મહારાષ્ટ્રમાં 1. 86 લાખથી વધુ સંક્રમિત, ગુજરાતની ઝાયડસ કેડિલાને વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી મળી
દેશભરમાં 6 લાખ 27 હજારથી વધુ લોકો કોરોનાના સંકજામાં આવ્યા છે. અને 18 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. સાથે જ 3 લાખ 79 હજારથી વધુ દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. દેશમાં 1 લાખ 86 હજારથી વધુ દર્દીઓ તો માત્ર મહારાષ્ટ્રમાં જ છે, જ્યાં 8 હજારથી વધુ લોકોના મોત થયા છે. તમિલનાડુમાં 98 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે અને 1 હજારથી વધુ લોકોના જીવ ગયા છે.ગુરુવારે એક દિવસમાં 21 હજાર 947 નવા દર્દી વધ્યા છે. આ આંકડો એક દિવસમાં સૌથી વધુ છે. આ ઉપરાંત 19 હજાર 999 દર્દી સાજા પણ થયા છે.
અપડેટ્સ
- તો આ તરફ નવી મુંબઈ, પનવેલ અને ઉલ્લાસનગરમાં આજથી 10 દિવસનું લોકડાઉન વધારી દેવાયું છે. ત્રણ જગ્યાએ સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે.
- દિલ્હીના સરદાર પટેલ કોવિડ કેર સેન્ટરમાં આજથી કોરોના સંક્રમિતોને એડમિટ કરાશે
- કોરોનાની વેક્સીન તૈયાર કરવા માટે પણ પ્રયત્નો ચાલી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ગુજરાતની ઝાયડસ કેડિલા કંપનીને વેક્સીનના પહેલા અને બીજા તબક્કાનાક્લીનિકલ ટ્રાયલની મંજૂરી આપવામા આવી છે. આ નિર્ણય એક્સપર્ટ કમિટિની ભલામણ પછી લેવામા આવ્યો હતો.
રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશઃ ઉજ્જૈન જીલ્લામાં ગુરુવારે બપોર સુધી ત્રણ કોરોના પોઝિટિવ મળ્યા હતા. આ સાથે જીલ્લામાં સંક્રમિતોની સંખ્યા 849 થઈ ગઈ છે. જો કે, 770 દર્દી સાજા પણ થઈ ગયા છે. અત્યાર સુધી 71 દર્દીના મોત થયા છે. તો બીજી બાજુ સિહોર જીલ્લામાં આજે બે દર્દી મળ્યા હતા. ઈન્દોરમાં 19, હરદામાં આઠ અને સિવનીમાં એક દર્દી મળ્યો હતો.

મહારાષ્ટ્રઃ રાજ્યની 82 જેલમાં અત્યાર સુધી કુલ 363 કેદી અને 102 કર્મચારી કોરોના સંક્રમિત મળી આવ્યા છે. આ માહિતી ગુરુવારે જેલ ડિપાર્ટમેન્ટે આપી છે. ચાર કેદીઓનું સંક્રમણથી મોત થયું છે. 255 કેદી સાજા થયા છે. મુંબઈ સેન્ટ્રલ જેલમાં અત્યાર સુધી 181 કેદી અને 44 કર્મચારી કોરોના સંક્રમિત મળી આવ્યા છે.

ઉત્તરપ્રદેશઃ ઝાંસીમાં ગુરુવારે કોરોનાથી એક ડોક્ટર કે. આર. કૃષ્ણાનું મોત થયું છે. તે મેયરની ચૂંટણી પણ લડી ચુક્યા હતા.સાથે જ મુરાદાબાદમાં એક મહિલા સહિત બે લોકોના મોત થયા છે. ઝાંસીમાં એક પોલીસ વિભાગનો કર્મચારી પણ કોરોના પોઝિટિવ મળ્યો છે. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં કુલ કેસમાંથી 72% દર્દીમાં કોરોનાના સામાન્ય લક્ષણ જોવા મળી રહ્યા છે.

રાજસ્થાનઃ અહીંયા ગુરુવારે 115 પોઝિટિવ સામે આવ્યા હતા. ઉદેયપુરમાં 21, બીકાનેરમાં 12 ધૌલપુર અને રાજસમંદમાં 10-10, જયપુરમાં 9-9, નાગૌરમાં 08, ભરતપુરમાં 06, કરૌલી અને સિરોહીમાં 5-5, અજમેર અને કોટામાં 4-4, બારાં દૌસા અને ઝૂંઝૂનૂમાં 2-2, અલવર, બાડમેર, બૂંદી, ડુંગરપુર અને સવાઈ માધોપુરમાં 1-1 વ્યક્તિ સંક્રમિત મળ્યો હતો. આ સાથે જ કુલ સંક્રમિતોનો આંકડો 18 હજાર 427 પર પહોંચી ગયો હતો. સાથે જ બીકાનેરમાં 2 જોધપુરમાં બે અને બાડમેરમાં એક વ્યક્તિનું મોત થયું છે.

બિહારઃ રાજ્યમાં ગુરુવાર બપોર સુધી 188 દર્દી મળ્યા હતા. નાલંદા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ગુરુવારે ત્રણ દર્દીઓના મોત થયા હતા. આ સાથે રાજ્માં મૃતકોનો આંકડો વધીને 76 થઈ ગયો છે. સાથે જ RJD ધારાસભ્ય શહનવાજ આલમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે જોકીહાટ બેઠક પરથી ધારાસભ્ય છે. આ પહેલા મંત્રી વિનોદ કુમાર સિંહ અને તેમના પત્ની પોઝિટિવ મળ્યા હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2NMR6W2
via IFTTT
ટિપ્પણીઓ નથી: