PM મોદીએ દેશવાસીઓને આપી મકર સંક્રાંતિની શુભકામનાઓ, મોહન ભાગવતે ચેન્નઈના મંદિરમાં કરી પૂજા

નવી દિલ્હી, તા. 14 જાન્યુઆરી 2021 ગુરૂવાર
ઉત્તરથી લઈને દક્ષિણ ભારતમાં આજે તહેવારોનો દિવસ છે. મકર સંક્રાંતિ, પોંગલ સહિત કેટલાક તહેવારોને મનાવવામાં આવી રહ્યા છે, તો આ સૌની વચ્ચે આજે જલીકટ્ટુનો પણ કાર્યક્રમ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા અને સંઘ પ્રમુખ મોહન ભાગવત આજે તમિલનાડુમાં છે, જે અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લેશે.
તમિલનાડુમાં જલીકટ્ટુની શરૂઆત, રાહુલ ગાંધી પણ પહોંચશે
તમિલનાડુમાં પોંગલના અવસર પર જલીકટ્ટુની શરૂઆત થઈ ગઈ છે. મદુરાઈમાં આનુ આયોજન આ વખતે કોરોના ગાઈડલાઈન્સ હેઠળ થઈ રહ્યુ છે. રાજ્ય સરકાર દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા છે કે ખેલાડીઓની સંખ્યા 150 થી વધારે હોવી જોઈએ નહીં. તમામની પાસે કોરોના નેગેટીવ સર્ટિફિકેટ હોવુ જોઈએ. સાથે જ દર્શકોની સંખ્યા પણ 50 ટકા સુધી હોવી જોઈએ.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ગુરૂવારે ટ્વીટ કરીને કહ્યુ કે તેઓ તમિલનાડુના મદુરાઈમાં તમામની સાથે પોંગલ મનાવવા માટે આવી રહ્યા છે.
પીએમ મોદીએ દેશવાસીઓને આપી શુભકામનાઓ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે દેશવાસીઓને મકર સંક્રાંતિ, પોંગલ, માઘ બિહુ સહિત અન્ય તમામ તહેવારોની શુભકામનાઓ આપી.
મોહન ભાગવત ચેન્નઈ પહોંચ્યા
તમિલનાડુમાં આજે સંઘ પ્રમુખ મોહન ભાગવત પણ છે. અહીં તેઓ પોંગલ તહેવારના જશ્નમાં સામેલ થવા માટે પહોંચ્યા છે. મોહન ભાગવતે અહીં ચેન્નઈના શ્રી કાદુમ્બડી મંદિરમાં પૂજા કરી અને પોંગલના જશ્નમાં સામેલ થયા.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KiPTaU
via IFTTT
ટિપ્પણીઓ નથી: