ઇઝરાયેલમાં રસી લીધા પછી 13ને હળવો પેરેલિસિસ થયો, 48 કલાક ચહેરા પર લકવાની અસર રહી

- જો કે પછી થોડી હળવાશ અનુભવાઇ
જેરુસલેમ તા.18 જાન્યુઆરી 2021 સોમવાર
ઇઝરાયેલમાં કોરોનાની રસી લીધા પછી ઓછામાં ઓછા 31 જણને ચહેરા પર હળવા પેરેલિસિસની અસર થઇ હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.
જેરુસલેમ પોસ્ટના એક રિપોર્ટ મુજબ આવી આડઅસર થઇ હોય એવા લોકોની સંખ્યા વધુ હોઇ શકે છે એમ ઇઝરાયેલા આરોગ્ય ખાતાનવા પ્રવક્તાએ કહ્યું હતું. જો કે આ પેરેલિસિસ બહુ ઘાતક કે ભારે નહોતો એમ પણ આ રિપોર્ટમાં જણાવાયું હતું.
જેમના ચહેરા પર હળવા લકવાની અસર જોવા મળી એ લોકોને રસીનો બીજો ડૉઝ આપવો કે નહીં એ વિશે સરકારી અધિકારીઓમાં દ્વિધાની લાગણી જોવા મળી હતી. જો કે આરોગ્ય ખાતાએ બીજો ડૉઝ આપવાની ભલામણ કરી હતી.
રસીની આડઅસર થઇ હોય એવા એક માણસે મિડિયાને કહ્યું કે મને લગભગ 48 કલાક ચહેરો બધિર થઇ ગયો હોય એવી લાગણી થઇ હતી. એ સિવાય મને બીજી કોઇ તકલીફ થઇ નહોતી. હું રસી નહીં લેવી એવું કોઇને કહેતો નથી. બની શકે કે બધાંને આવી આડઅસર ન પણ થાય. રસી લેવી જરૂરી છે અને દરેકે પોતાની સુરક્ષા માટૈ રસી લેવી જોઇએ.
જો કે આ અહેવાલમાં એ સ્પષ્ટ થયું નહોતું કે કઇ કંપનીની રસી લોકોને આપવામાં આવી હતી. અત્યાર અગાઉના અહેવાલ મુજબ ફાઇઝરની રસી લીધા પછી નોર્વેમાં વીસથી વધુ વ્યક્તિએ જાન ગુમાવ્યા હતા. ઇઝરાયેલમાં કઇ કંપનીની કોરોના રસી આપી એની વિગતો હજુ સ્પષ્ટ થઇ નથી. વીસનાં મરણ ઉપરાંત નોર્વેમાં 75થી વધુ લોકોની સ્થિતિ ગંભીર હોવાના રિપોર્ટ હતા.
નોર્વેમાં 27 ડિસેંબરે રસી આપવાની શરૂઆત થઇ હતી. ઇઝરાયેલના સરકારી પ્રવક્તાએ હજુ જાહેર કર્યું નથી કે એ લોકોએ કઇ કંપનીની રસી પોતાના પ્રજાજનોને આપી હતી. અલબત્ત, ઇઝરાયેલી ડૉક્ટરોએ હળવા લકવાની અસરને ઝાઝું મહત્ત્વ આપ્યું નહોતું.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3szPxOk
via IFTTT
ટિપ્પણીઓ નથી: