પશ્ચિમ બંગાળઃ સ્વપ્નદાસ ગુપ્તાને ટિકિટ આપી બરાબરની ભરાઈ BJP, જાણો શું છે કારણ ?


- મહુઆ મોઈત્રાએ દાસગુપ્તાની રાજ્યસભાની સદસ્યતા અયોગ્ય ઘોષિત કરવાનો મુદ્દો ઉઠાવ્યો

નવી દિલ્હી, તા. 16 માર્ચ, 2021, મંગળવાર

બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કરને અનુલક્ષીને આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર ચાલુ છે. ભાજપે રાજ્યસભાના સદસ્ય અને બંગાળના રાજકારણના મોટા ચહેરા ગણાતા સ્વપ્ન દાસગુપ્તાને હુગલી જિલ્લાની તારકેશ્વર વિધાનસભા બેઠકના ઉમેદવાર બનાવ્યા છે જેનો ટીએમસી વિરોધ કરી રહી છે. 

પશ્ચિમ બંગાળમાં 6 એપ્રિલના રોજ યોજાનારા ત્રીજા તબક્કાના મતદાન માટે રવિવારે ભાજપે 26 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા જેમાં સ્વપ્ન દાસગુપ્તાનું નામ પણ સામેલ હતું. પરંતુ હવે ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ દાસગુપ્તાની રાજ્યસભાની સદસ્યતા ખતમ કરવા વિશેષ પ્રસ્તાવ લાવવા તૈયારી કરી રહી છે. 

દાસગુપ્તા ઉચ્ચ સદનના નામાંકિત સદસ્ય છે અને ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ ભારતના બંધારણની 10મી અનુસૂચીની જોગવાઈ પ્રમાણે તેમની સ્થિતિનો હવાલો આપીને સૌથી પહેલા દાસગુપ્તાની ઉમેદવારીને લઈ મુદ્દો ઉઠાવ્યો છે. 

સાંસદ મોઈત્રાએ ટ્વીટમાં લખ્યું હતું કે, સ્વપ્ન દાસગુપ્તા પશ્ચિમ બંગાળની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર છે. બંધારણની 10મી અનુસૂચિ પ્રમાણે જો રાજ્યસભાના કોઈ નામાંકિત સાંસદ શપથ ગ્રહણ કર્યા અને તેના 6 મહિનાની અવધિ સમાપ્ત થયા બાદ કોઈ રાજકીય પાર્ટીમાં સામેલ થાય તો તેને રાજ્યસભાની સદસ્યતા માટે અયોગ્ય જાહેર કરી દેવામાં આવશે. તેમને એપ્રિલ 2016માં શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા જે હજુ ચાલુ છે. હવે તેમને ભાજપમાં જોડાવા બદલ અયોગ્ય ઘોષિત કરવા જોઈએ. 

  



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tl0LWz
via IFTTT

ટિપ્પણીઓ નથી: