Gujarat Corona Cases Update: રાજ્યમાં કોરોનાના 555 નવા કેસ નોંધાયા, 482 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસે ફરી માથુ ઉંચક્યું છે. છેલ્લા 24 કલાકમાં 555 નવા કેસ નોંધાયા હતા જ્યારે 482 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં એક મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4416 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 266313 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.22 ટકા પર પહોંચ્યો છે. હાલ 3212 એક્ટિવ કેસ છે, જેમાંથી 41 લોકો વેન્ટિલેટર પર અને 3171 લોકો સ્ટેબલ છે. <strong>આજે ક્યા કેટલા કેસ નોંધાયા ?</strong><webviewContentData> આજે અમદાવાદ કોર્પોરેશનમાં 126, સુરત કોર્પોરેશન 90, વડોદરા કોર્પોરેશનમાં 89, રાજકોટ કોર્પોરેશન 35, પંચમહાલ 18, આણંદ 16, ભાવનગર કોર્પોરેશન 14, ખેડા 14, વડોદરા 14, સાબરકાંઠા 12, ભરૂચ 11, કચ્છ 11, દાહોદ 10, સુરત 10, મહીસાગર અને રાજકોટમાં 9-9 કેસ નોંધાયા હતા. વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 15,01,253 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 3,57,654 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે રાજ્યમાં કુલ 1,08,226 લોકોને રસી આપવામાં આવી છે.
from home https://ift.tt/30nlIDL
via IFTTT
from home https://ift.tt/30nlIDL
via IFTTT
ટિપ્પણીઓ નથી: