ચીને કહ્યું કે, ‘15 જૂને થયેલી હિંસક અથડામણમાં અમારા કમાન્ડિંગ ઓફિસર મૃત્યુ પામ્યા હતા’, એક અઠવાડિયા પછી સ્વીકાર્યું
ગલવાન ખીણમાં 15 જૂને થયેલી હિંસક અથડામણમાં ચીનનો પણ એક કમાન્ડિંગ ઓફિસર માર્યો ગયો હતો. ઘટનાના આશરે એક સપ્તાહ બાદ ચીનની સેનાએ આ વાત સ્વીકારી હતી. સૂત્રો મુજબ ચીનની સેનાએ સોમવારે બંને દેશોના લેફ્ટનન્ટ જનરલ સ્તરના અધિકારીઓની બેઠક દરમિયાન આ વાત સ્વીકારી હતી. 15 જૂનની અથડામણ પછી આ સૈન્ય સ્તરની ચોથી બેઠક હતી.
ચીન જાનહાનિનો આંકડો વધારીને કહેતું હોવાનો દાવો
ચીને સોમવારે પહેલીવાર સ્વીકાર્યું કે 15 જૂને લદાખમાં એલએસી પર થયેલી હિંસક અથડામણમાં તેણે 20થી ઓછા સૈનિકો ગુમાવ્યા. ચીનના સરકારી અખબાર ‘ગ્લોબલ ટાઈમ્સ’ના નિષ્ણાતોના હવાલાથી કહેવાયું કે ચીન સરહદે સંઘર્ષથી બચવા માટે આ સંખ્યા જણાવવા માગતો નથી. ગ્લોબલ ટાઈમ્સે કહ્યું કે અમારી જાનહાનિની સંખ્યા 20થી ઓછી છે. જો સાચો આંકડો જણાવાશે તો ભારત સરકાર દબાણ હેઠળ આવશે. અખબારે દાવો કર્યો કે ભારતીય અધિકારી રાષ્ટ્રવાદીઓને સંતુષ્ટ કરવા માટે ચીનની જાનહાનિનો આંકડો વધારી-ચઢાવીને બતાવી રહ્યા છે.
ડીબ્રીફિંગમાં ખુલાસો થયો
પૂર્વ લદાખના ગલવાન ખીણમાં 15 જૂને અથડામણ દરમિયાન ભારતીય સૈનિકોનું તાંડવ જોઈ ચૂકેલા ચીની સૈનિકો દહેશતમાં આવી ગયા હતા. તેમને ભય સતાવી રહ્યો હતો કે જો મોટી સંખ્યામાં ભારતીય સૈનિકો બદલો લેવા પહોંચી ગયા તો શું થશે? આશરે 60 કલાક સુધી ચીનની સેના પીપુલ્સ લિબરેશન આર્મીની કસ્ટડીમાં રહીને પાછા ફરેલા ભારતીય સેનાના 10 અધિકારીઓ-જવાનોના ડીબ્રીફિંગમાં આ ખુલાસો થયો હતો. ડીબ્રીફિંગમાં જવાનોનું મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન અને તેનાથી સંબંધિત અન્ય તપાસ કરવામાં આવે છે. ચીનની કસ્ટડીમાંથી મુક્ત થઈને આવેલા 10 સૈનિકોમાં બે મેજર અને બે કેપ્ટન પણ છે. સૂત્રોએ જણાવ્યું કે બે દિવસથી વધુ સમય સુધી પીએલએની કસ્ટડીમાં રહેવા છતાં તેમનો જુસ્સો અને ઉત્સાહ યથાવત્ હતા.
ભારતીય સૈનિકોએ વળતો હુમલો કર્યો હતો
ડીબ્રીફિંગના દસ્તાવેજો અનુસાર અથડામણ દરમિયાન ભારતીય સૈનિકો ન ફક્ત ચીનના સૈનિકોથી ફક્ત ઓછા જ નહોતા પરંતુ નિ:શસ્ત્ર પણ હતા. પેટ્રોલ પોઇન્ટ 14 પર ચીનના હુમલા દરમિયાન ભારતીય સૈનિકોએ તેમના તાર લપેટેલા દંડા-સળિયા છીનવી તેમના પર જ વળતો હુમલો કરી દીધો હતો. આ કાર્યવાહીમાં ઓછામાં અોછા ચીનના 20 અધિકારીઓ મૃત્યુ પામ્યા. એક અધિકારીએ કહ્યું કે કમાન્ડિંગ ઓફિસર કર્નલ સંતોષ બાબુની શહીદી પર રોષે ભરાયેલા જવાનો ચીનના સૈનિકોને મારી નાખવા માગતા હતા. એક અધિકારીએ કહ્યું કે 10 જવાનોને ડીબ્રીફિંગમાં ખુલાસો થયો કે ભારતીય સૈનિકોના વળતા હુમલા બાદ ચીનના સૈનિકો આઘાત પામી ગયા અને ભયભીત થઈ ગયા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2zVLEwL
via IFTTT
ટિપ્પણીઓ નથી: