5.29 લાખ કેસઃ છેલ્લા 24 કલાકમાં 20 હજારથી વધુ કેસ, દિલ્હી 80 હજાર દર્દીઓ સાથે બીજા ક્રમે
દેશભરમાં અત્યાર સુધી 5 લાખ 29 હજારથી વધુ લોકો કોરોનાના સંકજામાં આવી ગયા છે. અને 16 હજાર 103 લોકોના અત્યાર સુધી કોરોનાના કારણે મોત થયા છે. સાથે જ દેશભરમાં 3 લાખ 10 હજારથી વધુ લોકો સાજા થયા છે.દેશભરમાં સૌથી વધુ 1 લાખ 59 હજારથી વધુ દર્દી તો માત્ર મહારાષ્ટ્રમાં જ છે. અહીંયા 7 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. તો 80 હજારથી વધુ દર્દીઓ સાથે દિલ્હી બીજા ક્રમે છે. અહીંયા 2 હજારથી વધુ લોકોના મોત થયા છે. દેશભરમાં છેલ્લા 24 કલાકની અંદર 20,132 કોરોનાના દર્દીઓ વધ્યા છે.
અપડેટ્સ
- પુડ્ડુચેરીના મુખ્યમંત્રીનો સ્ટાફ કોરોના પોઝિટિવ, CM વી નારાયણસામીને ક્વોરન્ટિન કરાયા છે.
- કર્ણાટકના બેંગલુરુમાં હવે દર રવિવારે ટોટલ લોકડાઉન રહેશે. નાઈટ કર્ફ્યૂ પણ એક કલાક પહેલા 8 વાગ્યાથી શરૂ થઈ જશે. બહારથી આવેલા લોકોને 14 દિવસ હોમ ક્વૉરન્ટીનમાં રહેવું પડશે. પરંતુ મહારાષ્ટ્રાથી પાછા આવ્યા પછી 7 દિવસ માટે ફરજીયાત પણે ક્વૉરન્ટીન સેન્ટરમાં રહેવું પડશે.
- તમિલનાડુના મદુરૈમાં પણ 27 થી 29 જૂન સુધી ટોટલ લોકડાઉન રહેશે. મદુરૈ જિલ્લા ક્લેક્ટરે આ સંબંધમાં આદેશ જાહેર કર્યા છે.
- આસામની રાજધાની ગુવાહાટીમાં 27 જૂનથી 14 દિવસ માટે ટોટલ લોકડાઉન શરૂ થશે. આ વખતે નિયમો પહેલા કરતા વધુ કડક હશે. રાજ્યમાં એસપી અને અન્ય અધિકારીઓ સહિત 30 પોઝિટિવ મળ્યા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3dA1AT2
via IFTTT
ટિપ્પણીઓ નથી: