WHOએ એસિમ્પ્ટોમેટિક દર્દીઓમાંથી ચેપ ફેલાવાની વાત નથી કહી, એ નિવેદનના આધારે અફવા ફેલાવવામાં આવી રહી છે જેને WHO દ્વારા પાછું ખેંચી લેવાયું હતું

શું વાઇરલઃ સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, WHOએ જણાવ્યું છે કે, કોરોનાના એસિમ્પટોમેટિક (લો-સિમ્પ્ટોમેટિક) દર્દીને ન તો આઇસોલેટ કરવાની જરૂર છે અને તેમણે ક્વોરન્ટિન અથવા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની પણ જરૂર નથી. તેમનામાં લાગેલો ચેપ એક દર્દીથી બીજા દર્દીમાં પણ ટ્રાન્સમિટ નથી થઈ શકતો. દાવા સાથે WHOની પ્રેસ કોન્ફરન્સિંગની વીડિયો ક્લિપ પણ વાઇરલ થઈ રહી છે.

સોશિયલ મીડિયા પર પ્રકારના મેસેજ વાઇરલ થઈ રહ્યા છે

ફેક્ટ ચેક

  • સૌપ્રથમ અમે વાઇરલ વીડિયોમાં શું કહેવામાં આવી રહ્યું છે તે ધ્યાનથી સાંભળ્યું. ત્યારે જઆમવા મળ્યું કે તેમાં આઇસોલેટ અથવા ક્વોરન્ટિન થવાની જરૂર નથી એવું કંઈ કહેવામાં જ નથી આવ્યું. ઉલ્ટાનું અહીં ફક્ત એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફક્ત એસિમ્પટોમેટિક દર્દીથી બીજા લોકોને ચેપ લાગ્યો છે.
  • હવે અમારી સામે સવાલ એ હતો કે, શું WHOએ એસિમ્પ્ટોમેટિક દર્દીથી બીજા દર્દીમાં ચેપ ફેલાવવાની વાત કહી છે? આની તપાસ કરવા માટે અમને વીડિયો ક્લિપની આગળના અને પાછળના ભાગની જરૂર હતી. જેનો એક નાનો ભાગ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. અમને બ્લૂમબર્ગની યુટ્યુબ ચેનલ દ્વારા 9 જૂને અપલોડ કરેલો એક વીડિયો મળ્યો.

વીડિયોમાં WHO રોગચાળાના નિષ્ણાંત ડો. મારિયા વાન એક સવાલનો જવાબ આપી રહ્યા છે.

મારિયાના જવાબનું ગુજરાતી અનુવાદ છે: અમારી પાસે આવા ઘણા દેશોના રિપોર્ટ્સ છે. જે ઘણી ડિટેલ્સમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી રહ્યા છે. અમે આ બધા દ્વારા આપવામાં આવેલા ડેટાનો અભ્યાસ કરી રહ્યા છીએ. તેમ છતાં અત્યાર સુધીની માહિતીના આધારે એમ કહી શકાય કે આવા ચેપ ખૂબ જ દુર્લભ છે. એટલે કે બહુ ઓછા કિસ્સામાં આવું થાય છે.

નોંધનીય વાત એ છે કે, મારિયાએ આ પ્રશ્નના જવાબમાં એવું નથી કહ્યું કે, એસિમ્પટોમેટિક દર્દીથી બીજા લોકોમાં ચેપ ફેલાતો નથી. એવું તો લકુલ પણ નથઈ કીધું કે, એસિમ્પટોમેટિક દર્દીઓને અલગ રાખવાની જરૂર નથી. વીડિયો સાંભળ્યા પછી અમે એસિમ્પ્ટોમેટિક દર્દીઓથી સંબંધિત WHOની ઓફિશિયલ વેબસાઇટ પર એક રિપોર્ટ શરૂ કર્યો. અહીં 11 જૂનનો એક રિપોર્ટ અમને મળ્યો.

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે: કોવિડ-19ના ચેપ અંગે વિશ્વવ્યાપી રિસર્ચ ચાલુ છે. અત્યાર સુધીના રિપોર્ટ્સના આધારે એમ કહી શકાય કે એસિમ્પટોમેટિક દર્દીઓના ચેપના બહુ ઓછા કેસો છે. જો કે, એસિમ્પટોમેટિક દર્દીઓના ચેપથી સંબંધિત અભ્યાસ કરવો પણ મુશ્કેલ છે. કારણ કે આ માટે મોટી સંખ્યામાં ટેસ્ટ કરવા પડશે, જે ઘણા દેશોમાં શક્ય નથી. રોગના વિવિધ પાસાંઓને સમજવા માટે WHO વિશ્વના દેશો સાથે મળીને કામ કરી રહ્યું છે. આ પાસાંઓમાં એસિમ્પટોમેટિક દર્દીઓના ચેપનો ફેલાવો પણ સામેલ છે. આ રિપોર્ટમાં એ પણ સ્પષ્ટ છે કે, WHOએ એસિમ્પ્ટોમેટિક દર્દીઓમાં ચેપ ફેલાવવા જેવી કોઈ વાત નથી કહી.

અમારી સામે હજી પણ એક સવાલ હતો કે, WHO દ્વારા આ મામલે કોઈ સ્પષ્ટ નિવેદન આપવામાં આવ્યું છે. આ પ્રશ્નના જવાબ દિવ્ય ભાસ્કરના 11 જૂન 2020ના એક વિશેષ રિપોર્ટમાં મળ્યા છે. આ રિપોર્ટ મુજબ: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને 24 કલાકની અંદર પોતાનું નિવેદન સ્પષ્ટ કર્યું, જેમાં તેણે કહ્યું હતું કે વક્ષણો વગરના દર્દીઓમાંથી કોરોના વાઇરસ નથી ફેલાતો. આવા કિસ્સા ભાગ્યે જ જોવા મળે છે. જ્યારે સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકોએ આ અંગે સવાલ ઉઠાવ્યા હતા ત્યારે WHO રોગચાળાના નિષ્ણાંત ડો. મારિયા વેને સ્પષ્ટતા કરતી વખતે કહ્યું કે આ એક ગેરસમજ હતી.

દિવ્ય ભાસ્કરના આ રિપોર્ટથી સ્પષ્ટ થઈ ગયું છે કે, WHOએ સૌ પ્રથમ જણાવ્યું હતું કે કોવિડ-19નો ચેપ ઘણા ઓછા કેસોમાં એસિમ્પટોમેટિક દર્દીઓમાં ફેલાય છે. જો કે, WHOએ બાદમાં તેનું નિવેદન પાછું ખેંચી લીધું હતું. અહીં સંપૂર્ણ રિપોર્ટ વાંચો.

તારણ: સોશિયલ મીડિયા પર કરવામાં આવતા દાવાઓ ભ્રામક છે. WHOએ એસિમ્પ્ટોમેટિક દર્દીઓથી ચેપ ફેલાવવાની વાત ખોટી ગણાવી ચૂક્યું છે અને WHOએ ક્યારેય કહ્યું નથી કે એસિમ્પટોમેટિક દર્દીઓથી ચેપ નહીં ફેલાય.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The WHO is not talking about the spread of the infection from asymptomatic patients, based on a statement that was rumored to have been withdrawn by the WHO


from Divya Bhaskar https://ift.tt/2Ns4XAF
via IFTTT

ટિપ્પણીઓ નથી: