અમદાવાદ પહોંચ્યાં PM મોદી, કેવડીયા ખાતે સૈન્ય અધિકારીઓને કરશે સંબોધિત


- પહેલી વખત સંયુક્ત કમાન્ડર કોન્ફરન્સમાં જવાનો અને જુનિયર કમિશન્ડ અધિકારીઓની ભાગીદારી જોવા મળશે

નવી દિલ્હી, તા. 6 માર્ચ, 2021, શનિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (શનિવારે) ગુજરાતના કેવડીયા ખાતે સૈન્ય કમાન્ડર્સની કોન્ફરન્સને સંબોધિત કરશે. પહેલી વખત સંયુક્ત કમાન્ડર કોન્ફરન્સમાં જવાનો અને જુનિયર કમિશન્ડ અધિકારીઓ (JCO)ની ભાગીદારી જોવા મળશે. 

ખૂબ મહત્વનો ટાઈમિંગ

ગત વર્ષે કોરોના વાયરસ મહામારીના કારણે વાર્ષિક સંયુક્ત કમાન્ડર કોન્ફરન્સ રદ્દ કરવામાં આવી હતી. 2014માં સૌ પ્રથમ વખત CCCની બેઠક યોજાઈ હતી અને તે સમયે જ ત્રણેય સેનાએ દિલ્હીની બહાર સંમેલન યોજવા સૂચન આપ્યું હતું. 

ભારત અને ચીન પૂર્વીય લદ્દાખમાં આશરે 9 મહિનાના સંઘર્ષ બાદ સ્થિતિ સામાન્ય કરવા પ્રયત્નશીલ છે તેવા સમયે આ બેઠક યોજાઈ રહી છે. પૈંગોગ લેક વિસ્તારમાં એક હિંસક અથડામણ બાદ ગત વર્ષે 5 મેના રોજ ભારત અને ચીન વચ્ચેનો તણાવ વધ્યો હતો. 

આ અધિકારીઓ પણ ઉપસ્થિત

ગુરૂવારે 3 દિવસ માટેની સૈન્ય કમાન્ડર્સની કોન્ફરન્સ (CCC)ની શરૂઆત થઈ હતી. એનએસએ અજીત ડોભાલ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, સેના પ્રમુખ એમ.એમ. નરવણે, એર ચીફ માર્શલ આર.કે.એસ. ભદૌરિયા, નૌસેના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહ તથા સંરક્ષણ મંત્રાલય અને સેનાના વરિષ્ઠ અધિકારીઓ આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે. આ દરમિયાન વડાપ્રધાન ચીન અને પાકિસ્તાનની સરહદે ભારતની તૈયારીઓની સમીક્ષા કરશે તથા સેનાના ત્રણેય અંગોની એકીકૃત કમાન બનાવવા મામલે પ્રગતિની સમીક્ષા કરશે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PHNicZ
via IFTTT

ટિપ્પણીઓ નથી: