કોરોનાઃ 24 કલાકમાં દેશમાં 41 હજાર જેટલા નવા કેસ, મહારાષ્ટ્રમાં જ 25 હજારથી વધુ કેસ


- અત્યાર સુધીમાં દેશમાં આશરે 4.20 કરોડ લોકોને કોરોના વેક્સિન અપાઈ

નવી દિલ્હી, તા. 20 માર્ચ, 2021, શનિવાર

દેશમાં ફરી એક વખત કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમણના નવા 40,906 કેસ નોંધાયા હતા જેમાં મહારાષ્ટ્રમાં 25,000થી વધુ કેસ નોંધાયા છે. ઉપરાંત 23,623 દર્દીઓ સાજા થયા હતા જ્યારે 188 લોકોના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,59,588 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,15,55,284 લોકો કોરોનાની લપેટમાં આવી ચુક્યા છે. તે પૈકીના 1,11,07,332 દર્દીઓ સાજા થઈ ગયા છે. જ્યારે સક્રિય કેસની સંખ્યા 2,88,394 છે. 

ઉપરાંત અત્યાર સુધીમાં દેશમાં કુલ 4,20,63,392 લોકોને કોરોના વેક્સિન લગાવાઈ ચુકી છે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3c8866d
via IFTTT

ટિપ્પણીઓ નથી: