ભગવાન જગન્નાથનો રથ 16 પૈડાવાળો અને 13 મીટર ઊંચો હોય છે, યાત્રામાં એક રથને મંદિરના 500 સેવકો દ્વારા જ ખેંચવામાં આવશે

આજે રથયાત્રા માટે બનેલાં રથના પૈડા ખેંચવામાં આવશે. 2500 વર્ષથી વધારે જૂના રથયાત્રાના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે, જ્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે, પરંતુ ભક્તો ઘરમાં બંધ રહેશે. કોરોના મહામારીના કારણે પુરી શહેર ટોટલ લોકડાઉન કરીને રથયાત્રાને મંદિરના 1172 સેવક ગુંડિચા મંદિર સુધી લઇ જશે. આજે રથયાત્રા પૂર્ણ કરીને ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બળદેવ અને બહેન સુભદ્રા સાથે પોતાની માસીના ઘરે મુખ્ય મંદિરથી અઢી કિમી દૂર ગુંડિચા મંદિર જશે. અહીં સાત દિવસ રોકાયા બાદ આઠમા દિવસે ફરી મુખ્ય મંદિર પહોંચશે. પુરી શહેરમાં કુલ નવ દિવસનો ઉત્સવ ઉજવાય છે. મંદિર સમિતિએ પહેલાં જ નક્કી કરી રાખ્યું હતું કે, આ સંપૂર્ણ ઉત્સવ દરમિયાન સામાન્ય લોકોને આ બંને મંદિરોથી દૂર રાખવામાં આવશે. પુરીમાં લોકડાઉન ખુલ્યા બાદ પણ ધારા 144 લાગુ રહેશે. ભગવાન જગન્નાથનો રથ 15 દિવસ મોડો બનવાનો શરૂ થયો હતો, પરંતુ કારીગરોએ વધારે સમય કામ કરીને રેકોર્ડ 40 દિવસમાં પૂર્ણ કર્યો.

દુનિયાની સૌથી મોટી રસોઈની રિપ્લિકા ગુંડિચા મંદિરમા-
ભગવાન જગન્નાથ માટે જગન્નાથ મંદિરમાં 752 ચૂલા પર ભોજન બને છે. જેને દુનિયાની સૌથી મોટી રસોઈનો દરજ્જો આપવામાં આવ્યો છે. રથયાત્રાના નવ દિવસ અહીંના ચૂલા ઠંડા થઇ જાય છે. ગુંડિચા મંદિરમાં પણ 752 ચૂલા ધરાવતું જ રસોડું છે, જે જગન્નાથની રસોઈની જ રિપ્લિકા માનવામાં આવે છે. આ ઉત્સવ દરમિયાન ભગવાન માટે અહીં જ ભોગ બનશે.

રથના નિર્માણ માટે મંદિર પરિસરમાં જ અલગથી રથખલા બનાવવામાં આવી હતી. મોટાભાગે રથ મંદિરની સામે રહેલાં રસ્તાં પર જ બનાવવામાં આવે છે, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે રથ નિર્માણ માટે અલગથી વ્યવસ્થા કરવામા આવી હતી.
રથના નિર્માણ માટે મંદિર પરિસરમાં જ અલગથી રથખલા બનાવવામાં આવી હતી. મોટાભાગે રથ મંદિરની સામે રહેલાં રસ્તાં પર જ બનાવવામાં આવે છે, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે રથ નિર્માણ માટે અલગથી વ્યવસ્થા કરવામા આવી હતી.

ભાસ્કર નોલેજઃ-
16 પૈડાવાળો 13 મીટર ઊંચો જગન્નાથનો રથ, તેના 3 નામઃ-

ભગવાન જગન્નાથનો રથઃ- આ રથના અનેક નામ છે જેમ કે, ગરુડધ્વજ, કપિધ્વજ, નંદીઘોષ વગેરે. 16 પૈડાવાળો આ રથ 13 મીટર ઊંચો હોય છે. રથના ઘોડાનું નામ શંખ, બલાહક, શ્વેત તથા હરિદાશ્વ છે. આ રથ સફેદ રંગના હોય છે. સારથીનું નામ દારૂક છે. રથ ઉપર હનુમાનજી અને નરસિંહ ભગવાનનું પ્રતીક હોય છે. રથ ઉપર રક્ષાનું પ્રતીક સુરદર્શન સ્તંભ પણ હોય છે. આ રથના રક્ષક ગરુડ છે. રથની ધ્વજા ત્રિલોક્યવાહિની કહેવાય છે. રથના દોરડાને શંખચૂડ કહેવામાં આવે છે. તેને સજાવવા માટે 1100 મીટર કાપડની જરૂર પડે છે.

બળદેવનો રથઃ- આ રથનું નામ તાલધ્વજ છે. રથ ઉપર મહાદેવજીનું પ્રતીક હોય છે. તેના રક્ષક વાસુદેવ અને સારથી માતલિ છે. રથના ધ્વજને ઉનાની કહેવામાં આવે છે. ત્રિબ્રા, ઘોરા, દીર્ઘશર્મા અને સ્વર્ણનાવા તેમના ઘોડા છે. આ રથ 13.2 મીટર ઊંચો અને 14 પૈડાવાળો હોય છે. લાલ અને લીલા રંગના કપડા અને લાકડાના 763 ટુકડાથી બને છે. રથના ઘોડા વાદળી રંગના હોય છે.

સુભદ્રાનો રથઃ- આ રથનું નામ દેવદલન છે. રથ ઉપર દેવી દુર્ગાનું પ્રતીક હોય છે. તેના રક્ષક જયદુર્ગા અને સારથી અર્જુન છે. રથનો ધ્વજ મદંબિક કહેવાય છે. રોચિક, મોચિક, જીતા અને અપરાજિતા તેના અશ્વ છે. આ રથને ખેંચવા માટેના દોરડાને સ્વર્ણચૂડા કહેવામાં આવે છે. આ રથ 12.9 મીટર ઊંચો અને 12 પૈડાવાળો લાલ અને કાળા કપડા સાથે લાકડાના 593 ટુકડાથી બને છે. રથના ઘોડા કોફી રંગના હોય છે.

રથયાત્રાના રથને મંદિરના 1172 સેવકો જ ખેંચશે. આ બધાનો કોરોના ટેસ્ટ પણ પહેલાં જ કરી લેવામાં આવ્યો હતો, જેમાં બધાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે, એક રથને 500 લોકોથી વધારે લોકો ખેંચે નહીં.
રથયાત્રાના રથને મંદિરના 1172 સેવકો જ ખેંચશે. આ બધાનો કોરોના ટેસ્ટ પણ પહેલાં જ કરી લેવામાં આવ્યો હતો, જેમાં બધાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે, એક રથને 500 લોકોથી વધારે લોકો ખેંચે નહીં.

પુરીના અનેક નામઃ-
પુરી એક એવું સ્થાન છે, જેને હજારો વર્ષોથી અનેક નામો જેમ કે- નીલગિરી, નીલાદ્રિ, નીલાંચલ, પુરૂષોત્તમ, શંખશ્રેષ્ઠ, જગન્નાથ ધામ, જગન્નાથ પુરી તરીકે ઓળખવામાં આવે છે.

ગુંડિચા મંદિરમાં જ જગન્નાથની પહેલી પ્રતિમા બની હતીઃ-
ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે અષાઢ સુદ બીજ તિથિએ કાઢવામાં આવે છે. આ યાત્રા ગુંડિચા મંદિર સુધી જઇને ફરી મંદિરમાં પ્રવેશ કરે છે. માન્યતા છે કે, આ ગુંડિચા મંદિરમાં દેવતાઓના શિલ્પી વિશ્વકર્માએ ભગવાન જગન્નાથ, બળદેવ અને સુભદ્રાની પ્રતિમાઓનું નિર્માણ કર્યું હતું. એટલે ગુંડિચા મંદિરને બ્રહ્મલોક કે જનકપુરી પણ કહેવામાં આવે છે.

રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ થોડો સમય આ મંદિરમાં વિતાવે છે. આ સમયે ગુંડિચા મંદિરમાં ભવ્ય મહોત્સવ ઉજવાય છે. તેને ગુંડિચા મહોત્સવ કહેવામાં આવે છે. ગુંડિચા મંડપથી રથ ઉપર બેસીને દક્ષિણ દિશા તરફ આવીને શ્રીકૃષ્ણ, બળદેવ અને સુભદ્રાના જે લોકો દર્શન કરે છે, તેઓ મોક્ષ પ્રાપ્ત કરે છે.

રથયાત્રા સમયે જે દોરડાથી રથ ખેંચવામાં આવે છે તે કેરળથી બનીને આવે છે. લગભગ 15 દિવસ પહેલાં જ કેરળથી આ દોરડા પુરી પહોંચી ગયાં હતાં.
રથયાત્રા સમયે જે દોરડાથી રથ ખેંચવામાં આવે છે તે કેરળથી બનીને આવે છે. લગભગ 15 દિવસ પહેલાં જ કેરળથી આ દોરડા પુરી પહોંચી ગયાં હતાં.

રથયાત્રાની કહાણીઃ માલવના રાજાને પહેલીવાર દર્શન આપ્યાં હતાં-

  • પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવાની પરંપરા ખૂબ જ જૂની છે. આ રથયાત્રા સાથે અનેક દંતકથાઓ પણ પ્રચલિત છે. તેના પ્રમાણે, ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવાની પરંપરા રાજા ઇન્દ્રદ્યુમે શરૂ કરી હતી. આ કથા આ પ્રકારે છે-
  • કળિયુગના પ્રારંભિક કાળમાં માલવ દેશ ઉપર રાજા ઇન્દ્રદ્યુમનું શાસન હતું. તે ભગવાન જગન્નાથના ભક્ત હતાં. એક દિવસ ઇન્દ્રદ્યુમ નીલાંચલ પર્વત ઉપર ગયાં તો તેમને ત્યાં દેવ પ્રતિમાના દર્શન થયાં નહીં. નિરાશ થઇને જ્યારે તેઓ પાછા આવવા લાગ્યાં, ત્યારે આકાશવાણી થઇ કે, જલ્દી જ ભગવાન જગન્નાથ મૂર્તિ સ્વરૂપે ધરતી ઉપર આવશે. આ સાંભળીને તેઓ ખુશ થઇ ગયાં.
  • એકવાર જ્યારે ઇન્દ્રદ્યુમ પુરીના સમુદ્ર તટ પર ભ્રમણ કરી રહ્યા હતાં, ત્યારે તે સમુદ્રમાં લાકડાના બે ટુકડા તરતા જોવા મળ્યાં. ત્યારે તેમને આકાશવાણીની યાદ આવી અને તેમણે વિચાર્યું કે, આ જ લાકડાઓથી તેઓ ભગવાનની મૂર્તિ બનાવડવાશે. ત્યારે ભગવાનની આજ્ઞાથી દેવતાઓના શિલ્પી વિશ્વકર્મા ત્યાં બઢઈ(સુથાર) સ્વરૂપમાં આવ્યાં અને તેમણે તે લાકડાઓથી ભગવાનની મૂર્તિ બનાવવા માટે રાજાને કહ્યું. રાજાએ તરત હા પાડી દીધી.
  • ત્યારે સુથાર સ્વરૂપી વિશ્વકર્માએ શરત રાખી કે, તેઓ મૂર્તિનું નિર્માણ એકાંતમાં કરશે. જો કોઇ ત્યાં આવશે તો તેઓ કામ અધૂરું છોડીને જતાં રહેશે. રાજાએ શરત માની લીધી. ત્યારે વિશ્વકર્માણે ગુંડિચા નામના સ્થાને મૂર્તિ બનાવવાનું કામ શરૂ કર્યું. એક દિવસ ભુલથી રાજા સુથારને મળવા પહોંચી ગયાં.
  • તેમને જોઇને વિશ્વકર્મા ત્યાંથી અંતર્ધાન થઇ ગયા અને ભગવાન જગન્નાથ, બળદેવ અને સુભદ્રાની મૂર્તિઓ અધૂરી રહી ગઇ. ત્યારે આકાશવાણી થઇ કે, ભગવાન આ સ્વરૂપે જ સ્થાપિત થવા માંગે છે. ત્યારે રાજા ઇન્દ્રદ્યુમે વિશાળ મંદિર બનાવીને ત્રણેય મૂર્તિઓ ત્યાં સ્થાપિત કરાવી દીધી.
  • ભગવાન જગન્નાથે જ રાજા ઇન્દ્રદ્યુમને દર્શન આપીને કહ્યું કે, તઓ વર્ષમાં એકવાર પોતાની જન્મભૂમિ અવશ્ય જશે. સ્કંદપુરાણના ઉત્કલ ખંડ પ્રમાણે, ઇન્દ્રદ્યુમે અષાઢ મહિનાની બીજના દિવસે પ્રભુને તેમની જન્મભૂમિ જવાની વ્યવસ્થા કરી. ત્યારથી જ આ રથયાત્રાની પરંપરા ચાલી રહી છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
For the first time in 2500 years the Lord will go out of the temple but the devotees will stay at home, the festival will last for 9 days in total


from Divya Bhaskar https://ift.tt/2Yplb3V
via IFTTT

ટિપ્પણીઓ નથી: