Republic Day Parade 2021: રાજપથ પર દુનિયા જોશે ભારતની તાકાત, PM મોદીએ દેશવાસીઓને આપી શુભકામનાઓ


નવી દિલ્હી, તા. 26 જાન્યુઆરી 2021 મંગળવાર

દેશ માટે આજે મહત્વનો દિવસ છે. ભારત આજે પોતાનો 72મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે. રાજધાની દિલ્હીના રાજપથ પર મંગળવારે ફરી ઐતિહાસિક પરેડ નીકળશે. જેમાં દુનિયાને ભારત પોતાની તાકાતનો અહેસાસ કરાવશે. પહેલી વાર આ પરેડમાં રાફેલ પોતાની શક્તિ દર્શાવશે. સાથે સાથે દરેકની નજર ટ્રેક્ટર રેલી પર પણ છે.

લદ્દાખમાં જવાનોને ધ્વજ લહેરાયો 

દેશના જુદા-જુદા ભાગોમાં ધ્વજ લહેરાવવાનુ શરૂ થઈ ગયુ છે. આઈટીબીપીના જવાનોએ લદ્દાખમાં ધ્વજારોહણ કર્યુ.  

ગણતંત્ર દિવસના અવસરે શુભકામનાઓનો સિલસિલો

બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હૉનસને ભારતને ગણતંત્ર દિવસના અવસરે શુભકામનાઓ આપી છે. બોરિસ જ્હૉનસનને પહેલા ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં મહેમાન તરીકે સામેલ થવાનુ હતુ, પરંતુ કોરોના સંકટના કારણે તેઓ આવી શક્યા નહીં.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત અન્ય કેન્દ્રીય મંત્રીઓ, રાહુલ ગાંધી અને અન્ય દેશના નેતાઓએ લોકોને ગણતંત્ર દિવસની શુભકામનાઓ આપી છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ye2dMR
via IFTTT

ટિપ્પણીઓ નથી: