મહારાષ્ટ્રના ભંડારાની હોસ્પિટલમાં આગ : 10 નવજાતનાં મોત

મૃત્યુ પામેલા પ્રત્યેક નવજાત શિશુના પરિવારને પાંચ લાખ રૂપિયા વળતરની મહારાષ્ટ્ર સરકારની જાહેરાત
સીએમ ઉદ્ધવ ઠાકરેનો ઉચ્ચસ્તરીય તપાસનો આદેશ
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 9 જાન્યુઆરી, 2021, શનિવાર
મહારાષ્ટ્રના ભંડારામાં સરકારી હોસ્પિટલના સ્પેશિયલ ન્યૂબૉર્ન કેઅર યુનિટ (એસએનસીયુ)મામાં રાતે ભીષણ આગ લાગતા 10 બાળક મોતના મુખમાં ધકેલાય ગયા હતા. દરમિયાન સાત બાળકને બહાર કાઢવામાં આવતા તેમનો જીવ બચી ગયો હતો.
બાળકોના મૃતદેહ તેમના પરિવારને સોંપી દેવામાં આવ્યા છે. બીજીતરફ આ કમકમાટીભરી ઘટનાની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. ફાયરબ્રિગેડે આગ બૂઝાવી દીધછી હતી. શોર્ટસર્કિટને લીધે આગ લાગી હોવાનુ પ્રાથમિક તપાસમાં માલૂમ પડયું છે.
એકથી ત્રણ મહિનાના બાળકોનો વજન ઓછો અને તબીયત સારી ન હોવાથી હોસ્પિટલના એસએનસીયુ વૉર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. પણ રાતે અંદાજે બે વાગ્યે નર્સએ ધુમાડા જોયા હતા. ફાયરબ્રિગેડને મામલાની જાણ કરવામાં આવી હતી. આગમાં દાઝી જતા અને ગુંગળાયને માલૂમ 10 બાળક મૃત્યુ પામ્યા હતા. એમાં મોટા ભાગે બાળકીનો સમાવેશ હતો.
હોસ્પિટલના કર્મચારીની મદદથી સાત બાળકની મદદથી સાત બાકને બહાર કાઢીને બચાવી લેવામાં આવ્યા હતા. બાળકોના મોતની જાણ થયા બાદ તેમની માતા અને પરિવારના રડવાથી હોસ્પિટલમાં દુ:ખની લાગણી પ્રસરી ગઇ હતી. શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનુ કહેવાય છે. સરકાર દ્વારા આર્થિક મદદની ઘોષણા કરવામાં આવી હતી.હોસ્પિટલની બંદરકારીને લીધે બાળકીએ જીવ ગુમાવ્યો હોવાનો આરોપ મૃતકના પરિવારે કર્યો હતો.
આ બનાવને લીધે સંપૂર્ણદેશમાં ખળભળાટ મચી ગયો હતો. રાષ્ટ્રપતિ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અન્ય નેતાઓએ દુ:ખની લાગણી વ્યકત કરી હતી.
આગ લાગવાનુ ઓક્કસ કારણ જાણવા ઝીણવભરી તપાસ હાથધરવામાં આવી છે. દોષી સામે કડક કાર્યવારીનો આદેશ આપવામાં આવ્યો છે. આગ લાગી ત્યારે હોસ્પિટલના કર્મચારીઓ સૂતા હતા એવી ચર્ચા થઇ રહી છે.
દરમિયાનમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ભંડારા જિલ્લા હોસ્પિટલમાં લાગેલા આગની ઉચ્ચ સ્તરીય તપાસના તાત્કાલિક આદેશ આપ્યા છે. તેમજ આ આગમાં મૃત્યુ પામેલા નિષ્પાપ બાળકોના પરિવારને પરિવાર દીઠ પાંચ લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. ભંડારા જિલ્લા હોસ્પિટલના ચાઇલ્ડ કેર યુનિટમાં લાગેલી આગમાં 10 નવજાત શિશુઓના મોત પર મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ દુ:ખ વ્યક્ત કર્યું છે.
તેમજ આ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ પણ આપ્યા છે. શુક્રવારે મોડી રાત્રે ભંડારા જિલ્લા હોસ્પિટલના નવજાત સઘન સંભાળ યુનિટમાં આગ લાગી હતી. તેમાં દસ નવજાત શિશુના મોત થયા. આ ઘટનાથી મહારાષ્ટ્ર હચમચી ઉઠયું છે અને સરકારી હોસ્પિટલોમાં સુરક્ષાનો મુદ્દો ફરી એકવાર સામે આવ્યો છે.
મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. આગની ઘટનાની જાણ થતાં જ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે સાથે ચર્ચા કરી અને આખી ઘટનાની તાત્કાલિક તપાસ કરવા નિર્દેશ આપ્યો. મુખ્યપ્રધાને કલેક્ટર અને પોલીસ અધિક્ષક સાથે પણ વાતચીત કરી તપાસના નિર્દેશ આપ્યા છે.
મૃત્યુ પામેલા દસ બાળકોના પરિવારને પાંચ લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે અને રાજ્ય કક્ષાના આરોગ્ય પ્રધાન રાજેન્દ્ર પાટિલ યડ્રાવરકે હાસ્પિટલની મુલાકાત લીધી. મૃત્યુ પામેલા સાત બાળકો ધુમાડાથી દમ તોડી ગયા હતા અને ત્રણ ઝગમગાટમાં મરી ગયા હતા. બાળકોના મૃતદેહને પરિવારજનોને સોંપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે તપાસમાં દોષી સાબિત થનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવવા કાળજી લેવામાં આવશે. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પણ દુર્ઘટના ઉંડું દુ:ખ વ્યક્ત કર્યું હતું અને તમામ સંબંધિતોને રાજ્યની અન્ય તમામ હોસ્પિટલોના બાળ સંભાળ વિભાગનું તાત્કાલિક આડિટ કરવાનો પણ આદેશ આપ્યો હતો.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38u0OYi
via IFTTT
ટિપ્પણીઓ નથી: