ઇન્ડોનેશયામા 6.2ની તીવ્રતાના ભૂકંપનાં આંચકા, 7 લોકોની મોત, 100થી વધુ લોકો ઘાયલ

જકાર્તા, તા.15 જાન્યુઆરી 2021, શુક્રવાર 

ઇન્ડોનેશિયાના સુલાવેસી દ્વિપમા આજે ભૂકંપના આંચકા આવ્યા છે, જેમા લગભગ 7 લોકોની મોત થઇ છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇન્ડોનેશિયાની એક એજન્સીએ આપેલી માહિતી અનુસાર ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ 6.2 છે. ભુકંપનુ કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે છે. 

સુનામીને લઇને કોઇ એલર્ટ જાહેર નહી

ભૂકેપનુ કેન્દ્ર મજાને શહેરથી 6 કિલોમીટર દુર ઉત્તર-પૂર્વમા જણાવવામા આવી રહ્યુ છે. ભૂકંપના આંચકા લગભગ 7 સોકન્ડ સુધી મહેસુસ થયા હતા, પરંતુ ભૂકંપ પછી સુનામીને લઇને કોઇ એલર્ટ જાહેર કરવામા આવ્યુ નથી. આ પહેલા ગુરૂવારના પણ દેશના કેટલાક ભાગોમા ભૂકંપના આંચકા મહેસુસ થયા છે. 

2004મા આવ્યો હતો ભીષણ ભૂકંપ

આ પહેલા પણ ઇન્ડોનેશિયામા વર્ષ 2004 અને 2018મા ભીષણ ભૂકંપ આવ્યો હતો. વર્ષ 2018મા પણ 7.5ની તીવ્રતાનો ભૂકંપ સુલાવેસી દ્વિપ પર આવ્યો હતો, જેમા લગભગ 4300 લોકોની મૃત્યુ થઇ હતી, જયારે ઇન્ડોનેશિયામા 26 ડિસેમ્બરમા આવેલા ભૂકંપની તીવ્રતા 9.1 હતી, અને આ દરમ્યાન 2.22 લાખ લોકોની મોત થઇ હતી. 

કેવી રીતે આવે છે ભૂકંપ?

પૃથ્વીની અંદર 7 પ્લેટસ છે, જે સતત ફરતી રહે છે. જ્યાં આ પ્લેટ એકબીજા સાથે ટકરાય છે, ત્યાં જોન ફોલ્ટ લાઇન કહેવાય છે. વારંવાર ટકરાવાને કારણે પ્લેટસના ખૂણા વળી જાય છે. જયારે વધુ દબાણ બને ત્યારે પ્લેટસ તુટી જાય છે અને નીચેની એનર્જી બહાર આવવાનો રસ્તો શોધે છે, ફરી આ ડિસ્ટબન્સના કારણે ભૂકંપ આવે છે. 




from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39xwmfj
via IFTTT

ટિપ્પણીઓ નથી: