મન કી બાત: 26 જાન્યુઆરીએ તિરંગાનુ અપમાન જોઈ ખૂબ દુ:ખ થયુ - વડા પ્રધાન મોદી


નવી દિલ્હી, તા. 31 જાન્યુઆરી 2021 રવિવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યુ કે 26 જાન્યુઆરીએ તિરંગાનુ અપમાન જોઈને દેશ ખૂબ દુ:ખી થયો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે રાષ્ટ્રપતિ જી દ્વારા સંસદના સંયુક્ત સત્રના સંબોધન બાદ બજેટ સત્ર પણ શરૂ થઈ ગયુ છે.

આ તમામની વચ્ચે વધુ એક કાર્ય થયુ જેની આપણે સૌ રાહ જોઈ રહ્યા હતા એ છે પદ્મ પુરસ્કારોની જાહેરાત. આ વર્ષે પણ, પુરસ્કાર મેળવનારમાં, તે લોકો સામેલ છે. જેમણે અલગ-અલગ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામ કર્યુ છે. પોતાના કાર્યથી કોઈકનુ જીવન બદલ્યુ છે, દેશને આગળ વધાર્યો છે.

પીએમ મોદીએ કહ્યુ કે રાષ્ટ્રે અસાધારણ કાર્ય કરી રહેલા લોકોને તેમની ઉપલબ્ધિઓ અને માનવતા પ્રત્યે તેમના યોગદાન માટે સન્માનિત કર્યા. એટલે, જમીની સ્તર પર કામ કરનાર Unsung Heroesને પદ્મ સન્માન આપવાની જે પરંપરા દેશે કેટલાક વર્ષ પહેલા શરૂ કરી હતી, તે આ વખતે પણ કાયમ રાખવામાં આવી છે.

પીએમ મોદીએ કહ્યુ કે આ મહિને, ક્રિકેટ પિચથી પણ ઘણા સારા સમાચાર મળ્યા. આપણી ક્રિકેટ ટીમે શરૂઆતી મુશ્કેલીઓ બાદ, શાનદાર વાપસી કરતા ઑસ્ટ્રેલિયામાં સિરીઝ જીતી. આપણા ખેલાડીઓનુ હાર્ડ વર્ક અને ટીમવર્ક પ્રેરિક કરનારૂ છે. જે બાદ 26 જાન્યુઆરીએ દિલ્હી હિંસાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યુ કે આ સૌની વચ્ચે દિલ્હીમાં 26 જાન્યુઆરીએ તિરંગાનુ અપમાન જોઈ દેશ ઘણો દુ:ખી થયો.

મેડ ઈન ઈન્ડિયા વેક્સિન આત્મનિર્ભર ભારતનુ પ્રતીક

વડા પ્રધાન મોદીએ કોરોના રસીકરણની ચર્ચા કરતા કહ્યુ કે કોરોના વિરૂદ્ધ ભારતની લડત એક ઉદાહરણ બની છે. તેવી જ રીતે હવે આપણો રસીકરણ કાર્યક્રમ પણ દુનિયામાં એક મિસાલ બની રહ્યો છે. આજે ભારત દુનિયાનો સૌથી મોટો કોવિડ વેક્સિન પ્રોગ્રામ ચલાવી રહ્યો છે.

પીએમ મોદીએ કહ્યુ કે આપ જાણો છો વધારે ગર્વની વાત કઈ છે? આપણે સૌથી મોટા વેક્સિન પ્રોગ્રામની સાથે જ દુનિયામાં સૌથી તેજ ગતિથી પોતાના નાગરિકોનું રસીકરણ પણ કરી રહ્યા છે. માત્ર 15 દિવસમાં ભારત પોતાના 30 લાખથી વધારે કોરોના વોરિયરની રસીકરણ કરી ચૂક્યુ છે. જ્યારે અમેરિકા જેવા સમૃદ્ધ દેશને આ કામમાં, 18 દિવસ લાગ્યા હતા અને બ્રિટનને 36 દિવસ. પીએમ મોદીએ કહ્યુ કે સાથીઓ, મેડ ઈન ઈન્ડિયા વેક્સિન આજે ભારતની આત્મનિર્ભરતાનુ તો પ્રતીક છે ભારતના આત્મગૌરવનુ પણ પ્રતીક છે.

આ વર્ષથી સ્વતંત્રતા દિવસનો અમૃત મહોત્સવ શરૂ

મન કી બાતમાં પીએમ મોદીએ કહ્યુ આ વર્ષથી ભારત પોતાના આઝાદીના 75 વર્ષનો સમારોહ અમૃત મહોત્સવ શરૂ કરવા જઈ રહ્યા છે. એવામાં આ અમારા તે મહાનાયકો સાથે જોડાયેલી સ્થાનિક સ્થળોની જાણકારી મેળવવાનો શ્રેષ્ઠ સમય છે. જેના કારણે આપણને આઝાદી મળી. હુ તે શહીદોને નમન કરૂ છુ અને તેમના સાહસનુ શ્રદ્ધપૂર્વક સ્મરણ કરૂ છુ હુ જયરામ વિપ્લવજીને ધન્યવાદ આપવા ઈચ્છુ છુ. તે એક એવી ઘટનાને દેશની સામે લઈને આવ્યા, જેની પર એટલી ચર્ચા થઈ શકી નહીં. જેટલી થવી જોઈએ. 

મુંગેરના રહેવાસી જયરામ વિપ્લવજીએ મને તારાપુર શહીદ દિવસ વિશે લખ્યુ છે. એવામાં એ વાત ઘણી મહત્વપૂર્ણ છે કે તેમના સંઘર્ષો અને તેમની સાથે જોડાયેલી યાદોને આપણે સાચવીને રાખી અને આ માટે તેમના વિશે લખીને આપણે આપણી ભાવિ પેઢીઓ માટે તેમની સ્મૃતિઓને જીવિત રાખી શકે છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3j2tM5m
via IFTTT

ટિપ્પણીઓ નથી: