાત્રિ અને દશેરા જેવા તહેવાર આવે છે. મોટાભાગે શ્રાદ્ધ પૂર્ણ થતાં જ નવરાત્રિ શરૂ થઇ જાય છે પરંતુ આ વર્ષે એવું થશે નહીં. 17 સપ્ટેમ્બર 2020એ શ્રાદ્ધ પૂર્ણ થશે અને બીજા દિવસથી અધિકમાસ શરૂ થઇ જશે, જે 16 ઓક્ટોબર સુધી ચાલશે.
17 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થશે. આ પ્રકારે શ્રાદ્ધ અને નવરાત્રિ વચ્ચે આ વર્ષે એક મહિનાનો સમય રહેશે. દશેરા 26 ઓક્ટોબરે અને દિવાળી 14 નવેમ્બરે ઉજવવામાં આવશે. 25 નવેમ્બરે દેવઉઠની એકાદશી રહેશે અને આ દિવસે ચાતુર્માસ પૂર્ણ થઇ જશે.
160 વર્ષ બાદ લીપ વર્ષ અને અધિક માસ એક જ વર્ષમાં-
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે, 19 વર્ષ પહેલાં 2001માં આસો મહિનાનો અધિકમાસ આવ્યો હતો. અંગ્રેજી કેલેન્ડરનું લીપ વર્ષ અને આસોના અધિકમાસનો યોગ 160 વર્ષ પછી બની રહ્યો છે. આ પહેલાં 1860માં અધિકમાસ આવ્યો હતો, જ્યારે તે વર્ષે લીપ વર્ષ પણ હતું.
દર ત્રણ વર્ષમાં અધિકમાસ આવે છેઃ-
પં. શર્મા પ્રમાણે એક સૂર્ય વર્ષ 365 દિવસ અને લગભગ 6 કલાકનું હોય છે, જ્યારે એક ચંદ્ર વર્ષ 354 દિવસનું માનવામાં આવે છે. બંને વર્ષની વચ્ચે લગભગ 11 દિવસનું અંતર હોય છે. આ અંતર દર ત્રણ વર્ષમાં લગભગ એક મહિના બરાબર થઇ જાય છે. આ અંતરને દૂર કરવા માટે દર ત્રણ વર્ષમાં એક ચંદ્ર માસ વધારે આવે છે, જેના કારણે તેને અધિકમાસનું નામ આપવામાં આવ્યું છે. અધિકમાસ પાછળ સંપૂર્ણ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ છે. જો અધિકમાસ ન હોય તો આપણાં તહેવારોની વ્યવસ્થા ખરાબ થઇ જાય છે. અધિકમાસના કારણે જ બધા તહેવારો પોતાના યોગ્ય સમયે આવે છે.
ચાતુર્માસમાં તપ અને ધ્યાન કરવાનું વિશેષ મહત્ત્વ છેઃ-
ચાતુર્માસમાં સંત એક જ સ્થાને રોકાઇને તપ અને ધ્યાન કરે છે. ચાતુર્માસમાં યાત્રા કરવી જોઇએ નહીં, કેમ કે, આ વર્ષા ઋતુનો સમય રહે છે, આ દરમિયાન નાના-નાની જીવ-જંતુ ઉત્પન્ન થાય છે. આ સમયે વિહાર કરવાથી આ નાના કીટાણુંઓને નુકસાન પહોંચવાની સંભાવના રહે છે. જેના કારણે જૈન ધર્મમાં ચાતુર્માસમાં સંત એક જ જગ્યાએ રોકાઇને તપ કરે છે. ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુ વિશ્રામ કરે છે અને સૃષ્ટિનું સંચાલન ભગવાન શિવ કરે છે. દેવઉઠની એકાદશી પછી વિષ્ણુજી ફરીથી સૃષ્ટિનો ભાર સંભાળે છે.
અધિકમાસને મળમાસ કેમ કહેવામાં આવે છે?
અધિકમાસમાં બધા જ પવિત્ર કર્મ વર્જિત માનવામાં આવે છે. આ સંપૂર્ણ મહિનામાં સૂર્ય સંક્રાંતિ રહેતી નથી. જેથી આ મહિનો મેલો કહેવાય છે અને એટલે જ તેને મળમાસ કહેવામાં આવે છે. મળમાસમાં નામકરણ, જનોઈ, લગ્ન, ગૃહપ્રવેશ, નવી બહુમૂલ્ય વસ્તુઓની ખરીદારી જેવા શુભ કર્મો કરી શકાતાં નથી.
અધિકમાસને પુરૂષોત્તમ માસ પણ કહેવામાં આવે છેઃ-
માન્યતા છે કે, મેલો મહિનો હોવાના કારણે કોઇપણ દેવતા આ મહિનાના સ્વામી થવાનું ઇચ્છતાં નથી, ત્યારે મળમાસને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી. મળમાસની પ્રાર્થના સાંભળીને વિષ્ણુજીએ તેને પોતાનું શ્રેષ્ઠ નામ પુરૂષોત્તમ પ્રદાન કર્યું. શ્રહરિએ મળમાસને વરદાન આપ્યું કે જે આ મહિનામાં ભાગવત કથા સાંભળશે, મનન કરશે, ભગવાન શિવનું પૂજન, ધાર્મિક અનુષ્ઠાન, દાન કરશે તેને અક્ષય પુણ્ય પ્રાપ્ત થશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31kRxPr
via IFTTT
ટિપ્પણીઓ નથી: