143મી રથયાત્રા: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પહિંદ વિધી પૂર્ણ કરી, મંદિર પરિસરમાં રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ

અમદાવાદ, તા. 23 જૂન 2020 મંગળવાર
ઈતિહાસમાં પહેલી વખત અમદાવાદમાં જગન્નાથજી અષાઢી બીજે નગરચર્યા કરવાના નથી. જોકે મંદિર પરિસરમાં યોજાનારી રથયાત્રાને લઈને સીએમ રૂપાણીએ પહિંદ વિધિમાં ભાગ લીધો હતો. તેમણે સોનાની સાવરણીથી રસ્તો સાફ કર્યો. જે બાદ રથયાત્રાનો પ્રારંભ કરવમાં આવ્યો. સીએમ રૂપાણી સાથે ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજા પણ જગન્નાથ મંદિર પહોંચ્યા હતા.
મોડી રાત્રે હાઇકોર્ટે તમામ અરજીઓને ફગાવીને જગન્નાથ રથયાત્રા નહીં નીકળે તેવો હુકમ કર્યો. હાઇકોર્ટે ચૂકાદો આપતા કહ્યું કે પુરી અને અમદાવાદની તુલના ન કરી શકાય. આ નિર્ણયથી હવે જગન્નાથ રથયાત્રા મંદિર પરિસરમાં જ ફરશે. શ્રદ્ધાળુઓ મંદિર પરિસરમાં જ ભગવાનના દર્શન કરી શકશે.
મુખ્યમંત્રીએ પહિંદ વિધિ પૂર્ણ કરી
જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે 10 થી 15 શ્રદ્ધાળુઓ જ વારાફરતી દર્શન કરી શકશે. હાઇકોર્ટે ચૂકાદો આપતા કહ્યું કે કર્ફયુના નામે લોકોને હેરાન કરી શકાય નહીં. સરકાર લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરે. આમ હાઇકોર્ટના નિર્ણયથી અમદાવાદની સુપ્રસિદ્ધ જગન્નાથ યાત્રા નગરચર્યા નહીં કરી શકે. જોકે મંદિર પરિસરમાં રથ ફરશે અને ભક્તો દર્શન કરી શકશે.
ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલરામ શણગારેલા રથમાં થયા બિરાજમાન
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા છે. જ્યારે ઢોલ નગારા અને શરણાનાં સૂર સાથે રથયાત્રામાં પ્રથમ આગમન ભગવાન માધવનું થાય છે. ભગવાન જે રથમાં સવાર થઈને નગરચર્યાએ નિકળે છે તે રથને નંદીઘોષ તરીકે ઓળખવામાં આવે છે.
જોકે આ વખતે ભગવાન મંદિરમાંથી ભક્તોને દર્શન આપશે. પ્રભુનો રથ ચક્રધ્વજ, ગરુડધ્વજ અને કપિધ્વજના નામે પણ ઓળખાય છે. જગન્નાથજીના રથના રક્ષક ભગવાન વિષ્ણુના વાહન પક્ષીરાજ ગરૂડ છે. તેમના રથની ધજાને ત્રિલોક્યવાહિની કહે છે અને રથ જે દોરડાથી ખેંચાય છે તેને શંખચૂડ કહે છે.
જગન્નાથજી રથમાં તેમની સાથે અન્ય 9 દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ રખાય છે. પ્રભુના રથના શણગારમાં ખાસ સુદર્શન ચક્ર પણ જોવા મળે છે. તો રથયાત્રામાં સુભદ્રાજીના રથનુ નામ કલ્પધ્વજ છે. સુભદ્રાજીનો આ રથ દર્પદલનના નામે પણ પ્રસિદ્ધ છે. તેમના રથના રક્ષક જયદુર્ગા છે. તેમના રથ પરનો ધ્વજ નદંબિક તરીકે ઓળખાય છે.
પ્રભુનો રથ ચક્રધ્વજ, ગરૂડધ્વજ અને કપિધ્વજના નામે પણ ઓળખાય
તેમના રથના અશ્વ રોચિક મોચિક જિતા અને અપરાજિતા છે. સુભદ્રાજીના રથ ખેંચવા જે દોરડાંનો ઉપયોગ થાય છે તેને સ્વર્ણચૂડા કહે છે. રથયાત્રામાં અંતિમ દર્શન આપે છે બળભદ્રજીના રથનું નામ તલધ્વજ છે. આ રથ બહલધ્વજના નામે પણ પ્રસિદ્ધ છે.
બળભદ્રજીના રથના સારથીનું નામ મતાલી છે. જ્યારે રથના ચાર અશ્વના નામ છે ત્રીવ, ઘોર, દીર્ધાશ્રમ અને સુવર્ણનાભ. બળભદ્રજીના અશ્વનો રંગ શ્યામ છે. રથનો ધ્વજ ઉન્નાના નામથી પ્રસિદ્ધ છે બળભદ્રજીના રથના રક્ષક વાસુદેવ છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fPmbnM
via IFTTT
ટિપ્પણીઓ નથી: