કૃષિ કાયદા સ્થગિત કરો નહીં તો સ્ટે મુકીશું : સુપ્રીમ


સરકારમાં થોડી પણ જવાબદારી હોત તો સલાહ લીધા વગર ઘડી કાઢેલા આ કૃષિ કાયદા ઘણા સમય પહેલાં અટકાવી દીધા હોત : સુપ્રીમ 

અમારા હાથ કોઇના લોહીથી ખરડવા નથી : સુપ્રીમ

નવી દિલ્હી, તા. 11 જાન્યુઆરી, 2021, સોમવાર

ખેડૂતો દોઢ મહિનાથી કૃષિ કાયદા રદ કરવાની માગ સાથે દિલ્હીમાં આંદોલન કરી રહ્યા છે, કેટલાકે આંદોલન સૃથળે જ આત્મહત્યા કરી લીધી છે. છતા સરકાર કાયદા રદ કરવા કે તેના પર સ્ટે મુકવા માટે હાલ તૈયાર નથી. આ સિૃથતિ વચ્ચે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે અને મોદી સરકારને સ્પષ્ટ કહ્યું છે કે જો તમે કાયદાઓને હાલ હોલ્ડ પર નહીં મુકો તો અમે મુકી દઇશું. સુપ્રીમ કોર્ટ હવે આ સમગ્ર મામલે મંગળવારે ચુકાદો આપી શકે છે. 

કૃષિ કાયદાના વખાણ કરતી કેન્દ્ર સરકારની ઝાંટકણી કાઢતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આજદિન સુધી સુપ્રીમ કોર્ટમાં એક પણ એવી પિટિશન કે અરજી નથી થઇ કે જે કૃષિ કાયદાઓથી ફાયદા થઇ શકે તેમ છે તેવા દાવા કરતી હોય. સાથે જ ખેડૂતોની સાથેની વાતચીતનું કોઇ જ પરીણામ ન આવતા સુપ્રીમ કોર્ટે સરકારને પૂછ્યું છે કે શું થઇ રહ્યું છે આ બધું? તમે કોઇની પાસેથી પણ પુરતી સલાહ લીધા વગર એક એવો કાયદો ઘડી કાઢ્યો છે કે જેનું પરીણામ આ વિરોધ પ્રદર્શનના રૂપમાં આવ્યું છે. 

સરકારની ઝાંટકણી કાઢતા કોર્ટે કહ્યું હતું કે તમે જાહેર જીવનમાં છો, ભારત સરકારે એટલી જવાબદારી તો લેવી જ પડશે, જો સરકારમાં જવાબદારીની થોડી પણ ભાવના હોત તો કાયદાઓના અમલને હાલ પુરતો અટકાવી દીધો હોત.

મુખ્ય ન્યાયાધીશ અરવિંદ બોબડેની સુપ્રીમ કોર્ટની બેંચે કૃષિ કાયદા અને ખેડૂતોના વિરોધ પ્રદર્શન મુદ્દે દાખલ જુદી જુદી અરજીઓની સુનાવણી કરી હતી. આ અરજીમાં દ્રમુક સાંસદ તિરૂચિ શિવા અને રાજદના સાંસદ મનોજ ઝાની અરજીનો સમાવેશ થાય છે. આ લોકોએ કૃષિ કાયદાની બંધારણીય માન્યતાને લઇને સવાલ ઉઠાવ્યા છે અને તેને રદ કરવાની માગણી કરી છે. 

સુનાવણી વેળાએ સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમને નથી લાગી રહ્યું કે કેંદ્ર સરકાર આ મામલાને યોગ્ય રીતે હેંડલ કરી રહી છે, અમારે આજે જ કોઇ પગલુ લેવું પડશે. આ એક ગંભીર મામલો છે અને તેના પર એક કમિટીનું ગઠન કરવાનો પ્રસ્તાવ મુકી રહ્યા છીએ.

અમે એ પણ વિચારી રહ્યા છીએ કે આગામી આદેશ ન આવે ત્યાં સુધી આ કૃષિ કાયદાઓના અમલ પર રોક લગાવી દેવામાં આવે. અમારો પ્રસ્તાવ છે કે કમિટી સામે વાતચીતનો રસ્તો ખોલવા માટે આ કાયદાઓના અમલ પર હાલ પુરતા રોક લગાવી દેવામાં આવે. 

આંદોલન અંગે કોર્ટે કહ્યું કે અમે બીજુ વધુ કઇ નથી કહેવા માગતા. વિરોધ પ્રદર્શન જારી રાખી શકાય છે. પણ તેની જવાબદારી કોણ લેશે? ભલે તમને વિશ્વાસ હોય કે ન હોય પણ સુપ્રીમ કોર્ટ તેનું કામ કરતી રહેશે. ભલે તમે પ્રદર્શન જારી રાખો કે સૃથળ બદલો આૃથવા આંદોલનને લંબાવો, તેનાથી અમને કોઇ જ વાંધો નથી.

પણ અમને શંકા છે કે આનાથી શાંતિ ભંગ થઇ શકે છે. જો કઇ થઇ ગયું તો આપણામાંથી બધા જ તેના માટે જવાબદાર ઠરીશું.  અમે નથી ઇચ્છતા કે અમારા હાથો પર કોઇના લોહીના છાંટા પડે. અમે સુપ્રીમ કોર્ટ છીએ, અમે તે જ કરીશું જે અમારે કરવું જોઇએ.  જો કેન્દ્ર સરકાર કૃષિ કાયદાઓના અમલને રોકવા ન માગતી હોય તો અમે સ્ટે મુકતો આદેશ આપી દઇશું.

 કૃષિના કાળા કાયદા રદ ન થાય તો મારા પત્રને રાજીનામું માની લેજો : અભય ચૌટાલા

કૃષિ કાયદાઓનો વિરોધ હવે હરિયાણામાં પણ ઉગ્ર બનતો જાય છે. આઇએનએલડીના ધારાસભ્ય અભયસિંહ ચૌટાલાએ હરિયાણા વિધાનસભાના સ્પીકરને પત્ર લખી કૃષિ કાયદાઓને પરત લેવાની માગણી કરી છે. સાથે તેમણે એમ પણ કહ્યું છે કે જો કેન્દ્ર સરકાર આ કાયદાઓને પરત નહીં લે તો મારા આ પત્રને મારૂ વિધાનસભામાંથી રાજીનામુ માની લેવો. સાથે તેમણે કૃષિ કાયદાઓને કાળા કાયદા ગણાવ્યા હતા અને તેને પરત લેવાની માગણી પણ કરી હતી. 

તેમણે કહ્યું હતું કે ઠંડી, આત્મહત્યા જેવા કારણોસર અત્યાર સુધીમાં ૬૦ જેટલા ખેડૂતો શહીદ થઇ ગયા છે પણ તેમ છતા કેન્દ્ર સરકાર કાયદાઓને પરત નહીં લઇએ તેવી જીદ કરી રહી છે. બીજી તરફ કૃષિ માટેની સ્ટેન્ડિંગ કમિટીની એક બેઠક યોજાઇ હતી, જોકે તેમાં ચેરમેને કૃષિ કાયદાઓ પર ચર્ચા કરવાની ના પાડી દેતા કોંગ્રેસના સાંસદ પ્રતાપસિંહ બાજવા, છાયા વર્મા, પૂર્વ અકાળી દળના નેતા સુખદેવસિંહે બેઠકનો જ બહિષ્કાર કરી દીધો હતો. 

સ્ટે નિરાકરણ નથી, કાયદા રદ જ કરવા પડશે : ખેડૂતો

કૃષિ કાયદાઓ પર સ્ટે મુકવાના સુપ્રીમ કોર્ટે સંકેતો આપ્યા છે. આ સિૃથતિ વચ્ચે આંદોલન કરી રહેલા ખેડૂતોનું કહેવું છે કે અમારી માગણી છે કે આ કાયદાઓને કાયમ માટે રદ જ કરી દેવામાં આવે કેમ કે તેનાથી અમને કોઇ જ ફાયદો નહીં થાય, એવામાં આ કાયદાઓ પર સ્ટે મુકવો તે કોઇ નિરાકરણ કે સમાનાધ નથી.

ખેડૂતોના સંગઠનના નેતા અને હરિયાણાના ભારતીય કિસાન યુનિયનના પ્રમુખ ગુરનામસિંહે કહ્યું હતું કે અમે સુપ્રીમ કોર્ટના અવલોકનનું સ્વાગત કરીએ છીએ. પણ કાયદાઓ પર સ્ટે તે માત્ર એક ટુંકા ગાળા પુરતો જ હોય છે.  જ્યાં સુધી કોર્ટ આ મામલાની સુનાવણી ફરી ન કરે ત્યાં સુધી જ સ્ટે રહે છે. માટે તે કોઇ સમાધાન કે નિરાકરણ નથી. અમે તો આ કાયદાઓને હંમેશને માટે રદ જ કરવા માગીએ છીએ. 

કૃષિ કાયદાઓ પર સુપ્રીમ સ્ટે ન મુકી શકે : કાયદા નિષ્ણાતોમાં ભેદ

સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓ પર ગમે ત્યારે સ્ટેનો આદેશ આપી શકે છે. આ સિૃથતિ વચ્ચે એટર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું છે કે જો પ્રાથમિક તબક્કે પણ એવુ લાગે કે કાયદા ગેરબંધારણીય છે તો જ તેના પર સુપ્રીમ કોર્ટ સ્ટે મુકી શકે છે.

સીનિયર એડવોકેટ રાકેશ દ્વીવેદીએ કહ્યંુ હતું કે સંસદમાંથી પસાર કરાયેલા કાયદાઓ પર સ્ટે ન મુકી શકાય, જો કાયદાઓ પર સ્ટે મુકવા માટે ચોક્કસ અને મજબૂત કારણ હોય તો જ તેમ થઇ શકે આૃથવા તો કાયદાઓ પ્રથમ દ્રષ્ટીએ ગેરબંધારણીય જણાય તો જ તેના પર સ્ટે શક્ય છે.જ્યારે વરીષ્ઠ વકીલ અશ્વિની કુમાર દુબેએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ કાયદાઓ પર સ્ટે મુકી શકે છે, અગાઉ સરકાર મરાઠા અનામત પર સ્ટે મુકી ચુકી છે. 

ઠંડીમાં ધરણા પર બેઠેલા વૃદ્ધો, મહિલાઓ ઘરે પરત જાય : સુપ્રીમની અપીલ

સુપ્રીમ કોર્ટમાં કૃષિ કાયદાઓ અંગે થયેલી અરજીઓની સુનાવણી થઇ હતી, જે દરમિયાન કોર્ટે આંદોલનમાં સામેલ વૃદ્ધો, મહિલાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડેએ કહ્યું હતું કે આટલી કડકડતી ઠંડીમાં પણ ધરણા પર બેઠેલા ખેડૂતો પોતાના ઘરે પરત જતા રહે તેવું અમે ઇચ્છીએ છીએ, આંદોલન સૃથળે અનેક વૃદ્ધો, મહિલાઓ, બાળકો પણ છે, તેમની દેખરેખ કોણ રાખી રહ્યું છે? દલીલો ચાલી રહી હતી ત્યારે એક વકીલ એચએસ ફુલકાએ કહ્યું હતું કે મારા પંજાબના ગામમાંથી ૪૦ ટ્રોલી ભરીને ખેડૂતો, મહિલાઓ આંદોલન સૃથળે આવ્યા છે. જ્યારે બાદમાં કોર્ટે કહ્યું કે આટલી ઠંડીમાં તેઓ ધરણા પર દિલ્હીમાં બેઠા છે, તેઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અમે તેમને ઘરે પરત જતા રહેવા કહીએ છીએ. 

આટલા ગંભીર કૃષિ કાયદાઓ માટે સરકારે સંયુક્ત સત્ર કેમ ન બોલાવ્યું ? : દુષ્યંત દવે

* ૪૦૦થી પણ વધુ ખેડૂત સંગઠનોના દોઢ લાખથી વધુ ખેડૂતો છેલ્લાં ૪૮ દિવસથી નવો કૃષિ કાયદો રદ કરવાની માગણી કરી રહ્યા છે. આ સમગ્ર દેશના અસ્તિવત્વનો સવાલ છે.

* દેશ અને દેશના ખેડૂતો માટે આટલા મહત્વનો કાયદો માત્ર ધ્વનિમતથી કેવી રીતે પસાર કરી શકાય ? જો સરકાર ખરેખર આ કાયદા અંગે ગંભીર હોય તો સંસદનું સંયુક્ત સત્ર બોલાવવું જોઇતું હતું.

* કેન્દ્ર સરકારે ખેડૂતોની ૨૬મી જાન્યુઆરીના રોજ દિલ્હીમાં આયોજીત ટ્રેક્ટર માર્ચ અંગે ચિંતા વ્યક્ત કરતા ખેડૂતો તરફથી જવાબ આપવામાં આવ્યો હતો કે અમે હાલ કોઇ નિવેદન નથી આપી રહ્યા પરંતુ ખેડૂતો ૨૬મીના રોજ દિલ્હીમાં ટ્રેક્ટર માર્ચ નહીં કરે. 

* પંજાબમાં ખેડૂતોના મોટાંભાગના પરિવારોમાં એક-એક સભ્ય આર્મી કે સંરક્ષણ દળોમાં ફરજ બજાવે છે. તેથી જ આ વિરોધ શાંતિપૂર્ણ રહ્યો છે અને સરકાર વિરૂદ્ધ કોઇ બળવો નથી કરવામાં આવ્ય. ખેડૂતો કાયદાનું પાલન કરી શિસ્તને અનુસરી શાંતિપૂર્વક રીતે તેમની માગણીઓ રજૂ કરી રહ્યા છે, છતાં પણ સરકાર તેમની સમસ્યા નોંધમાં લઇ રહી નથી.

* છેલ્લાં ૪૮ દિવસમાં ખેડૂતોએ સંપૂર્ણ રીતે કાયદો અને વ્યવસ્થા તેમજ શિસ્તનું પાલન કર્યુ છે અને કોઇ અનિચ્છનીય ધટના બની નથી. આટલા દિવસથી ખેડૂતો એક જ માગણી કરી રહ્યા છે કે તેમને રામલીલા મેદાનમાં બેસી વિરોધ કરવાની પરવાનગી આપવામાં આવે. 

* ઠંડી અને મહામારી વચ્ચે વૃદ્ધો, મહિલાઓ અને બાળકો પણ આંદોલનમાં જોડાયા હોવાથી સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી કે વૃદ્ધો, મહિલાઓ અને બાળકો પરત ફરે. જેના જવાબમાં કહેવામાં આવ્યું હતું કે આ મુદ્દે ખેડૂત સંગઠનો સામે વિચાર-વિમર્શ કરી જવાબ આપવામાં આવશે.

* કૃષિ કાયદાના વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટે સમિતિ બનાવવાનું મંતવ્ય દર્શાવતા ખેડૂતો તરફથી ભલામણ કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ આર.એમ. લોધાને આ સમિતિમાં નિયુક્ત કરવા જોઇએ.

* સીનિયર એડવોકેટ દવેએ કોર્ટને કહ્યું હતું કે તેઓ ખેડૂતોને મળશે અને સુપ્રીમ કોર્ટના અભિપ્રાયો અંગે ચર્ચા કરશે, 




from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sbKVxP
via IFTTT

ટિપ્પણીઓ નથી: