ભારતના નક્શાની સાથે કમ્યુનિટી ટ્રાન્સમિશનની ચેતવણી આપતું વાઈરલ ગ્રાફીક ખોટું, સરકાર અને નિષ્ણાતોએ તેને નકારી કાઢ્યું
શું વાઈરલઃ India in Pixelsની તરફથી જાહેર કરવામાં આવેક ઈન્ફોગ્રાફિક. તેમાં દેશના નક્શા પર ચિહ્નિત કરીને બતાવવામાં આવ્યું છે કે કયા કયા રાજ્યોમાં કોવિડ-19નું કમ્યુનિટી ટ્રાન્સમિશન પ્રવેશ કરી શકે છે. સૌથી વધારે જોખમ તેલંગણા રાજ્યમાં દર્શાવવામાં આવ્યું છે.
- નક્શામાં દરેક રાજ્ય પર એક ટકાવારી લખવામાં આવી છે. આ ટકાવારીના આધાર પર કમ્યુનિટી ટ્રાન્સમિશનના જોખમનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. હવે આ ટકાવારી ક્યાંથી આવી? આ ટકાવારી કાઢવા માટે એક ફોર્મ્યુલા છે, જે નક્શા પર જ લખેલી છે.
- આપેલા ફોર્મ્યુલાના અનુસાર, રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યાને બાદ કરવાની છે. પછી તેને 100થી ગુણાકાર(મલ્ટીપ્લાઈ) કરવાની છે. હવે આ સંખ્યાને ક્વોરન્ટીન લોકોની સંખ્યા સાથે ડિવાઈડ કરવાની છે.
સોશિયલ મીડિયા પર આ નક્શાને શેર કરતાં કમ્યુનિટી ટ્રાન્સમિશનની ચેતવણી આપવામાં આવી રહી છે

https://www.facebook.com/pushpender.awadhiya.9/posts/10158643429201202

https://www.facebook.com/theUniversityofenter यंत्र/posts/587334278586192

https://twitter.com/vidyasagarallam/status/1275075307855208462
ફેક્ટ ચેકની તપાસ
નક્શા પર India in Pixels લખ્યું છે. અમે સોશિયલ મીડિયા પર આ નામનું પેજ શોધવાનું શરૂ કર્યું. તે નામથી એક ફેસબુક પેજ મળ્યું, જ્યાં ઘણા આકંડાને ભારતના નક્શા પર ઇન્ફોગ્રાફિક તરીકે પોસ્ટ કરવામાં આવે છે. મોટી સંખ્યામાં લોકો આ પોસ્ટને શેર પણ કરે છે.
- કમ્યુનિટી ટ્રાન્સમિશનવાળા ફોટોનું અહીં સ્પષ્ટીકરણ પણ કરવામાં આવ્યું છે. આ સ્પષ્ટીકરણ બાદમાં ઉમેરવામાં આવ્યું છે. કેમ કે, તેની આગળ એડિટેડ લખેલું છે. શેર કરનાર યુઝર જો તેને ધ્યાનથી વાંચ્યું હોત તો તેને સાચું માનવામાં ન આવ્યું હોત અને શેર કરવામાં પણ ન આવ્યું હોત.

- ડિસ્કલેમરમાં સ્પષ્ટ લખ્યું છે કે આ ઇન્ફોગ્રાફિક જોયા પછી ડરશો નહીં. અમે સંક્રમણને લઈને કોઈ દાવો નથી કરી રહ્યા. એટલે કે એક તરફ ઇન્ફોગ્રાફિકમાં લખ્યું છે Risk of Community Transmission. બીજી તરફ કમ્યુનિટી ટ્રાન્સમિશનને લઈને કોઈ દાવો નથી કરી રહ્યા.
- સૌથી ખાસ વાત એ છે કે, પહેલા આ ડિસ્કલેમર નાખવામાં નહોતું આવ્યું. પોસ્ટ સોશિયલ મીડિયા પર જ્યારે વાઈરલ થઈ ગઈ ત્યારબાદ કેપ્શનને એડિટ કરીને સ્પષ્ટીકરણ લખવામાં આવ્યું. પહેલા India in Pixelsએ દાવો કર્યો હતો કે, ભારતના આ રાજ્યોમાં કોરોનાનું કમ્યુનિટી ટ્રાન્સમિશનનું જોખમ છે.
- ટ્વિટર હેન્ડલ પર પણ India in Pixelsના મેપને રીટ્વીટ કરીને સ્પષ્ટા કરી છે. જેમાં લખ્યું છે કે, આ ફોર્મ્યુલા માત્ર એક રફ અંદાજ છે, આ કોઈ અનુમાન નથી.

- તેલંગાણા સરકારે આ નકશા વિશે ખાસ પ્રેસ નોટ જારી કરી છે. તેમાં ન માત્ર કમ્યુનિટી ટ્રાન્સમિશનના અંદાજ માટે ઉપયોગ કરવામાં આવેલા ફોર્મ્યુલાને પાયાવિહોણી ગણાવી છે.પરંતુ તેની હકીકતને પણ ખોટી ગણાવી છે.
- તેલંગણા સરકારે પ્રેસ નોટમાં એ પણ કહ્યું છે કે, ICMR પહેલેથી જ જાહેર કરી ચૂક્યું છે કે રાજ્યમાં કોઈ કમ્યુનિટી ટ્રાન્સમિશન નથી.

- તેલંગણા સરકારના નક્શામાં આપવામાં આવેલા ફોર્મ્યુલાના આધાર પર રાજ્યમાં ક્વોરન્ટીન દર્દીઓની સંખ્યા અને પોઝિટિવ અને સાજા થયેલા દર્દીઓની સંખ્યાની ગણતરી કરીને જણાવવામાં આવ્યું છે. આ ગણતરી અનુસાર, તેલંગણાનો આંકડો 0.198% હશે. જ્યારે નક્શામાં તેને 122% દર્શાવવામાં આવ્યો છે. જો કે, તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઉપયોગ કરવામાં આવેલા ફોર્મ્યુલા રેન્ડમ છે. જેનો કોઈ આધાર નથી.
- આ ફોર્મ્યુલાના આધાર પર કમ્યુનિટી ટ્રાન્સમિશનની દલીલ કેટલી સાચી છે, તે જાણવા માટે અમે ICMRના મહામારી અને સંક્રમણ સંબંધિત એક નિષ્ણાત સાથે વાત કરી.
- તેમણા જણાવ્યા પ્રમાણે, વર્તમાનમાં વૈજ્ઞાનિક ડો. રેડ્ડીની થિયરીના આધાર પર જ કમ્યુનિટી ટ્રાન્સમિશન જાહેર કરવામાં આવે છે. એટલે કે, જો વાઈરસથી સંક્રમિત 70% દર્દીઓના સંક્રમણની જાણકારી સરકારની પાસે ન હોય તો તે કમ્યુનિટી ટ્રાન્સમિશન હશે. આ થિયરીના આધાર કમ્યુનિટી ટ્રાન્સમિશનના પ્રવેશવાળી વાત ભ્રામક છે.
- ICMRના મહામારી નિષ્ણાતે સ્પષ્ટ કહ્યુંઃ નક્શામાં જે કમ્યુનિટી ટ્રાન્સમિશનની વાત કરવામાં આવી રહી છે તે પાયાવિહોણી છે.
નિષ્કર્ષઃ વાઈરલ નક્શામાં જે ફોર્મ્યુલાના આધાર પર કમ્યુનિટી ટ્રાન્સમિશનની વાત કરવામાં આવી રહી છે તેના કોઈ પુરાવો નથી. તેલંગણા સરકારની સાથે ICMRના નિષ્ણાતોએપણ તેને નકારી દીધું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31ayd7h
via IFTTT
ટિપ્પણીઓ નથી: