રાજ્યમાં કુલ 32,023 કેસ, 23,248 દર્દી ડિસ્ચાર્જ અને 1,828ના મોત, ત્રણ દિવસથી સતત 600થી વધુ કેસ નોંધાયા
છેલ્લા ત્રણ દિવસથી દરરોજ 600થી વધુ કોરોનાના કેસો નોંધાય રહ્યાં છે, જ્યારે 15થી 20 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં નોંધાયેલા કુલ પોઝિટિવ કેસનો આંકડો 32,023 થયો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1828 થયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 23248 દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફર્યા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 626 કેસ નોંધાયા છે. જ્યારે 19 દર્દીના મોત અને 440 દર્દીઓ સાજા થયા છે.
રાજ્યસભાની ચૂંટણી બાદ ભરતસિંહનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
પ્રદેશ કોંગ્રેસના અગ્રણી ભરતસિંહ સોલંકીની તબિયત વધુ બગડતાં તેમને વડોદરાની હોસ્પિટલમાંથી અમદાવાદની હોસ્પિટલમાં રિફર કરાયા છે. રાજ્યસભાની ચૂંટણી બાદ તબિયત લથડતાં તેમનો કોરોનાનો રિપોર્ટ કરાવાયો હતો, જે પોઝિટિવ આવતા તેમને સારવાર અર્થે વડોદરાના માંજલપુરની બેન્કર્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જોકે સોમવારે તેમની તબિયત વધુ બગડતાં તેમને મોડી સાંજે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
ગઈકાલે 24 કલાકમાં ક્યાં કેટલા કેસ નોંધાયા
નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 236, સુરતમાં 206, વડોદરામાં 50,પાટણમાં 20, રાજકોટમાં 13, આણંદમાં 11, મહેસાણા, અમરેલીમાં 10-10, સુરેન્દ્રનગરમાં 9, ભરૂચમાં 8, ખેડામાં 7, જામનગર, અરવલ્લીમાં 6-6, ભાવનગરમાં 5, ગીર-સોમનાથ, જૂનાગઢમાં 3-3, ગાંધીનગર, નવસારી, કચ્છમાં 2-2, સાબરકાંઠા, બનાસકાંઠા, વલસાડ, બોટાદમાં 1-1 અને અન્ય રાજ્યના 8 કેસ નોંધાયા છે.
છેલ્લા 16દિવસથી રાજ્યમાં દરરોજ 500થી વધુ કેસ, અમદાવાદમાં 5દિવસથી 250થી ઓછા કેસ
|
તારીખ |
કેસ(કૌંસમાં અમદાવાદના કેસ) |
| 30 મે | 412(284) |
| 31 મે | 438 (299) |
| 1 જૂન | 423(314) |
| 2 જૂન | 415(279) |
| 3 જૂન | 485(290) |
| 4 જૂન | 492(291) |
| 5 જૂન | 510(324) |
| 6 જૂન | 498(289) |
| 7 જૂન | 480(318) |
| 8 જૂન | 477(346) |
| 9 જૂન | 470(331) |
| 10 જૂન | 510(343) |
| 11 જૂન | 513(330) |
| 12 જૂન | 495(327) |
| 13 જૂન | 517 (344) |
| 14 જૂન | 511(334) |
| 15 જૂન | 514(327) |
| 16 જૂન | 524(332) |
| 17 જૂન | 520(330) |
| 18 જૂન | 510(317) |
| 19 જૂન | 540(312) |
| 20 જૂન | 539 (306) |
| 21 જૂન | 580(273) |
| 22 જૂન | 563(314) |
| 23 જૂન | 549(235) |
| 24 જૂન | 572(215) |
| 25 જૂન | 577 (238) |
| 26 જૂન | 580(219) |
| 27 જૂન | 615(211) |
| 28 જૂન | 624(211) |
| 29 જૂન | 626(236) |
કુલ 32,023 દર્દી,1,828 ના મોત અને 23,248 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)
| શહેર | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
| અમદાવાદ | 20,716 | 1,432 | 15,831 |
| સુરત | 4,630 | 154 | 3143 |
| વડોદરા | 2215 | 47 | 1516 |
| ગાંધીનગર | 638 | 29 | 463 |
| ભાવનગર | 253 | 13 | 150 |
| બનાસકાંઠા | 177 | 10 | 154 |
| આણંદ | 207 | 13 | 175 |
| અરવલ્લી | 202 | 18 | 163 |
| રાજકોટ | 263 | 7 | 123 |
| મહેસાણા | 269 | 10 | 136 |
| પંચમહાલ | 173 | 15 | 136 |
| બોટાદ | 86 | 3 | 69 |
| મહીસાગર | 134 | 2 | 112 |
| પાટણ | 195 | 15 | 109 |
| ખેડા | 152 | 6 | 104 |
| સાબરકાંઠા | 170 | 9 | 115 |
| જામનગર | 198 | 4 | 95 |
| ભરૂચ | 220 | 9 | 102 |
| કચ્છ | 153 | 5 | 91 |
| દાહોદ | 59 | 0 | 43 |
| ગીર-સોમનાથ | 73 | 1 | 47 |
| છોટાઉદેપુર | 55 | 2 | 37 |
| વલસાડ | 130 | 3 | 55 |
| નર્મદા | 89 | 0 | 37 |
| દેવભૂમિ દ્વારકા | 22 | 1 | 15 |
| જૂનાગઢ | 93 | 2 | 47 |
| નવસારી | 95 | 1 | 41 |
| પોરબંદર | 16 | 2 | 10 |
| સુરેન્દ્રનગર | 138 | 7 | 70 |
| મોરબી | 20 | 1 | 8 |
| તાપી | 8 | 0 | 6 |
| ડાંગ | 4 | 0 | 4 |
| અમરેલી | 82 | 6 | 31 |
| અન્ય રાજ્ય | 87 | 1 | 8 |
| કુલ | 32,023 | 1,828 | 23,248 |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3dE89Ec
via IFTTT
ટિપ્પણીઓ નથી: