જીવન નહીં બચાવી શકતું તંત્ર હવે મૃત્યુઆંક છુપાવવા મેદાને પડ્યું, તમામ 24 સ્મશાનોને મૃતદેહોના આંકડા ન આપવા AMCનો આદેશ
શહેરમાં પાંચ દિવસ પછી ગુરુવારે કોરોનાથી 5 દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે કોરોનાથી થતાં મૃત્યુના સાચા આંકડા છૂપાવવા માટે મ્યુનિ. અધિકારીઓએ તમામ 24 સ્મશાન પર સ્પષ્ટ સૂચના આપી છેકે, કોઇને પણ મૃત્યુના આંકડા આપવામાં ન આવે.
છેલ્લા 24 કલાકમાં નવા કોરોના પોઝિટિવના 168 કેસ નોંધાયા હતા. આ સાથે શહેરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 23535 પર પહોંચી ગઈ છે. અનેક સોસાયટીઓમાં સેંકડો કેસ આવ્યા હોવાની અફવાઓએ જોર પકડ્યું છે. નવા 14 વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટ જાહેર કરાયા છે. જ્યારે 14 વિસ્તારમાંથી માઈક્રો કન્ટેઈનમેન્ટ હટાવાયું છે.
કામવાળી પોઝિટિવ આવ્યાના 12 દિવસે મ્યુનિ.એ ફ્લેટને ક્વોરન્ટીનનું પોસ્ટર લગાવ્યું
મણિનગર વિસ્તારમાં આવેલા હરિદર્શન ફ્લેટમાં મ્યુનિ.એ એક મકાનમાં ક્વોરન્ટાઇનનું પોસ્ટર લગાવ્યું છે. જોકે આ મકાનના તમામ સભ્યોનું કોરોના રિપોર્ટ નેગેિટવ છે. જોકે 12 દિવસ પહેલા તેમના ઘરે કામ કરવા આવતી કામવાળી બેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેમને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. આ બાબતે વિવાદ પણ ઊભો થયો છે.
અનેક સોસાયટીમાં સેંકડો કેસ આવ્યાની અફવા
ન્યૂ રાણીપ વિસ્તારની એક પોશ સોસાયટીમાં 320 જેટલા કોરોના પોઝિટિવ કેસ આવ્યા હોવાના વોટ્સએપ મેસેજ સવારથી જ ફરી રહ્યા છે. આ સોસાયટીને માઇક્રો કન્ટેઈનમેન્ટ કરવામાં આવી છે. જોકે ત્યાં આટલા કેસ નહીં હોવાનું સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું.
માઈક્રો કન્ટેઈનમેન્ટ આ નવા વિસ્તાર
- હરભોલાનાથ, ઇદ્રપુરી
- વલ્લભ પાર્ક, વટવા
- નીલકંઠ એપાર્ટ, મણીનગર
- અનન્ય બંગલો, ઘોડાસર
- કલ્પતરૂ એપાર્ટમેન્ટ, સાબરમતી
- ધર્ણેન્દ્રનગર, નરોડા
- નીલકમલ ટેનામેન્ટ, નરોડા
- આઇસીબી સીટી, ચાંદલોડિયા
- વર્ધમાનકૃપા સોસા, ગોતા
- રવિશ બંગલોઝ, થલતેજ
- વૃંદાવન કોમ્પલેક્ષ, થલતેજ
- ભાગ્યોદય સોસા. જીવરાજપાર્ક
- અગ્રવાલ ટાવર, જોધપુર
- કાદમ્બરી એપાર્ટ, સેટેલાઇટ
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/391ts1O
via IFTTT
ટિપ્પણીઓ નથી: