અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઠાર માર્યા, AK-47 અને 2 પિસ્તોલ જપ્ત કરી
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓને ઠાર કરવામાં આર્મી અને પોલીસને સતત સફળતા મળી રહી છે. અનંતનાગ જિલ્લાના ખુલચોહર વિસ્તારમાં સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઠાર માર્યા છે. સાથે જAK-47 રાઈફલ અને 2 પિસ્તોલ પણ જપ્ત કરી છે. આતંકીઓના સંતાયા હોવાના ઈનપુટ મળ્યા પછી સિક્યોરિટી ફોર્સે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
#Khulchoharencountercocludes: 03 #unidentified#terrorists killed. Identication being ascertained. Search going on. Further details shall follow. @JmuKmrPolicehttps://t.co/D59U22ZUfc
— Kashmir Zone Police (@KashmirPolice) June 28, 2020
29 દિવસમાં 17 એન્કાઉન્ટર, 49 આતંકી ઠાર મરાયા
આ પહેલા 26 જૂને પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં સુરક્ષાદળોએ 3 આતંકી ઠાર માર્યા હતા. આ મહિને 17 એન્કાઉન્ટરમાં અત્યાર સુધી 49 આતંકી ઠાર મરાયા છે.
| તારીખ | સ્થળ | આતંકી ઠાર મરાયા |
| 1 જૂન | નૌશેરા | 3 |
| 2 જૂન | ત્રાલ(પુલવામા) | 2 |
| 3 જૂન | કંગન(પુલવામા) | 3 |
| 5 જૂન | કાલાકોટ (રાજૌરી) | 1 |
| 7 જૂન | રેબન(શોપિયા) | 5 |
| 8 જૂન | પિંજોરા(શોપિયા) | 4 |
| 10 જૂન | સુગૂ(શોપિયા) | 5 |
| 13જૂન | નિપોરા(કુલગામ) | 2 |
| 16 જૂૂન | તુર્કવંગમ(શોપિયા) | 3 |
| 18-19 જૂન | અવંતીપોરા અને શોપિયા | 8 |
| 21 જૂન | શોપિયા | 3 |
| 23 જૂન | બંદજૂ(પુલવામા) | 2 |
| 25જૂન | સોપોર(બારામૂલા) | 2 |
| 25-26 જૂન | ત્રાલ(પુલવામા) | 3 |
| 29 જૂન | ખુલચોહર(અનંતનાગ) | 3 |
| કુલ49 | ||
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2AcQGF7
via IFTTT
ટિપ્પણીઓ નથી: