ઘાટીમાં રોહિંગ્યાઓને મદદ કરનારાઓ નિશાન પર, મોટા ભાગની સંસ્થાઓ કાશ્મીરની

- રોહિંગ્યાઓમાં કટ્ટરતાની ભાવના જન્માવાઈ હોવાની પણ શંકા
જમ્મુ, તા. 8 માર્ચ, 2021, સોમવાર
જમ્મુ કાશ્મીરમાં ગેરકાયદેસર રીતે રહેતા રોહિંગ્યાઓ વિરૂદ્ધ કાર્યવાહી બાદ હવે તેમને મદદ કરનારા લોકો પર નિશાન સાધવામાં આવ્યું છે. સરકારે રોહિંગ્યાઓને મદદ કરનારા એનજીઓ, વ્યક્તિગત લોકો, ધર્મ પ્રચારકોની તપાસ કરવા તૈયારી હાથ ધરી છે. તે પૈકીના મોટા ભાગના કાશ્મીરમાં રહેનારાઓ છે.
સરકારી સૂત્રો તરફથી મળતા અહેવાલ પ્રમાણે આ મદદકર્તાઓને ચિહ્નિત કરી લેવામાં આવ્યા છે. તેઓ રોહિંગ્યાઓને અભ્યાસ તથા ખાવા-પીવાના સામાન સ્વરૂપે મદદ પહોંચાડતા આવ્યા હતા. આ સંસ્થાઓને બાહ્ય લોકોની મદદ મળતી હોવાની આશંકા છે. બાળકોને આસપાસની મદરેસાઓમાં મોકલવાની સાથે તેમને વસ્તીમાં જ ભણાવવામાં આવતા હતા. તેમનામાં કટ્ટરતાની ભાવના જન્માવાઈ હોવાની પણ શંકા છે.
આ સંસ્થાઓની પૃષ્ઠભૂમિ, તેમના બેંક એકાઉન્ટ અને ઓડિટ રિપોર્ટની તપાસ કરવામાં આવશે જેથી બધું સ્પષ્ટ થઈ જાય. એક એનજીઓએ સૌથી પહેલા બઠિંડી અને સુજુવાં ક્ષેત્રમાં 45-50 જેટલા રોહિંગ્યાઓને લાવીને વસાવ્યા હતા અને પછી ધીમે-ધીમે તેમની સંખ્યા વધતી ગઈ તેવો અહેવાલ છે. તેમણે જમ્મુની બહારના વિસ્તારમાં 30થી વધારે જગ્યાએ પોતાની અસ્થાયી વસાહતો ઉભી કરી દીધી હતી. તેમાં સૈન્ય કેમ્પથી નજીક આવેલા સુજુવાં અને નગરોટા જેવા વિસ્તારોનો પણ સમાવેશ થાય છે.
એક અહેવાલ પ્રમાણે શ્રીનગર ઉપરાંત દિલ્હીની કેટલીક સંસ્થાઓ પણ તેમને મદદ કરતી હતી. મહિનામાં 2થી 3 વખત આ સંસ્થાઓના પ્રતિનિધિ રોહિંગ્યા વસ્તીઓમાં પહોંચીને તેમને આર્થિક અને અભ્યાસ સંબંધિત વસ્તુઓની મદદ કરતા હતા.
તે સિવાય આ સંસ્થાઓના અન્ય લોકો આખો મહિનો ત્યાં રહી રોહિંગ્યા વસ્તીમાં આવન-જાવન અને બેઠક-ઉઠક રાખતા હોવાની આશંકા છે. આ સંસ્થાઓની તપાસ દ્વારા રોહિંગ્યાઓને જમ્મુ લાવીને તેમને વસાવવાની યોજના કેવી રીતે બની તેનો ખુલાસો પણ થઈ શકે છે. આ પાછળ જમ્મુની ડેમોગ્રાફીમાં ફેરફારનો ઉદ્દેશ્ય તો નહોતો તે જાણવામાં આવશે.
જરૂરિયાત પ્રમાણે ડિટેન્શન સેન્ટર્સ બનાવાશે
રોહિંગ્યાઓના વેરિફિકેશનની કાર્યવાહી આગળ પણ ચાલતી રહેશે. જેટલા પણ ડિટેન્શન સેન્ટર્સની જરૂર પડશે તેટલા બનાવવામાં આવશે. અહીં રહેતા રોહિંગ્યાઓ ગેરકાયદેસર છે. તેમના પાસે યુએનએચઆરસીનું પ્રમાણપત્ર નથી. તે તમામ વિરૂદ્ધ પાસપોર્ટ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. જાણવા મળ્યા મુજબ રોહિંગ્યાઓએ યુએનએચઆરસી માટે અરજી જમા કરી રાખી છે અને તેના રીસિવિંગના આધાર પર વસી રહ્યા છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qq8NeM
via IFTTT
ટિપ્પણીઓ નથી: