દેશમાં કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં 39726 નવા કેસ, 154 લોકોએ ગુમાવ્યો જીવ

- ગુજરાતમાં અમદાવાદ, સુરતમાં નાઈટ કર્ફ્યુ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો
નવી દિલ્હી, તા. 19 માર્ચ, 2021, શુક્રવાર
દેશમાં કોરોનાના કેસમાં ભારે મોટો ઉછાળો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 39726 નવા કેસ સામે આવ્યા છે અને 154 લોકોના મોત થયા છે. આ સાથે જ દેશમાં કુલ દર્દીઓની સંખ્યા 1 કરોડ 1 લાખ 14 હજાર 311 થઈ ગઈ છે જેમાંથી 1 કરોડ 10 લાખ 83 હજાર 679 લોકો સાજા થઈ ચુક્યા છે.
છેલ્લા 24 કલાકમાં 20 હજાર 654 લોકો સાજા થઈ ગયા છે અને દેશમાં હવે એક્ટિવ કેસની સંખ્યા 2 લાખ 71 હજાર 282 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 1 લાખ 59 હજાર 370 લોકોના મોત થયા છે. કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે વેક્સિનેશનની ઝડપ પણ વધારાઈ છે. અત્યાર સુધીમાં 3 કરોડ 93 લાખ 39 હજાર 817 વેક્સિન ડોઝ આપી દેવાયા છે.
મહારાષ્ટ્રમાં એક દિવસમાં 25,833 નવા કેસ
કોરોનાના વધી રહેલા કેસના કારણે મહારાષ્ટ્ર સૌથી વધુ સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 25,833 કેસ નોંધાયા છે અને તે સપ્ટેમ્બર બાદનો સૌથી મોટો આંકડો છે.
ગુજરાતમાં 1,276 નવા કેસ
કોરોના વાયરસે ગુજરાતમાં પણ ફરી પગપેસારો કર્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,276 નવા કેસ સામે આવ્યા છે અને અમદાવાદ, સુરતમાં નાઈટ કર્ફ્યુ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત રાતના 9થી સવારના 6 સુધી માર્કેટ, મોલ વગેરે પણ બંધ રહેશે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38VZnSB
via IFTTT
ટિપ્પણીઓ નથી: