જગન્નાથ, સુભદ્રા અને બળદેવના રથ ગુંડિચા મંદિર પહોંચ્યા, 7 દિવસ અહીં ઉત્સવ ઉજવાશે, ભગવાન જગન્નાથ 1 જુલાઈએ પાછા ફરશે

ભગવાન જગન્નાથ, બળદેવ અને સુભદ્રાના રથ ગુંડિચા મંદિર પહોંચી ગયા છે. હવે 7 દિવસ સુધી ભગવાન અહીં જ રહેશે. રથ ઉત્સવ અહીં જ ઉજવાશે. 1 જુલાઈએ ભગવાન ફરી આ જ રથમાં બેસીને મુખ્ય મંદિર પહોંચશે. જેને બહુડા યાત્રા કહેવામાં આવે છે.

જગન્નાથ પુરીમાં બપોરે 1.50 વાગ્યે ભગવાન જગન્નાથનો રથ નંદીઘોષ ખેંચવામાં આવ્યો હતો. આ પહેલાં 12.10 વાગ્યે પહેલો રથ તાલધ્વજ ખેંચવામાં આવ્યો. ભગવાન જગન્નાથના ભાઇ બળદેવના કાળા ઘોડાવાળો રથ તાલધ્વજ મંદિરના સેવકોએ ખેંચવાનો શરૂ કર્યો હતો. ગ્રાંડ રોડ ઉપર સૌથી આગળ આ જ રથ હતો. ત્યાર બાદ 12.50 વાગ્યે દેવી સુભદ્રાના રથ દેવદલન ખેંચવામાં આવ્યો.

કોરોનાના કારણે સુપ્રીમ કોર્ટે યાત્રા ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો, પરંતુ સોમવારે અનેક શરતો વચ્ચે યાત્રાને મંજૂરી આપવામાં આવી હતી.
કોરોનાના કારણે સુપ્રીમ કોર્ટે યાત્રા ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો, પરંતુ સોમવારે અનેક શરતો વચ્ચે યાત્રાને મંજૂરી આપવામાં આવી હતી.

આ પહેલાં સવારે ભગવાન જગન્નાથ, બળદેવ અને સુભદ્રા દેવીને ગર્ભગૃહમાંથી લાવીને રથમાં વિરાજિત કરવામાં આવ્યાં હતાં. પુરી શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતી અને ગણપતિ મહારાજ દિવ્યસિંહ દેબ પણ પૂજન કરવા પહોંચ્યાં. પૂજા બાદ પુરીના ગજપતિ મહારાજે સોનાના ઝાડુથી રથની પહિંદ વિધિ કરી.

ઓરિસ્સાના કાનૂન મંત્રીએ જણાવ્યું કે, મંદિરના બધા સેવકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. તેમાંથી એક સેવક કોરોના પોઝિટિવ આવ્યો. તેને રથયાત્રાથી દૂર રાખવામાં આવ્યો છે. રથયાત્રા સુપ્રીમ કોર્ટના નિર્દેશો પ્રમાણે જ કાઢવામાં આવી હતી.

યાત્રાના વિધાનની શરૂઆત જગન્નાથ મંદિરના પ્રાંગણમાં મુહૂર્ત પ્રમાણે સવારે 3.15 વાગ્યાથી શરૂ થઇ. ખીચડી ભોગ પછી રથ પ્રતિષ્ઠા અને અન્ય વિધિ સંપન્ન કરાઈ. ત્યાર બાદ સેવકો દ્વારા બલરામ, સુભદ્રા અને જગન્નાથની ચલંત પ્રતિમાઓ જેને મદનમોહન કહેવામાં આવે છે તેમને રથ તરફ લાવવાની પ્રક્રિયા શરૂ થઇ.
યાત્રાના વિધાનની શરૂઆત જગન્નાથ મંદિરના પ્રાંગણમાં મુહૂર્ત પ્રમાણે સવારે 3.15 વાગ્યાથી શરૂ થઇ. ખીચડી ભોગ પછી રથ પ્રતિષ્ઠા અને અન્ય વિધિ સંપન્ન કરાઈ. ત્યાર બાદ સેવકો દ્વારા બલરામ, સુભદ્રા અને જગન્નાથની ચલંત પ્રતિમાઓ જેને મદનમોહન કહેવામાં આવે છે તેમને રથ તરફ લાવવાની પ્રક્રિયા શરૂ થઇ.
યાત્રા શરૂ થતાં પહેલાં અને સંપૂર્ણ યાત્રા દરમિયાન તે સંપૂર્ણ રસ્તાને ઓરિસ્સા ફાયર સર્વિસના જવાનો સેનેટાઇઝ કરતાં રહ્યાં. ત્રણ ફાયર ટેન્ડરની ગાડીઓ સતત યાત્રા માર્ગને ધોતી રહી. પુરીના વિધાયક જયંત ષાડંગીએ જણાવ્યું કે, યાત્રા સંપૂર્ણ વિધાન સાથે પૂર્ણ થઇ અને સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે જ સંપન્ન થઇ.
યાત્રા શરૂ થતાં પહેલાં અને સંપૂર્ણ યાત્રા દરમિયાન તે સંપૂર્ણ રસ્તાને ઓરિસ્સા ફાયર સર્વિસના જવાનો સેનેટાઇઝ કરતાં રહ્યાં. ત્રણ ફાયર ટેન્ડરની ગાડીઓ સતત યાત્રા માર્ગને ધોતી રહી. પુરીના વિધાયક જયંત ષાડંગીએ જણાવ્યું કે, યાત્રા સંપૂર્ણ વિધાન સાથે પૂર્ણ થઇ અને સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે જ સંપન્ન થઇ.

મંગળવારે રથયાત્રા પૂર્ણ કરી ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બળદેવ અને બહેન સુભદ્રા સાથે પોતાની માસીના ઘરે મુખ્ય મંદિરથી અઢી કિમી દૂર ગુંડિચા મંદિર પહોંચ્યાં. અહીં સાત દિવસ રોકાયા બાદ આઠમા દિવસે ફરી મંદિર પહોંચશે. કુલ નવ દિવસનો ઉત્સવ પુરી શહેરમાં યોજાય છે. મંદિર સમિતિ પહેલાંથી નક્કી કરી રાખ્યું હતું કે, આ સંપૂર્ણ ઉત્સવમાં સામાન્ય લોકોને આ બંને મંદિરોથી દૂર રાખવામાં આવશે.

પુરીના જાણીતા સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે પુરી બીચ ઉપર રથયાત્રાની કલાકૃતિ બનાવી છે. ભગવાન જગન્નાથ, બળદેવ અને સુભદ્રા દેવી સાથે તેમના રથની પણ કલાકૃતિ બનાવી છે.
પુરીના જાણીતા સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે પુરી બીચ ઉપર રથયાત્રાની કલાકૃતિ બનાવી છે. ભગવાન જગન્નાથ, બળદેવ અને સુભદ્રા દેવી સાથે તેમના રથની પણ કલાકૃતિ બનાવી છે.

દુનિયાની સૌથી મોટી રસોઈની રિપ્લિકા ગુંડિચા મંદિરમા-
ભગવાન જગન્નાથ માટે જગન્નાથ મંદિરમાં 752 ચૂલા પર ભોજન બને છે. જેને દુનિયાની સૌથી મોટી રસોઈનો દરજ્જો આપવામાં આવ્યો છે. રથયાત્રાના નવ દિવસ અહીંના ચૂલા ઠંડા થઇ જાય છે. ગુંડિચા મંદિરમાં પણ 752 ચૂલા ધરાવતું જ રસોડું છે, જે જગન્નાથની રસોઈની જ રિપ્લિકા માનવામાં આવે છે. આ ઉત્સવ દરમિયાન ભગવાન માટે અહીં જ ભોગ બનશે.

ગોવર્ધન પીઠ પુરીના શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતીએ રથની પૂજા-અર્ચના કરી. પ્રતિમાઓનો શ્રૃંગાર થયો.
ગોવર્ધન પીઠ પુરીના શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતીએ રથની પૂજા-અર્ચના કરી. પ્રતિમાઓનો શ્રૃંગાર થયો.

ભાસ્કર નોલેજઃ-
16 પૈડાવાળો 13 મીટર ઊંચો જગન્નાથનો રથ, તેના 3 નામઃ-

ભગવાન જગન્નાથનો રથઃ- આ રથના અનેક નામ છે જેમ કે, ગરુડધ્વજ, કપિધ્વજ, નંદીઘોષ વગેરે. 16 પૈડાવાળો આ રથ 13 મીટર ઊંચો હોય છે. રથના ઘોડાનું નામ શંખ, બલાહક, શ્વેત તથા હરિદાશ્વ છે. આ રથ સફેદ રંગના હોય છે. સારથીનું નામ દારૂક છે. રથ ઉપર હનુમાનજી અને નરસિંહ ભગવાનનું પ્રતીક હોય છે. રથ ઉપર રક્ષાનું પ્રતીક સુરદર્શન સ્તંભ પણ હોય છે. આ રથના રક્ષક ગરુડ છે. રથની ધ્વજા ત્રિલોક્યવાહિની કહેવાય છે. રથના દોરડાને શંખચૂડ કહેવામાં આવે છે. તેને સજાવવા માટે 1100 મીટર કાપડની જરૂર પડે છે.

બળદેવનો રથઃ- આ રથનું નામ તાલધ્વજ છે. રથ ઉપર મહાદેવજીનું પ્રતીક હોય છે. તેના રક્ષક વાસુદેવ અને સારથી માતલિ છે. રથના ધ્વજને ઉનાની કહેવામાં આવે છે. ત્રિબ્રા, ઘોરા, દીર્ઘશર્મા અને સ્વર્ણનાવા તેમના ઘોડા છે. આ રથ 13.2 મીટર ઊંચો અને 14 પૈડાવાળો હોય છે. લાલ અને લીલા રંગના કપડા અને લાકડાના 763 ટુકડાથી બને છે. રથના ઘોડા વાદળી રંગના હોય છે.

સુભદ્રાનો રથઃ- આ રથનું નામ દેવદલન છે. રથ ઉપર દેવી દુર્ગાનું પ્રતીક હોય છે. તેના રક્ષક જયદુર્ગા અને સારથી અર્જુન છે. રથનો ધ્વજ મદંબિક કહેવાય છે. રોચિક, મોચિક, જીતા અને અપરાજિતા તેના અશ્વ છે. આ રથને ખેંચવા માટેના દોરડાને સ્વર્ણચૂડા કહેવામાં આવે છે. આ રથ 12.9 મીટર ઊંચો અને 12 પૈડાવાળો લાલ અને કાળા કપડા સાથે લાકડાના 593 ટુકડાથી બને છે. રથના ઘોડા કોફી રંગના હોય છે.

રથયાત્રાના રથને મંદિરના 1172 સેવકો જ ખેંચશે. આ બધાનો કોરોના ટેસ્ટ પણ પહેલાં જ કરી લેવામાં આવ્યો હતો, જેમાં બધાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે, એક રથને 500 લોકોથી વધારે લોકો ખેંચે નહીં.

પાલકી ઉપર સવાર ગજપતિ મહારાજ દિવ્યસિંહ દેવ 10.30 વાગ્યે છોરા પોહરા (પહિંદ વિધિ) કરવા પહોંચ્યાં.
પાલકી ઉપર સવાર ગજપતિ મહારાજ દિવ્યસિંહ દેવ 10.30 વાગ્યે છોરા પોહરા (પહિંદ વિધિ) કરવા પહોંચ્યાં.

પુરીના અનેક નામઃ-
પુરી એક એવું સ્થાન છે, જેને હજારો વર્ષોથી અનેક નામો જેમ કે- નીલગિરી, નીલાદ્રિ, નીલાંચલ, પુરૂષોત્તમ, શંખશ્રેષ્ઠ, જગન્નાથ ધામ, જગન્નાથ પુરી તરીકે ઓળખવામાં આવે છે.

રથયાત્રાના માર્ગે આવતાં ઘરના લોકોને બાલકનીમાં આવવાની મંજૂરી હતી નહીં, પરંતુ થોડાં લોકો ઘરની અગાસીમાં ઊભા રહીને દર્શન કરતાં જોવા મળ્યાં.
રથયાત્રાના માર્ગે આવતાં ઘરના લોકોને બાલકનીમાં આવવાની મંજૂરી હતી નહીં, પરંતુ થોડાં લોકો ઘરની અગાસીમાં ઊભા રહીને દર્શન કરતાં જોવા મળ્યાં.

ગુંડિચા મંદિરમાં જ જગન્નાથની પહેલી પ્રતિમા બની હતીઃ-
ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે અષાઢ સુદ બીજ તિથિએ કાઢવામાં આવે છે. આ યાત્રા ગુંડિચા મંદિર સુધી જઇને ફરી મંદિરમાં પ્રવેશ કરે છે. માન્યતા છે કે, આ ગુંડિચા મંદિરમાં દેવતાઓના શિલ્પી વિશ્વકર્માએ ભગવાન જગન્નાથ, બળદેવ અને સુભદ્રાની પ્રતિમાઓનું નિર્માણ કર્યું હતું. એટલે ગુંડિચા મંદિરને બ્રહ્મલોક કે જનકપુરી પણ કહેવામાં આવે છે.

રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ થોડો સમય આ મંદિરમાં વિતાવે છે. આ સમયે ગુંડિચા મંદિરમાં ભવ્ય મહોત્સવ ઉજવાય છે. તેને ગુંડિચા મહોત્સવ કહેવામાં આવે છે. ગુંડિચા મંડપથી રથ ઉપર બેસીને દક્ષિણ દિશા તરફ આવીને શ્રીકૃષ્ણ, બળદેવ અને સુભદ્રાના જે લોકો દર્શન કરે છે, તેઓ મોક્ષ પ્રાપ્ત કરે છે.

રથયાત્રા સમયે જે દોરડાથી રથ ખેંચવામાં આવે છે તે કેરળથી બનીને આવે છે. લગભગ 15 દિવસ પહેલાં જ કેરળથી આ દોરડા પુરી પહોંચી ગયાં હતાં.
રથયાત્રા સમયે જે દોરડાથી રથ ખેંચવામાં આવે છે તે કેરળથી બનીને આવે છે. લગભગ 15 દિવસ પહેલાં જ કેરળથી આ દોરડા પુરી પહોંચી ગયાં હતાં.

રથયાત્રાની કહાણીઃ માલવના રાજાને પહેલીવાર દર્શન આપ્યાં હતાં-
પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવાની પરંપરા ખૂબ જ જૂની છે. આ રથયાત્રા સાથે અનેક દંતકથાઓ પણ પ્રચલિત છે. તેના પ્રમાણે, ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવાની પરંપરા રાજા ઇન્દ્રદ્યુમે શરૂ કરી હતી. આ કથા આ પ્રકારે છે-

કળિયુગના પ્રારંભિક કાળમાં માલવ દેશ ઉપર રાજા ઇન્દ્રદ્યુમનું શાસન હતું. તે ભગવાન જગન્નાથના ભક્ત હતાં. એક દિવસ ઇન્દ્રદ્યુમ નીલાંચલ પર્વત ઉપર ગયાં તો તેમને ત્યાં દેવ પ્રતિમાના દર્શન થયાં નહીં. નિરાશ થઇને જ્યારે તેઓ પાછા આવવા લાગ્યાં, ત્યારે આકાશવાણી થઇ કે, જલ્દી જ ભગવાન જગન્નાથ મૂર્તિ સ્વરૂપે ધરતી ઉપર આવશે. આ સાંભળીને તેઓ ખુશ થઇ ગયાં.

એકવાર જ્યારે ઇન્દ્રદ્યુમ પુરીના સમુદ્ર તટ પર ભ્રમણ કરી રહ્યા હતાં, ત્યારે તે સમુદ્રમાં લાકડાના બે ટુકડા તરતા જોવા મળ્યાં. ત્યારે તેમને આકાશવાણીની યાદ આવી અને તેમણે વિચાર્યું કે, આ જ લાકડાઓથી તેઓ ભગવાનની મૂર્તિ બનાવડવાશે. ત્યારે ભગવાનની આજ્ઞાથી દેવતાઓના શિલ્પી વિશ્વકર્મા ત્યાં બઢઈ(સુથાર) સ્વરૂપમાં આવ્યાં અને તેમણે તે લાકડાઓથી ભગવાનની મૂર્તિ બનાવવા માટે રાજાને કહ્યું. રાજાએ તરત હા પાડી દીધી.

ત્યારે સુથાર સ્વરૂપી વિશ્વકર્માએ શરત રાખી કે, તેઓ મૂર્તિનું નિર્માણ એકાંતમાં કરશે. જો કોઇ ત્યાં આવશે તો તેઓ કામ અધૂરું છોડીને જતાં રહેશે. રાજાએ શરત માની લીધી. ત્યારે વિશ્વકર્માણે ગુંડિચા નામના સ્થાને મૂર્તિ બનાવવાનું કામ શરૂ કર્યું. એક દિવસ ભુલથી રાજા સુથારને મળવા પહોંચી ગયાં.

તેમને જોઇને વિશ્વકર્મા ત્યાંથી અંતર્ધાન થઇ ગયા અને ભગવાન જગન્નાથ, બળદેવ અને સુભદ્રાની મૂર્તિઓ અધૂરી રહી ગઇ. ત્યારે આકાશવાણી થઇ કે, ભગવાન આ સ્વરૂપે જ સ્થાપિત થવા માંગે છે. ત્યારે રાજા ઇન્દ્રદ્યુમે વિશાળ મંદિર બનાવીને ત્રણેય મૂર્તિઓ ત્યાં સ્થાપિત કરાવી દીધી.

ભગવાન જગન્નાથે જ રાજા ઇન્દ્રદ્યુમને દર્શન આપીને કહ્યું કે, તઓ વર્ષમાં એકવાર પોતાની જન્મભૂમિ અવશ્ય જશે. સ્કંદપુરાણના ઉત્કલ ખંડ પ્રમાણે, ઇન્દ્રદ્યુમે અષાઢ મહિનાની બીજના દિવસે પ્રભુને તેમની જન્મભૂમિ જવાની વ્યવસ્થા કરી. ત્યારથી જ આ રથયાત્રાની પરંપરા ચાલી રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Rath of Jagannath, Subhadra and Baldev reached Gundicha temple, festival will be celebrated here for 7 days, Lord Jagannath will return on 1st July


from Divya Bhaskar https://ift.tt/2NnXv9T
via IFTTT

ટિપ્પણીઓ નથી: