પાકિસ્તાનમાં આતંકવાદી નેટવર્કનો ખાત્મો એ જ જનરલ બાજવાનો લિટમસ ટેસ્ટ

- જનરલ બાજવાની વિશ્વસનીયતા ઈમરાન ખાન કરતા વધારે
નવી દિલ્હી, તા. 5 માર્ચ, 2021, શુક્રવાર
પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા ભલે ભારત સાથે વાતચીતનો માર્ગ અપનાવી રહ્યા હોય પરંતુ પોતાના દેશમાંથી આતંકવાદી નેટવર્કનો ખાત્મો એ જ તેમની ગંભીરતાનો લિટમસ ટેસ્ટ ગણાશે.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અને બેક ચેનલ દ્વારા વિભિન્ન સ્તરે ચાલી રહેલી વાતચીતમાં ભારતે ફરી એક વખત પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.
ભારતનું સ્પષ્ટપણે કહેવું છે કે, હાફિજ સઈદ અને મસૂદ અઝહર જેવા આતંકવાદી આકાઓનો સફાયો જ બાજવાની વાતચીતની પહેલ ગંભીર પગલું છે કે માત્ર છળ તે સાબિત કરશે. બેક ચેનલ સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીના કહેવા પ્રમાણે જ્યાં સુધી ભારત પાકિસ્તાન વચ્ચેની વર્તમાન વાતચીતનો સવાલ છે તો જનરલ બાજવાની વિશ્વસનીયતા ઈમરાન ખાન કરતા વધારે માનવામાં આવે છે.
જો કે, એક લોકતાંત્રિક દેશે બીજા દેશની ચૂંટાયેલી સરકારના બદલે ત્યાંના સૈન્ય નેતૃત્વ પર વિશ્વાસ કરવો પડી રહ્યો છે તે અફસોસની વાત છે. જનરલ બાજવા જો ખરેખર ભારત સાથે લાંબા ગાળાના સંબંધ માટે ગંભીર હોય તો તેમણે પોતાના ત્યાંના આતંકવાદી નેટવર્કને ખતમ કરવાનું સાહસિક પગલું ભરવું જ પડશે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sQAFdQ
via IFTTT
ટિપ્પણીઓ નથી: