2500 વર્ષમાં પહેલીવાર ભગવાન મંદિરની બહાર નીકળ્યા, આજે રથયાત્રા નીકળશે; પછી 7 દિવસ માસીના ઘરે રહેશે જગન્નાથ
મંગળવારે રથયાત્રા માટે બનાવેલા રથનાં પૈડાં ખેંચવામાં આવશે. 2500 વર્ષથી વધુ જૂની રથયાત્રાના ઇતિહાસમાં આવું પહેલીવાર હશે, જ્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે, પરંતુ ભક્તો ઘરોમાં કેદ રહેશે. કોરોના રોગચાળાને કારણે, પુરી શહેરને સંપૂર્ણ લોકડાઉન પર લઈ જવામાં આવશે અને રથયાત્રાને મંદિરના 1172 સેવકો ગુંડિચા મંદિરે લઈ જશે.
#WATCH Idol of Lord Jagannath being brought to the chariot by priests and 'sevayats' for the Rath Yatra from Jagannath Temple in Puri#Odisha pic.twitter.com/b26LHX2jAi
— ANI (@ANI) June 23, 2020
2.5 કિમીની આ યાત્રા માટે મંદિર સમિતિએ દિલ્હીની સફર પૂર્ણ કરવી પડી હતી. સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ પછી, મંદિર સમિતિ સાથેની અનેક સંસ્થાઓએ સરકારને રથયાત્રા માટે ફરીથી પ્રયાસ કરવાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં 6 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. ચુકાદો આખરે મંદિર સમિતિની તરફેણમાં આવ્યો અને પુરી શહેરમાં ઉત્તેજનાની લહેર ફેલાઈ ગઈ. ચુકાદો આવતાની સાથે જ સેવકો મંદિરની સામે ઉભા રથને ખેંચીને મંદિરની સામે લાવ્યા.
મંગળવારે રથયાત્રા પૂરી કરીને ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે માસીના ઘર મુખ્ય મંદિરથી અઢી કિમી દૂર ગુંડિચા મંદિર જશે. આખા શહેરમાં 9 દિવસ ઉત્સવ ઉજવવામાં આવશે. મંદિર સમિતિ પહેલા જ નક્કી કરી ચુકી છે કે, ઉત્સવ દરમિયાન લોકોને આ બંને મંદિરોથી દૂર રાખવામાં આવશે. પુરી લોકડાઉન હટાવવામાં આવ્યા પછી પણ ધારા 144 લાગુ રહેશે.
- દુનિયાના સૌથી મોટા રસોડાની પ્રતિકૃતિ ગુંડિચા મંદિરમાં
ભગવાન જગન્નાથ માટે જગન્નાથ મંદિરમાં 752 ચૂલા ઉપર ખાવાનું બનાવવામાં આવે છે. તે વિશ્વના સૌથી મોટા રસોડાનો દરજ્જો ધરાવે છે. અહીંના ચૂલા રથયાત્રાના નવ દિવસ માટે ઠંડા થઈ જાય છે. ગુંડિચા મંદિરમાં 752 ચૂલા ઉપર રસોઈ થાય છે. જેને જગન્નાથના રસોડાની પ્રતિકૃતિ માનવામાં આવે છે. આ ઉત્સવ દરમિયાન ભગવાન માટે ખવવાનું અહીં બનાવવામાં આવશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/37V8zoc
via IFTTT
ટિપ્પણીઓ નથી: