PM મોદી આજે અમદાવાદમાં, આઝાદીના અમૃતમહોત્સવનો કરાવશે પ્રારંભ, રાજ્યના 75 સ્થળોએ થશે એક સાથે ઉજવણી

અમદાવાદ, તા. 12 માર્ચ, 2021, શુક્રવાર

મહાત્મા ગાંધીની કર્મભૂમિ અને આઝાદીની લડતના કેન્દ્ર બિન્દુ અમદાવાદ શહેરના સાબરમતી આશ્રમ ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 10.30 કલાકે આઝાદીના અમૃત મહોત્સવનો આરંભ કરાવશે. આઝાદીના અમૃત મહોત્સવની દેશભરમાં ઉજવણી કરવામાં આવશે. 

વડાપ્રધાન  નરેન્દ્ર મોદી આજે સવારે 8.30 વાગ્યે દિલ્હી એરપોર્ટથી અમદાવાદ આવવા માટે રવાના થશે. 10.00 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. ત્યાંથી 10.30 કલાકે સાબરમતિ આશ્રમ પહોંચશે. જ્યાં તેઓ બપોરે 12.15 સુધી આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં ભાગ લેશે. બે કલાકના રોકાણ બાદ તેઓ દિલ્હી પરત જશે.

સાબરમતી આશ્રમ ઉપરાંત ગુજરાતના મહત્વના છ જિલ્લાઓ ઉપરાંત 75 સ્થળોએ એક સામટી ઉજવણીનો આરંભ કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને ગુજરાત પ્રદેશ ભાજપના વડા સી.આર. પાટીલ ઉપસ્થિત રહેશે.

જૂનાગઢ ફોજની ભરતીના કેન્દ્ર રાજકોટમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આઝાદીના અમૃત મહોત્સવનો આરંભ કરાવશે. રાજકોટ ઉપરાંત માંડવી-કચ્છ, પોરબંદર, વડોદરા, બારડોલી-સુરત અને દાંડી ખાતે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. 

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ઐતિહાસિક દાંડી યાત્રાની સ્મૃતિમાં સાબરમતી આશ્રમથી નવસારીના દાંડી સુધીના 386 કિલોમીટરની યાત્રાનો પ્રધાનમંત્રી આરંભ કરાવશે. દાંડીયાત્રાના માર્ગમાં આવતા દરેક સ્થળે આઝાદીની ચળવણમાં મહત્વના સ્થળોએ દેશભક્તિના કાર્યક્રમો યોજવામાં આવશે. ઉપરાંત સાઈલક-બાઈક રેલી, સાંસ્કૃતિ કાર્યક્રમ, વૃક્ષારોપણ અને ક્રાફ્ટ બજાર સહિતના રચનાત્મક કાર્યક્રમો યોજવામાં આવશે. 

ગાંધીજીના પ્રાથમિક શિક્ષણના સ્થળ, જૂનાગઢના નવાબમા શાસનમાંથી રાજકોટને આઝાદ કરાવવા સ્થાપવામાં આવેલી આરઝી હકૂમત દ્વારા જૂનાગઢ ફોજની કરેલી ભરતીની ઘટનાઓ યાદગાર હોવાથી રાજકોટ ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પંકજ ભટ્ટ આઝાદીના અમૃતમહોત્સવની ઉજવણી કરાવશે.રાજકોટ સાથે કસ્તુરબા ગાંધીની જીવનસ્મૃતિઓ પણ જોડાયેલી છે. 

સુરતના બારડોલી ખાતે સરકાલ પટેલે ખેડૂતો પાસેથી મહેસૂલની કરવામાં આવતી ઉઘરાણીના વિરોધમાં સત્યાગ્રહ કરીને અંગ્રેજોને ઝૂકાવ્યા હતા. આ સત્યાગ્રહ બાદ તેમને સરદારનું બિરૂદ મળ્યું હતું. તેથી બારડોલીમાં ઉજવણી કરવામાં આવશે. મોહન ગાંધીના જન્મસ્થળ પોરબંદર પણ દાંડીયાત્રા સાથે સંકળાયેલું છે. 

રાષ્ટ્રીય ચેતનાના પ્રેરક મહર્ષિ અરવિન્દ ઘોષમી કર્મભૂમિ વડોદરાના નવલખી મેદાનમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષપદે ઉજવણીનો આરંભ કરવામાં આવશે. સરદાર વલ્લભભાઈનમા સત્યાગ્રહની ભૂમિ બારડોલીમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા અમૃત મહોત્સવનો આરંભ કરાવસે.

કૃષિ મંત્રી આર.સી. ફળદુ પોરબંદરમાં, નમક પરના વેરાનો વિરોધ કરીને મૂઠ્ઠી નમક ઉઠાવીને મહાત્મા ગાંધીજીએ જે ભૂમિ પર અંગ્રેજોના અહમને તોડવાની કામગીરી કરી હતી તે ભૂમિ પર રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલના અધ્યક્ષ સ્થાને આઝાદીના અમૃત મહોત્વસની ઉજવણી કરવામાં આવશે. 

દાંડીના નમક સત્યાગ્રહ પછી જ સમગ્દ દેશમાં અહિંસક અને સવિનય કાનૂન ભંગના આંદોલનો શરૂ થયા હતા. ગાંધીજીએ ચપટી નમક ઉપાડીને બ્રિટીશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં લૂણો લગ્યો હતો.  કચ્છના ક્રાન્તિકારી શ્યામજી કૃષ્ણ વર્માના જન્મસ્થળ માંડવી ખાતે રાજ્યકક્ષાના મંત્રી વાસણ આહીરની ઉપસ્થિતિમાં આઝાદીના અમૃત મહોત્સવનો આરંભ થશે. છ જિલ્લા ઉપરાંત 75 સ્થળોએ આઝાદીના અમૃતમહોત્સવની ઉજવણી કરવામાં આવશે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bADw4F
via IFTTT

ટિપ્પણીઓ નથી: