કાશ્મીરમાં આતંકી ઘટનાઓમાં 36%નો ઘટાડો, 6 મહિનાની અંદર સુરક્ષાદળોએ 4 ટોપ આતંકી કમાન્ડર સહિત 138 આતંકી ઠાર માર્યા

ભારત સરકારના ગૃહ મંત્રાલયના એક રિપોર્ટ પ્રમાણે, જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવાયા પછી આતંકી પ્રવૃત્તિમાં ઘટાડો જોવા મળ્યો છે. આ ડેટા જમ્મુ કાશ્મીર પોલીસ, ઈન્ડિયન આર્મી અને સેન્ટ્રલ પેરામિલિટ્રી ફોર્સના કંપાઈલ રિપોર્ટમાંથી તૈયાર કરાયો છે. 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવાયો હતો. આ વર્ષે તેને એક વર્ષ પુરુ થઈ જશે.
ગત વર્ષના શરૂઆતના 7 મહિનામાં આતંકી હુમલાની 188 ઘટનાઓ બની હતી. આ વર્ષે આંકડો ઘટીને 120 થઈ ગયો છે. 138થી વધુ આતંકી આ વર્ષે માર્યા ગયા છે. જેમાંથી એક ડઝનથી વધુ તો એવા છે જેમને ઈન્ડિયન આર્મીએ નોર્થ કાશ્મીરના LOC પર ઠાર માર્યા છે. ગત વર્ષે અનુચ્છેદ 370 હટાવ્યા પહેલા માત્ર 126 આતંકી ઠાર મરાયા હતા. જ્યારે 75 સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા. આ વર્ષે અત્યાર સુધી 35 સુરક્ષાકર્મી શહીદ થયા છે.
ગત વર્ષે સપ્ટેમ્બરમાં 15 ચિનાર કોપ્સના કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ કેજેએસ ઢિલ્લને પાકિસ્તાનને ચેતવણ આપી હતી. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાની આર્મી અને ISIS જે કરવા માંગે તે કરી લે. પણ અમને એમને એવા પાઠ ભણાવીશું કે તેમની પેઢીઓ પણ યાદ રાખશે. અમે 1971થી પણ વધારે સારો પાઠ ભણાવીશું. તેમની ચેતવણીના પરિણામ રૂપે કાશ્મીરમાં પાકિસ્તાનના ટોપ આતંકવાદીઓ ઠાર થયા.

ઈન્ટેલિજન્સના રિપોર્ટ પ્રમાણે, 300થી વધુ આતંકવાદી સરહદ પારથી ભારતમાં ઘુસણખોરી કરવાની ફિરાકમાં છે, પણ ઈન્ડિયન આર્મી અને BSFના કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ વર્ષે અત્યાર સુધી હિજબુલ મુજાહિદ્દીનના 50, લશ્કરના 20 અને ISJK અને અનસાર ગજવત ઉલ હિન્દના 14 આતંકી ઠાર મરાયા છે.જેમાં હિજબુલ કમાન્ડર રિયાજ નાયકૂ, લશ્કર કમાન્ડર હૈદર, જૈશ કમાન્ડર કારી યાસિર અને અંસરનો બુરહાન કોકા સામેલ છે.
ગૃહ મંત્રાલયનો દાવો છે કે આ વર્ષે સ્થાનિક સ્તરે આતંકી સંગઠનોમાં સામેલ થનારા યુવાનોની સંખ્યામાં 40 ટકાનો ઘટાડો થયો છે. 2019ના પહેલા 6 મહિનાની તુલનામાં આ વર્ષે 67 યુવાન આતંકી બન્યા છે. જેમાંથી મોટાભાગના અનટ્રેઈન્ડ છે, જેમનું બ્રેઈન વોશ કરાયું છે. એટલા માટે આ લોકો 30 દિવસ કરતા વધુ સમય ટકી નહી શકે.
આ વર્ષે 110 સ્થાનિક આતંકી ઠાર મરાયા છે જે પાકિસ્તાન માટે ચિંતાનું કારણ છે. આ સાથે જ અલગ અલગ આતંકી ઓપરેશનમાં બે ડઝનથી વધુ પાકિસ્તાની આતંકી પણ ઠાર મરાયા છે. છેલ્લા સાત મહિનામાં જમ્મુ કાશ્મીર પોલીસે 22 આતંકી અને તેમના 300 સહયોગીઓની ધરપકડ કરી છે.
આ સાથે જ તેમના 22 ઠેકાણાનો પણ ખુલાસો થયો છે, જ્યાં આ લોકો હથિયાર અને દારૂગોળો રાખે છે. આ વર્ષે 190થી વધુ હથિયાર જપ્ત કરાયા છે.જેમાંથી 120 અલગ અલગ એન્કાઉન્ટર સાઈટ પરથી જપ્ત કરાયા છે.

આ વર્ષે મે મહિનામાં સુરક્ષાદળોએ હિજબુલના કમાન્ડર રિયાજ નાયકૂને ઠાર માર્યો હતો

સુરક્ષા એજન્સીઓનો દાવો છે કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે કાશ્મીરમાં આતંકી ઘટનાઓમાં 36%નો ઘટાડો થયો છે. ગત વર્ષે 51 ગ્રેનેડ અટેક થયા હતા, જ્યારે આ વર્ષે માત્ર 21 થયા છે. 2019માં 6 IED અટેક થયા હતા જેમાં એક પુલવામામાં પણ થયો હતો જ્યાં CRPFના 40 જવાન શહીદ થયા હતા. આ વર્ષે અત્યાર સુધી માત્ર એક IED અટેક થયો છે.

આ વર્ષે અલગાવવાદીઓમાં પણ ભાગલા જોવા મળ્યા છે, જે વિશે ગત વર્ષે વિચાર્યું પણ નહોતું. સૈયદ અલી શાહ ગિલાનીએ પોતાને હુર્રિયતમાંથી અલગ કરી લીધા છે, જે કાશ્મીરી કટ્ટરપંથી અને અલગાવવાદીઓ માટે સૌથી મોટો ઝાટકો છે. ઈન્ટેલિજેન્સના રિપોર્ટ પ્રમાણે, 300થી વધુ પાકિસ્તાની આતંકવાદી POKમાં સરહદ પારથી ભારતમાં ઘુસણખોરીની તૈયારી કરી રહ્યા છે, પણ ઈન્ડિયન આર્મી અને BSFની તહેનાતીના કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલે કે અનુચ્છેદ 370 હટાવ્યા પછી અલગાવવાદીઓ અને આતંકીઓ માટે કાશ્મીરમાં આગળનો રસ્તો મુશ્કેલીભર્યો થઈ ગયો છે.

આ વર્ષે અત્યાર સુધી હિજબુલ મુજાહિદ્દીનના 50, લશ્કરના 20 અને ISJK અને અનસાર ગજવત ઉલ હિન્દના 14 આતંકી ઠાર મરાયા છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
જમ્મુ કાશ્મીરમાંથી ગત વર્ષે અનુચ્છેદ 370 હટાવાયો હતો. ગૃહમંત્રાલયનો દાવો છે કે છેલ્લા એક વર્ષમાં કાશ્મીરમાં આતંકી ઘટના ઘટાડો થયો છે.


from Divya Bhaskar https://ift.tt/30Xuk3X
via IFTTT

ટિપ્પણીઓ નથી: