અહીંયા આવતા દરેક વ્યક્તિએ ફરજીયાત ક્વૉરન્ટીન થવું પડે છે, આજ કારણે 8 રાજ્યોમાં કોરોનાના માત્ર 8 હજાર કેસ છે

ઉત્તર પૂર્વનું મેઘાલય દેશમાં કોરોના સંક્રમણની યાદીમાં સૌથી નીચે 36માં ક્રમે છે. અહીંયા દર્દીઓની સંખ્યા હાલ 100 કરતા પણ ઓછી છે. આ સ્થિતિ ત્રિપુરા, આસામ, મણિપુર, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ તથા નાગાલેન્ડમાં પણ છે. કોરોનાકાળમાં ભારતના આ એવા ભાગ છે જ્યાં સંક્રમણના કેસ ઓછા છે. આ તમામ આઠ રાજ્યોમાં કુલ દર્દીઓની સંખ્યા હાલ 8 હજાર સુધી પહોંચી છે. જ્યારે દેશમાં 12 નંબરે રહેલા માત્ર તેલંગાણામાં લગભગ 9 હજાર કેસ આવી ચુક્યા છે.

મેઘાલયના સીએમ કોનરાડ સંગમાએ તાજેતરમાં જ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

રેજિડેન્ટ કમિશનર દરેક એન્ટ્રસ પર તહેનાત હોય છે
ગુવાહાટીના એરપોર્ટ પર પહોંચતાની સાથે જ અમને નોર્થ ઈસ્ટ મોડલ જોવા મળ્યું. રાજધાની દિલ્હી વારંવાર યુપી-હરિયાણાની બોર્ડર સીલ કરી દે છે. તો બીજી બાજુ પંજાબ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશની પોલીસ બોર્ડર પર એકબીજા સાથે ઝઘડે છે, પરંતુ નોર્થ ઈસ્ટના 8 રાજ્યો એકબીજા સાથે મળીને કોરોના સામે લડી રહ્યા છે.
એવું એક પણ એન્ટ્રસ નથી જ્યાં તમામ રાજ્યોના રેજિડેન્ટ એક સાથે મળીને તહેનાત ન હોય. આ તમામ બહારથી આવતા દરેક યાત્રીને સીધા બસમાં બેસાડીને પોત પોતાના રાજ્યોના ક્વૉરન્ટીન સેન્ટર લઈ જાય છે. ગત મહિને મુંબઈથી આવેલા 57 લોકો ટ્રેનની ચેઈન ખેંચીને વચ્ચેના રસ્તે નાસી ભાગ્યા હતા, પરંતુ તમામને પકડીને ક્વૉરન્ટીન સેન્ટરમાં નાંખી દેવાયા હતા.

મિઝોરમની 95 વર્ષની નઘાકલિયાની લોકોને કોરોનાથી બચવા માટે માસ્ક બનાવીને વહેંચી રહી છે

કોઈ પણ સ્થિતિમાં 14 દિવસ તો ક્વૉરન્ટીન રહેવું પડે છે

  • તાજેતરમાં જ રાજ્યસભા ચૂંટણી પછી મણિપુર આવેલા કોંગ્રેસના પ્રવક્તા અજય માકન અને આસામના સાંસદ ગૌરવ ગોગોઈને પણ ક્વૉરન્ટીન થવું પડ્યું હતું. એ વખતે અમે પણ દિલ્હીથી ગુવાહાટી ગયા હતા. અમને પણ આ મોડલમાં લેવાની શક્યતાઓ હતી. એરપોર્ટના એક્ઝિટ ગેટ પર દરેકનું થર્મલ સ્ક્રીનિંગ કરાયું અને પુછવામાં આવતું હતું કે, ક્યાં જવાનું છે?
  • અમને ખબર હતી કે જો આસામમાં રોકાવાનું કહીશું તો 7 દિવસ ક્વૉરન્ટીન થવું પડશે. એટલા માટે અમે કહ્યું કે, અરુણાચલ પ્રદેશના તવાંગ જવાનું છે. વિચાર્યું કે, આવું કરીને અમે આસામ પાર કરીને તવાંગ જતા રહીશું, પણ આવું ન થયું
  • અમને કહેવામાં આવ્યું કે, સામે તમામ રાજ્યોના કાઉન્ટર લાગેલા છે, જે પણ રાજ્યમાં જવું હોય પહેલા એ કાઉન્ટર પર જઈને ફોર્મ ભરવું પડશે, પછી જ એરપોર્ટની બહાર જવા મળશે. અમે અરુણાચલ પ્રદેશના ડેપ્યુટી રેજિડેન્ટ કમિશનર દિલીપ કુમાર સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, ગઈકાલ રાતથી જ ઓનલાઈન ઈનર લાઈન પરમિટ બંધ કરી દેવાઈ છે. તમે ઓફ લાઈન પરમિટ બનાવી તો શકો છો પણ તેમ છતા તમારે રાજ્યની સીમામાં ઘુસતાની સાથે જ 14 દિવસ માટે ક્વૉરન્ટીન તો થવું જ પડશે.
    ગુવાહાટીમાં કલાકારોએ કોરોના વોરિયર્સના સન્માનમાં ઘણી જગ્યાઓએ રંગોળી બનાવી છે

તપાસ નેગેટિવ આવે તો પણ ક્વૉરન્ટીન સેન્ટરમાં રહેવું પડશે

  • અમે કહ્યું કે, જો અમે મેઘાલય જતા રહીએ તો? પાસેના કાઉન્ટરથી મેઘાલય રેજિડેન્ટ કમિશનરની ટીમે કહ્યું, કોઈ વાંધો નહીં તમે અહીંયા આવીને ફોર્મ ભરી દો અમે તમને રાજ્યની સીમાએ લઈ જઈને ક્વૉરન્ટીન કરી દેશું.એટલે કે તમે કોઈ પણ રાજ્યમાં જઈ તો શકો છો પણ દરેક જગ્યાએ ફરજીયાત ક્વૉરન્ટીન તો થવું જ પડશે. આસામના સ્વાસ્થ્ય મંત્રી ડો. હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, નોર્થ ઈસ્ટમાં તમામ યાત્રીઓનું સ્વાગત છે, પરંતુ કોરોનાની એન્ટ્રી પર પ્રતિબંધ છે. તપાસ નેગેટિવ આવશે તો પણ ક્વૉરન્ટીન સેન્ટરનો સમય તો પુરો કરવો જ પડશે. ત્યારપછી જ કોઈ મૂવમેન્ટ શક્ય બનશે.
  • આ વ્યવસ્થા મંત્રી, સાંસદ, ધારાસભ્ય અને સામાન્ય યાત્રીઓ તમામ માટે એક જ જેવી છે. આ આઠ રાજ્યોના 10 એરપોર્ટ હાલ પણ એક્ટિવ છે, જ્યાં સૌથી વધારે ગુવાહાટીમાં દરરોજ 15 થી 30 ફ્લાઈટ છે, આવી જ રીતે નાગાલેન્ડના દીમાપુર, મિઝોરમના આઈઝોલ, મણિપુરના ઈમ્ફાલ, ત્રિપુરાના અગરતલ્લા તથા મેઘાલયના શિલાંગ એરપોર્ટ પર પણ ફ્લાઈટ્સની અવરજવર શરૂ થઈ ચુકી છે પરંતુ હાલ તમામ એરપોર્ટ પર રાજ્યની ટીમ તહેનાત છે.
    ગુવાહાટીના કલાકારોએ લોકોમાં કોરોના અંગે જાગૃતતા લાવવા માટે પેઈન્ટીંગ્સ બનાવી છે

સુરક્ષામાં રાહત છે, પરંતુ રાતે 10 વાગ્યા પછી

  • જેટલા કડક પગલા ઉત્તરપૂર્વની સરકાર લઈ રહી હતી તેનાથી ઓછા જિદ્દી તો અમે પણ નહોતા. સુરક્ષામાં થોડી રાહત મળે એની રાહ જોતા અમે 20 કલાક એરપોર્ટ પર જ રોકાયા હતા. જેમણે અમને ફોર્મ ભરીને આપ્યા હતા તે અમને ગાડીઓમાં બેસાડીને લઈ ગયા હતા. અમારી સાથે 50 લોકો રહી ગયા જેમણે જણાવ્યું કે, આપણે અહીંયાથી પાછું જવું પડશે. અમને રાતના 10 વાગ્યા સુધી વેઈટિંગ હોલમાં રાખવામાં આવ્યા હતા. પછી એરપોર્ટ પરથી અચાનક તમામ રેજિડેન્ટની ટીમ નીકળી ગઈ અને કર્મચારી એરપોર્ટ ખાલી કરાવવા માટે આવી ગયા.
  • તેમણે બધાને બહાર કાઢ્યા અને કહ્યું કે, રોડ પર મુકેલી ખુરશી પર રાત કાઢવી પડશે. હવે અમે રાતનો નજારો જોવા લાગ્યા, ધીમે ધીમે ટેક્સીઓ આવવા લાગી અને લોકો એમા બેસીને જવા લાગ્યા હતા. ત્યારે અમે ત્યાંના પોલીસ કરમિશનર એમપી ગુપ્તાનો સંપર્ક કર્યો. તેમણે જણાવ્યું કે, તમામ યાત્રીઓની યાદી તેમની પાસે છે. આ લોકોએ ફરજીયાત ક્વૉરન્ટીન સેન્ટર જવું જ પડશે. તેમને પોલીસ લેવા માટે આવશે, બની શકે કે આ લોકો ત્યાં સુધી પોતાના ઘરે જઈને પોતે પોઝિટિવ હોવાની સાથે સાથે ઘરના લોકોને પણ સંક્રમિત કરી દે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
North East model of Covid 19 management।northeast emerges as model of coronavirus management।


from Divya Bhaskar https://ift.tt/2YXm036
via IFTTT

ટિપ્પણીઓ નથી: