કોરોનાનો ચેપ લાગ્યા બાદ 100માંથી 79 દર્દીઓમાં હાર્ટ ડેમેજ અને હૃદયમાં સોજો આવવાની ફરિયાદ નોંધાઈ, કોરોનામાંથી રિકવર થયા બાદ 80%ને હૃદય સંબંધિત સમસ્યાઓ શરૂ
કોરોનામાંથી સ્વસ્થ થયા પછી પણ વાઇરસના ચેપની અસર શરીરમાં લાંબા સમય સુધી જોઈ શકાય છે. અમેરિકન મેડિકલ એસોસિએશન જર્નલના રિસર્ચમાં આ વાત સામે આવી છે. આ સંશોધનમાં જણાવ્યા મુજબ, કોરોનામાંથી રિકવર થયા બાદ 80% લોકોમાં હૃદયની સમસ્યાઓ જોવા મળી છે. આ રિસર્ચ એપ્રિલથી જૂન દરમિયાન થયું હતું. આમાં કોરોનાના એવા દર્દીઓ સામેલ હતા જેઓ પહેલા તંદુરસ્ત હતા અને તેમની ઉંમર 40 થી 50 વર્ષ હતી.
100 દર્દીઓ પર રિસર્ચ કરાયું
સંશોધકોના જણાવ્યા અનુસાર, કોરોનાથી પીડિત 100 લોકો પર આ રિસર્ચ કરાયું હતું. આમાંથી 67 દર્દીઓ એવા હતા જેઓ એસિમ્પ્ટોમેટિક હતા અથવા ખૂબ હળવા લક્ષણો ધરાવતા હતા. અન્ય 23 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દર્દીઓના હૃદય પર કોરોના શું અસર કરે છે તે જાણવા માટે MRI, બ્લડ ટેસ્ટ અને હાર્ટ ટિશ્યૂની બાયોપ્સી કરવામાં આવી હતી.
78% દર્દીઓમાં હૃદય પર સોજો જોવા મળ્યો
સંશોધક ક્લાઉડ ડબલ્યુ યેન્સીના જણાવ્યા અનુસાર, રિસર્ચમાં 100માંથી 78 દર્દીઓમાં હાર્ટ ડેમેજ અને હાર્ટ સોજો જોવા મળ્યો છે. આ રિસર્ચને સર્ટિફિકેટ મળ્યા બાદ એવી બધી બાબતો જાહેર થવાની બાકી છે જે ભવિષ્યમાં શરીરના ભાગોને કેટલી અસર કરશે તે જણાવશે. જેટલો વધારે ચેપ વધશે ભવિષ્યમાં એટલી વધારે સાઇડ ઇફેક્ટનું જોખમ પણ વધશે.
બ્રિટનમાં કરવામાં આવેલા રિસર્ચમાં પણ એ જ જાણવા મળ્યું કે, કોરોનાના 1216 દર્દીઓમાં ચેપ લાગ્યા બાદ તેમને હૃદય સંબંધિત સમસ્યાઓ થવા લાગી. 15% દર્દીઓમાં હૃદય સંબંધિત એવા કોમ્પ્લિકેશન્સ સામે આવ્યા જે બહુ ગંભીર હતા અને જીવલેણ પણ હતા.
હૃદયને કેમ અસર થઈ રહી છે?
વૈજ્ઞાનિકો એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે દર્દીઓ પર લાંબા સમય સુધી કોરોનાની આડઅસરો શા માટે જોવા મળે છે. તેમનું કહેવું છે કે, કોરોના સીધી દર્દીઓના ફેફસાંને અસર કરે છે. જેના કારણે શરીરમાં ઓક્સિજનના સ્તરને અસર પહોંચે છે. આ સ્થિતિમાં લોહીને અન્ય અવયવો સુધી પહોંચાડવા માટે ઘણી મહેનત કરવી પડે છે. સતત દબાણ આવવાને કારણે હૃદયના ટિશ્યૂ નબળા થવા લાગે છે અને હૃદયરોગને લગતા કેસો ઉભા થાય છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Xd33Jv
via IFTTT
ટિપ્પણીઓ નથી: