આ ત્રણ બેંકના ખાતાધારકોએ 31 માર્ચ પહેલા પોતાનો IFSC Code બદલી લેવો પડશે નહીં તો થશે મુશ્કેલી

<p>જો તમે આંધ્રા બેંક, (Andhra Bank), કોર્પોરેશન બેંક (Corporation Bank) , અથવા પંજાબ નેશનલ બેંક (PNB)ના ખાતાધારક છો તો આ મહિને તેમણે એક જરૂરી કામ કરવું પડશે. આ ત્રણેય બેંકના ખાતાધારકોએ 31 માર્ચ સુધીમાં પોતાનો આઈએફએસસી કોડ (IFSC Code) બદલાવી લેવો પડશે. જો તમે 31 માર્ચ સુધી આઈએફએસસી કોડ બદલવાથી ચૂકી જશો તો 1 એપ્રિલથી તમને રૂપિયા ટ્રાન્સફર કરવામાં મુશ્કેલી થશે.&nbsp;</p> <p>આંધ્રા બેંક અને કોર્પોરેશન બેંકનું યૂનિયન બેંકમાં મર્જર થઈ ગયું છે. એવામાં આ બેંકોમાં કેટલાક જરૂરી ફેરફાર 1 એપ્રિલથી લાગુ થઈ જશે. પંજાબ નેશનલ બેંક પણ 1 એપ્રિલથી કેટલાક ફેરફાર કરવા જઈ રહી છે જેના વિશે જાણવું જરૂરી છે.&nbsp;</p> <p><strong>આંધ્રા બેંક અનો કોર્પોરેશનના ખાતાધારકો ધ્યાન આપે</strong></p> <p>આંધ્રા બેંક અથવા કોર્પોરેશન બેંકમાં 1 એપ્રિલથી જૂના આઈએફએસસી કોડ કામ નહીં કરે. માટે 31 માર્ચ સુધીમાં નવો આઈએફએસસી કોડ બદલાવી લેવો.&nbsp;</p> <p>1 એપ્રિલથી આંદ્રા બેંકનો IFSC કોડ UBIN08 શરૂ થસે અને કોર્પોરેશન બેંકનો IFSC કોડ UBIN09થી શરૂ થશે. ખાતાધારકોએ નવી ચેક બુક પણ લેવાની રહેશે, જે યૂનિયન બેંકની હશે.&nbsp;</p> <p><strong>આ રીતે બદલો આઈએફએસસી કોડ</strong></p> <p>આઈએફએસસી કોડ બદલવા માટે https://ift.tt/1eIVmf3 પર જવાનું રહેશે. ત્યાર બાદ તમે amaigamation Centre પર ક્લિક કરશો તો તમારો અપડેટ આઈએફએસસી કોડ જોવા મળશે. બેંકના કસ્ટમર કેયર નંબર 18002082244 &nbsp;અથવા 18004251515 અથવા 18004253555 પર ફોન પણ કરી શકાય છે.&nbsp;</p> <p><strong>પીએનબી ગ્રાહકો ધ્યાન આપે</strong></p> <p>પંજાબ નેશનલ બેંકો પોતાના ગ્રાહકોને કહ્યું છે કે, તે 1 એપ્રિલથી પહેલા પોતાનો આઈએફએસસી કોડ અને એમઆઈસીઆર કોડ બદલાવી લે. પંજાબ નેશનલ અનુસાર 31 માર્ચ 2021 બાદ જૂનો કોડ કામ નહીં કરે.&nbsp;</p>

from home https://ift.tt/3btssWZ
via IFTTT

ટિપ્પણીઓ નથી: