રંગમાં ભંગ : રાજ્યમાં મર્યાદિત સંખ્યામાં હોળી પ્રગટાવી શકાશે, ધૂળેટીની ઉજવણી પર પ્રતિબંધ

અમદાવાદ, તા. 21 માર્ચ 2020, રવિવાર
દેશમાં ફરી એક વખત કોરોના વાયરસનો કહેર શરુ થયો છે. દિવસને દિવસે કોરોના કેસનો આંક વધી રહ્યો છે. જેમાંથી ગુજરાત રાજ્ય પણ બાકાત નથી. દેશના પાંચ રાજ્યો કે જ્યાં સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે, તેમાં ગુજરાત પણ સામેલ છે. ત્યારે કોરોનાના વધતા ફેલાવાને અટકાવવા માટે રાજ્ય સરકારે ફરી વખત વિવિધ પ્રતિબંધો લાગુ કર્યા છે.
ત્યારે આ વધતા જતા કોરોનાની સીધી અસર હોળી-ધૂળેટીના તહેવાર પર થઇ છે. લોકોને આમ પણ ડર હતો જ કે કોરોના જે રીતે વધી રહ્યો છે તેને જોતા તેમની હોળી બગડશે. લોકોનો આ ડર એકદમ સાચો પડ્યો છે. રાજ્ય સરકારે હોળીવ ધૂળેટીના તહેવારની ઉજવણીને શરતો સાથે મંજૂરી આપી છે. જેના કારણે આ વખતે રંગોના તહેવારમાં ભંગ પડ્યો છે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ વિશે માહિતિ આપી છે. નીતિન પટેલે જણાવ્યું કે મર્યાદિત સંખ્યામાં લોકો હોળીને પ્રગટાવી શકશે. સાથે જ હોળી માટેની ધાર્મિક વિધિને પણ મંજૂરી આપવામાં આવી છે. જ્યારે ધૂળેટીના ઉજવણી પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કોઇ પણ પ્રકારના નાના કે મોટા રંગોત્સવના કાર્યક્રમોને મંજૂરી મળશે નહીં.
નીતિન પટેલે જણાવ્યું કે મને વિશ્વાસ છે કે રાજ્યના નાગરિકો જાગૃત છે એટલે કોઈ પણ વ્યક્તિ કોરોનાનું સંક્રમણ ન થાય એટલે હોળી રમશે નહીં. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજય રુપાણીની અધ્યક્ષતામાં કોર કમિટિની બેઠક મળી હતી. જેની અંદર આ નિર્ણય લેવામાં આવ્યો છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OUMd15
via IFTTT
ટિપ્પણીઓ નથી: