ગ્રહણ સમયે મનોકામના પ્રમાણે જાપ કરો, બપોરે 1.38 વાગ્યા સુધી ગ્રહણ રહેશે, આ સમયે પૂજા કરશો નહીં
આજે સૂર્યગ્રહણ છે. તેની શરૂઆત સવારે 10.14 વાગ્યાથી થશે અને બપોરે 1.38 વાગ્યે આ ગ્રહણ પૂર્ણ થઇ જશે. તેનું સૂતક શનિવાર રાતે 10.14 વાગ્યાથી શરૂ થઇ ગયું છે. ગ્રહણ પૂર્ણ થવાની સાથે જ સૂતક કાળ પણ પૂર્ણ થઇ જશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે ગ્રહણ સમયે પૂજા-પાઠ કરવા જોઇએ નહીં. માત્ર મંત્રનો જાપ કરવો.
શ્રીરામચરિત માનસમાં થોડી એવી ચોપાઇઓ છે, જેનો જાપ મંત્રની જેમ જ કરી શકાય છે. વિવિધ મનોકામનાઓ માટે વિવિધ ચોપાઇઓ ઉલ્લેખવામાં આવી છે.
સુખ-સમૃદ્ધિ જાળવી રાખવા માટેઃ-
अतिथि पूज्य प्रियतम पुरारी के, कामद धन दारिद दवारि के।
ધન સંબંધિત પરેશાની દૂર કરવા માટેઃ-
विश्व भरण पोषण कर जोई, ताकर नाम भरत अस होई।
મનોકામનાઓ પૂર્ણ કરવા માટેઃ-
जेहि के जेहि पर सत सनेहु, सो तेहि मिलहीं न कछु संदेहु।
વિદ્યા પ્રાપ્ત કરવા માટેઃ-
गुरु गृह गए पढ़न रघुराई, अल्प काल विद्या सब पाई।
ઘર-પરિવારમાં પ્રસિદ્ધિ મેળવવા માટેઃ-
सब नर करहि परस्पर प्रीति, चलहि स्वधर्म निरख श्रुति नीति।
પરેશાનીઓ દૂર કરવા માટેઃ-
राजीव नयन धरे धनुषायक, भगत विपती भंजन सुखदायक।
સફળતા મેળવવા માટેઃ-
कवन सो कठिन जग माहि, जो नही होत तात तुम पाही।
માનસિક તણાવ દૂર કરવા માટેઃ-
हनुमान अंगद रन गाजे, हांक सुनत रजनीचर भाजे।
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3em9MaP
via IFTTT
ટિપ્પણીઓ નથી: