રાજ્યમાં કુલ 28,429 કેસ નોંધાયા, 20,521 દર્દી ડિસ્ચાર્જ અને 1,711ના મોત, અમદાવાદમાં કેસ અને મોતની સંખ્યા ઘટી
રાજ્યમાં છેલ્લા 3/4 દિવસથી નવા કેસની સામે ડિસ્ચાર્જની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. જ્યારે અમદાવાદમાં હવે ધીરે-ધીરે નવા દર્દીઓની સંખ્યા પણ ઘટી છે. ગુજરાતમાંઅત્યાર સુધીમાં કોરોનાના કુલ 3.34 લાખ સેમ્પલ ટેસ્ટ કરાયાં છે જેમાથી 28,429 કેસ પોઝિટિવ આવ્યા છે, જ્યારે તેમાંથી 20,521 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ વાઇરસના સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 1,711 લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં કુલ 549 નવા કેસ નોંધાયા તેની સામે 604 દર્દીઓ સાજા થઇને પરત ફર્યાં છે.
ગઈકાલે 24 કલાકમાં ક્યાં કેટલા કેસ નોંધાયા
રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 235, સુરતમાં 174, વડોદરામાં 42, જામનગરમાં 12, ભરૂચમાં 11, ગાંધીનગરમાં 10, ભાવનગરમાં 8, નર્મદામાં 6, મહેસાણામાં 5, મહિસાગરમાં 4, પંચમહાલમાં 4, કચ્છમાં 4, વલસાડમાં 4, નવસારીમાં 4, ગીર-સોમનાથમાં 3, સુરેન્દ્રનગરમાં 3, સાબરકાંઠામાં 2, આણંદ 2, પાટણમાં 2, બોટાદમાં 2, છોટાઉદેપુરમાં 2, રાજકોટમાં 2, અરવલ્લીમાં 1, ખેડામાં 1, દાહોદમાં 1, અમરેલીમાં 1, અન્ય રાજ્યના 3 કેસ નોંધાયા છે.
પૂર્વ ડીજીપી એ.આઇ. સૈયદનું કોરોનાને કારણે નિધન
ગુજરાતના પૂર્વ ડીજીપી એ.આઇ. સૈયદનું કોરોનાને કારણે મંગળવારે સાંજે નિધન થયું હતું. તેઓ એપોલો હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને તબિયત થોડી ગંભીર થતાં તેઓ વેન્ટિલેટર પર હતા. નિવૃત્તિ બાદ સૈયદ ભાજપ સરકારની ખૂબ નજીક આવ્યા હતા. તેઓ ગુજરાત વક્ફ બોર્ડના અધ્યક્ષ તરીકે પણ રહી ચૂક્યા છે.
છેલ્લા 25દિવસથી રાજ્યમાં દરરોજ 400થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ
|
તારીખ |
કેસ(કૌંસમાં અમદાવાદના કેસ) |
| 30 મે | 412(284) |
| 31 મે | 438 (299) |
| 1 જૂન | 423(314) |
| 2 જૂન | 415(279) |
| 3 જૂન | 485(290) |
| 4 જૂન | 492(291) |
| 5 જૂન | 510(324) |
| 6 જૂન | 498(289) |
| 7 જૂન | 480(318) |
| 8 જૂન | 477(346) |
| 9 જૂન | 470(331) |
| 10 જૂન | 510(343) |
| 11 જૂન | 513(330) |
| 12 જૂન | 495(327) |
| 13 જૂન | 517 (344) |
| 14 જૂન | 511(334) |
| 15 જૂન | 514(327) |
| 16 જૂન | 524(332) |
| 17 જૂન | 520(330) |
| 18 જૂન | 510(317) |
| 19 જૂન | 540(312) |
| 20 જૂન | 539 (306) |
| 21 જૂન | 580(273) |
| 22 જૂન | 563(314) |
| 23 જૂન | 549(235) |
કુલ 28429દર્દી, 1,711ના મોત અને 20,521 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)
| શહેર | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
| અમદાવાદ | 19,386 | 1,363 | 14,434 |
| સુરત | 3540 | 134 | 2471 |
| વડોદરા | 1940 | 47 | 1262 |
| ગાંધીનગર | 580 | 25 | 375 |
| ભાવનગર | 208 | 13 | 139 |
| બનાસકાંઠા | 167 | 8 | 142 |
| આણંદ | 158 | 13 | 131 |
| અરવલ્લી | 177 | 15 | 139 |
| રાજકોટ | 188 | 5 | 97 |
| મહેસાણા | 220 | 10 | 132 |
| પંચમહાલ | 144 | 15 | 117 |
| બોટાદ | 76 | 2 | 66 |
| મહીસાગર | 130 | 2 | 108 |
| પાટણ | 149 | 12 | 97 |
| ખેડા | 123 | 5 | 87 |
| સાબરકાંઠા | 155 | 7 | 102 |
| જામનગર | 147 | 3 | 69 |
| ભરૂચ | 162 | 6 | 77 |
| કચ્છ | 117 | 5 | 84 |
| દાહોદ | 53 | 0 | 43 |
| ગીર-સોમનાથ | 58 | 0 | 47 |
| છોટાઉદેપુર | 43 | 2 | 37 |
| વલસાડ | 75 | 3 | 48 |
| નર્મદા | 59 | 0 | 30 |
| દેવભૂમિ દ્વારકા | 20 | 1 | 14 |
| જૂનાગઢ | 66 | 1 | 38 |
| નવસારી | 53 | 1 | 37 |
| પોરબંદર | 14 | 2 | 10 |
| સુરેન્દ્રનગર | 95 | 4 | 50 |
| મોરબી | 10 | 1 | 5 |
| તાપી | 6 | 0 | 5 |
| ડાંગ | 4 | 0 | 4 |
| અમરેલી | 47 | 5 | 17 |
| અન્ય રાજ્ય | 60 | 1 | 8 |
| કુલ | 28,429 | 1,711 | 20,521 |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3fQlKcR
via IFTTT
ટિપ્પણીઓ નથી: